ઉત્કૃષ્ટતાનું બીજું નામ આત્મશુદ્ધિ છે
|| ઉત્કૃષ્ટતાનું બીજું નામ આત્મશુદ્ધિ છે || મનુષ્યના મનને શુદ્ધ કરવા માટે શરીરમાં અગ્નિ સતત પ્રજ્જ્વલિત રહેતો હોય છે. આપણે મનુષ્યો દરેક જન્મમાં સદ્કાર્યો કરવાની શક્તિ ધરાવીએ છીએ અને એમ કરવા માટે સૌથી પહેલાં આપણો અંતરાત્મા તૃપ્ત અને શુદ્ધ હોવો જોઈએ. તૃપ્તિ અને શુદ્ધિની આ ભાવનાને લીધે આપણે બાહ્ય જગત સાથે સુમેળ સાધી શકીએ છીએ. ઘન જંગલમાં પાણીનો પ્રવાહ ઘણા લાંબા માર્ગ પરથી વહેતો હોય છે, પરંતુ એની શુદ્ધતા ક્યારેય ઓછી થતી નથી. આપણું શરીર પણ આશરે 70 ટકા પાણીનું બનેલું છે. એ જ રીતે આ પૃથ્વી પર પણ 70 ટકા પાણી છે અને એ પાણી મહાસાગર, દરિયો, તળાવ, નદી અને નહેર એમ પાંચ જળાશયોમાં હોય છે. આપણા શરીરમાં પંચેન્દ્રિયો છે, જેમ કે કાન , નાક , જીભ , આંખ ને ત્વચા. આપણે મન કે મગજથી આ પંચેન્દ્રિયો પાસેથી કામ લઈએ છીએ. મનની શુદ્ધતા હોય તો એમની પાસે સારાં કાર્યો કરાવી શકીએ છીએ. આ ઇન્દ્રિયો ઘણા ઉપભોગ ચાહતી હોય છે, પરંતુ આપણે મનની શુદ્ધતા-પવિત્રતા જાળવી રાખવી જોઈએ. એનાથી પરોક્ષ રીતે આપણા વિશ્વને પણ સારું બનાવવામાં મદદ મળે છે. ભગવદ્ ગીતા આપણા આત્માને પવિત્ર બનાવવા માટેનો માર્ગદર્શક ગ્રંથ છે. અન્ય ધાર્મિક ...