Posts

Showing posts from March, 2024

ગ્રેટિટ્યુડઃ સફળ જીવનની ગુરુચાવી

  ગ્રેટિટ્યુડઃ સફળ જીવનની ગુરુચાવી ઘણી વાર એવું બને છે કે આપણે કોઈ જગ્યાએ કે કોઈ પરિસ્થિતિમાં અટકાઈ જઈએ છીએ અને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. આવી પરિસ્થિતિમાં જાણીતી કે અજાણી વ્યક્તિ આવીને મદદ કરી જાય છે અને આપણો રસ્તો ઈઝી થઈ જાય છે. જીવનમાં દરેક તબક્કે મદદરૂપ થતી વ્યક્તિનો આભાર માનવો જરૂરી છે. જીવનમાં કૃતજ્ઞ થશો તો ધાર્યા કરતાં વધુ સારા પરિણામો મળશે એ પાક્કું. તેથી ગ્રેટિટ્યુડ રાખવું જરૂરી છે. જીવનમાં જે પણ સારા કર્મોને કારણે ભગવાન અને કુદરત દ્વારા મળતા આશીર્વાદની કદર કરવાનું અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શીખવું જરૂરી છે. સ્વેચ્છાએ અન્યને ખુશી આપતા કાર્યો કરવા જોઈએ. માનવતા જીવંત રહેશે તો ભગવાન આપણને સારા આશીર્વાદ આપશે. બાળકોને પણ ચોક્કસ સાંસ્કૃતિક મૂલ્યો, આદર અને દયાનો ભાવ કેળવવો જોઈએ જે તેમને ભવિષ્યમાં એક સારો મનુષ્ય બનાવશે અને સમાજને ઘડવામાં મદદરૂપ બનશે. મારા માતા-પિતા અને બહેર સાથે તાજેતરમાં ગોકુળ, મથુરા અને વૃંદાવનની તીર્થયાત્રા પર ગયા હતાં. પ્રવાસ પહેલા મારા પિતાએ મને પૂછ્યું કે શું તું તારા બિઝી શેડ્યુલમાં આટલો ટાઈમ મળી શકશે? તો મેં જવાબમાં જણાવ્યું કે, શું મને તે સમયની ...

જીવનના પડકારોને શેર કરીને અન્યને પ્રેરણા આપવી જોઈએ

 જીવનના પડકારોને શેર કરીને અન્યને પ્રેરણા આપવી જોઈએ આજની પેઢી શોર્ટકટને વધુ પ્રાધાન્ય આપે છે. શોર્ટકટથી સફળ થવાના સપના જુએ છે, પણ આપણે તેમને એ શીખવવાની જરૂર છે કે રોકે સ્પીડ અને શોર્ટકટ વાપરીને મળતી સફળતા કામચલાઉ હોય છે. તે વધુ સમય સુધી ટકી શકતી નથી.  સ્પીડ કરતાં યોગ્ય દિશામાં કામ કરીને ધીરે ધીરે આગળ વધવું તથા પાયાને મજબૂત બનાવવાનું વધુ મહત્ત્વનું હોય છે. સાંભળવામાં અક્ષમ એક યુવતી ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે કામ કરે છે અને સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા ફોલોઅર્સ છે. થોડા સમય પહેલા તેણે પોતાની કેન્સરગ્રસ્ત માતાને ગુમાવી હતી. જીવનમાં આવેલા આ અસહ્ય દુઃખમાંથી બહાર આવવા ઘણો સમય લાગ્યો હતો. પછી તેની ભાભીને પણ કેન્સર હોવાની જાણ થઈ. આવા સંજોગોમાં આખો પરિવાર ફરી એક વાર આઘાતમાં સરી પડ્યો હતો. સારવારની પ્રક્રિયામાં મદદ કરવા માટે કાઉન્સેલરનો સંપર્ક કરવાની સલાહ આપી ત્યારે યુવતીએ તરત જ કહ્યું હતું કે, જન્મથી જ સાંભળવામાં અક્ષમ હોવા છતાં અસંખ્ય પડકારોનો સામનો કર્યા બાદ આજે હું મારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકી છું. તો મને બહારના કાઉન્સેલરની શું જરૂર છે? ત્યારબાદ તે યુવતીએ પોતાના અનુભવોને લોકો સાથ...

આત્મવિશ્વાસ જીવનને સાચી દિશા દર્શાવે

 આત્મવિશ્વાસ જીવનને સાચી દિશા દર્શાવે કોઈ કામ અથવા વ્યક્તિ પ્રત્યે વિશ્વાસ કરતાં જો આત્મવિશ્વાસ હોય તો જીવનને યોગ્ય દિશા મળવામાં મદદ મળે છે. આત્મવિશ્વાસ સાથે કરેલું કોઈપણ કામ જીવનમાં નવી ચીજો શીખવાડી જાય છે. વિશ્વાસ હોય એના કરતાં પણ આત્મવિશ્વાસ હોય એ વધારે મહત્વનું છે. તમને તમારી વાત પર, તમારા કામ પર વિશ્વાસ હોઈ શકે પણ આ વિશ્વાસ ત્યારે જ આવે જ્યારે તમને જાત પર આત્મવિશ્વાસ હોય. આત્મવિશ્વાસ હોય એ જ જાત પર વિશ્વાસ રાખી શકે અને વિશ્વાસ સાથે આગળ વધી શકે. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ. જો એ હોય તો જ તમે સામેવાળાને વિશ્વાસ અપાવી શકો નહીં તો તમારો ભરોસો કોઈ કરી ન શકે. નાનામાં નાની વાતમાં પણ વિશ્વાસની જરૂર પડે. તમારે ડૉગીને પણ રમાડવું હોય તો પહેલાં તમારે એને વિશ્વાસ દેવડાવવો પડે કે તમે એને નુકસાનકર્તા નથી. તમે એને સાચવશો અને તમે એની સાથે દગાબાજી નહીં કરો. તમારે ત્યાં કામ કરવા આવતી વ્યક્તિને પણ તમારે ભરોસો દેવડાવવો પડે છે, કૉન્ફિડન્સ આપવો પડે છે કે કામ કર્યા પછી તમે તેને પહેલી તારીખે તેની સૅલરી ચૂકવી દેશો. કૉન્ફિડન્સ આપી શકો તો જ તમે પ્રગતિ કરી શકો અને ક...

કરુણાથી સારું કોઈ હોકાયંત્ર નથી

 કરુણાથી સારું કોઈ હોકાયંત્ર નથી એવું કહેવાય છે કે જ્યારે તમે તમારા હૃદયને હોકાયંત્ર બનવા દો, તમારા મનને તમારો નકશો બનવા દો, તમારા આત્માને તમારો માર્ગદર્શક બનવા દો, તો તમે જીવનમાં ક્યારેય ખોવાઈ જશો નહીં. કરુણા એ તમારા પોતાના દુઃખની બહાર જોઈને તમારા રોજિંદા જીવનમાં અન્ય લોકોના દુઃખને જોવા માટે છે. હવે, આ જીવનની આદર્શ સ્થિતિ છે, અને વૈજ્ઞાનિક વિશ્વમાં, તે આપણી પહોંચની બહાર છે. આ વલણ આપણા જીવન માટે આદર્શ છે, પરંતુ જ્યાં નકારાત્મકતા કે અધર્મ હોય ત્યાં આવા જીવનની અપેક્ષા રાખવી અશક્ય છે. પહેલાના સમયમાં આદર્શ જીવન નિયમિત હતું. લોકોમાં એકતા હતી, સંવેદનશીલતા હતાં, પણ સમય જતાં નવા નવા વૈજ્ઞાનિક સંશોધન થયા તેમ માનવ વિચારોનું સંકોચન થવા લાગ્યું. સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાતા ઈર્ષ્યા આવવા લાગી અને લોકો સ્વાર્થી બનવા લાગ્યા જેને કારણે  માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. આપણે દોરા ખાતર ગળામાં હાર પહેરતા નથી, પણ દોરા વિના હાર ન હોઈ શકે. આપણા ભગવાન, આપણા માતા-પિતા, આપણા ગુરુઓ આપણા જીવનભર દિશા દેખાડવા માટે માર્ગદર્શનનો ફેલાવો દોરો છે. આપણે આપણા જીવન માટે જવાબદાર છીએ; આપણે આપણા જીવન માટે...

મૂવ ઓન કરવા માટે માફી જરૂરી

 મૂવ ઓન કરવા માટે માફી જરૂરી કેટલીક વ્યક્તિ એવી હોય છે જે નાની નાની વાતોમાં ઈમોશનલી હર્ટ થઈ જાય છે. આ ઘા એટલો ઉંડો હોય છે કે ઘણી વખત આપણે જીવનભર એ વ્યક્તિને માફ કરી શકતા નથી જેણે આપણને જાણતા-અજાણતા હર્ટ કર્યા હોય. દરેક વ્યક્તિના આ તબક્કાથી પસાર થાય જ છે, જે નકારાત્મક અસર છોડી જાય છે. આમ તો કોઈને માફ કરવું એ સહેલું કામ નથી, પરંતુ આપણા ઈનર પીસ માટે માફી આપીને આગળ વધવામાં ભલાઈ છે અને આવું કરનારી વ્યક્તિ મેન્ટલી બહુ મજબુત અને બહાદુર ગણાય છે. કહેવાય છે કે નબળા ક્યારેય કોઈને માફ કરી શકતા નથી અને ક્ષમા આપવી એ બળવાનની વિશેષતા છે. આવી સ્થિતિમાં, તમારે એવી ગાંઠ બાંધવી જોઈએ કે તમે બીજાઓને માફી આપી રહ્યા છો,તેમના માટે નહીં, પરંતુ તમારા પોતાના આરામ માટે. અહીં અમે તમને જણાવીએ છીએ કે બીજાને કેવી રીતે માફ કરવું. એ હકીકત સ્વીકારો કે ભૂલો કોઈપણથી થઈ શકે છે.જ્યારે તમે આમ વિચારો છો ત્યારે તમે સહેલાઇથી સામેવાળાને માફ કરી દો છો અને પરિસ્થિતિને સામાન્ય બનાવી દો છો. યાદ રાખો કે આગળ વધવું અને પાછળની બાબતોને પકડી ન રાખવું એ શાણપણ છે. સમજણ બતાવીને તમારી જાતને બીજાની જગ્યાએ મૂકો અને તેમના દૃષ્ટિકોણથી વસ્તુઓને...