Posts

Showing posts from December, 2022

સંતુલન એટલે જ જીવન

 સંતુલન એટલે જ જીવન   જીવનમાં દરેક વસ્તુમાં સંતુલન હોવું જરૂરી છે. દિવસ અને રાત પૃથ્વી પરના જીવનને સંતુલિત કરે છે. પૃથ્વી બે ગોળાર્ધમાં વિભાજિત છે, જે દિવસ અને રાત્રિના સંતુલન માટે છે. જ્યારે આપણે એક ખંડથી બીજા ખંડમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે સમય બદલાય છે, પરંતુ આપણે મુસાફરી કરીએ છીએ અને સમયરેખા સાથે ઍડજસ્ટ થઈએ છીએ. હવાઈ પ્રવાસ બાદ જેટ લેગ થાય છે અને એ સ્થિતિમાં આપણે શારીરિક અને માનસિક શક્તિને સંતુલિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ઈશ્વરે વિવિધ આબોહવાનું સર્જન કર્યું છે, જેથી પૃથ્વીની ઇકોસિસ્ટમ સંતુલિત રહે.   આપણી પાસે ગણિત, વિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, ભાષા, કળા, વગેરે જેવા વિષયો છે, જેથી દરેકને પોતપોતાની જ્ઞાનાત્મક વિચારશક્તિને સંતુલિત કરવા માટેના વિષયો મળી રહે.   ભાષામાં આવતા વિરોધી શબ્દોના મહત્ત્વ વિશે મને એક સમયે પ્રશ્ન થતો હતો. હવે ખબર પડી કે એનાથી ભાષા સંતુલિત રહે છે.   આપણા દેશમાં વ્યાવસાયી અને પારિવારિક જીવનને સંતુલિત કરવા માટે તહેવારો છે. ભગવાને પૃથ્વી પર માનવ જાતિને સંતુલિત કરવા માટે નર અને માદાની રચના કરી છે. હા, જીવન એટલે જ સંતુલન. ...

રોજની એક-એક મિનિટને એક-એક તક ગણી શકાય

  રોજની એક-એક મિનિટને એક-એક  તક ગણી શકાય     કોઈકે સાચું જ કહ્યું છે, તમે કેટલું જીવો છો એનું નહીં, પણ કેવું જીવો છો એનું મહત્ત્વ છે. જીવનના દરેક પાસાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો છેલ્લા અધ્યાત્મ જ નજરે ચડે છે. ઈશ્વર સાથેનું આત્મસંધાન જ જીવનનો મર્મ છે.    કેટલાક લોકો ફક્ત પ્રાર્થના કરવા ખાતર કરતા હોય છે અને કેટલાક લોકો પોતાનાં પાપ ઓછાં થાય એના માટે પૂજા-પાઠ કરતા હોય છે. ખરી રીતે તો જીવન ઈચ્છાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો દ્વંદ્વ હોય છે.    રામાયણ પરથી શીખવા મળે છે કે રામ રાજા બનવાની ઈચ્છા ધરાવતા હતા, પરંતુ એમણે વાસ્તવિકતા અપનાવીને પોતાના ભાઈઓ માટે ઈચ્છાની બલિ આપી દીધી. સીતાને અયોધ્યાથી પાછાં લાવ્યા બાદ એક ધોબીના કહેવાથી એમણે જીવનસંગિનીને વનમાં મોકલી આપ્યાં. સીતાનો કોઈ વાંક ન હોવા છતાં કોઈકની ટીકાને કારણે તેઓ સીતાથી વિખૂટા પડી ગયા. રામે સીતા સાથે રહેવાની પોતાની ઈચ્છાનો રાજધર્મ ટકાવી રાખવા માટે ભોગ આપ્યો.    રામ અને સીતાનો તથા રાધા અને કૃષ્ણનો પ્રેમ એટલો ગાઢ છે કે આજ સુધી લોકોનાં હૃદયમાં એનો વાસ છે.    શ્રવણમંદ બાળકો સાથે કામ કરીને મન...

સારા વિચારો અને સારાં કર્મો હંમેશાં સારી વસ્તુઓને જ આકર્ષિત કરે છે

સારા વિચારો અને સારાં કર્મો હંમેશાં સારી  વસ્તુઓને  જ આકર્ષિત કરે છે      આપણી માન્યતા પ્રમાણે ઈશ્વર એક જ છે. અત્યાર સુધીની જાણકારી મુજબ ફક્ત પૃથ્વી પર જીવસૃષ્ટિ છે. આપણને મનુષ્ય તરીકે એક જ જન્મ મળે છે. આપણી સૃષ્ટિને ટકાવી રાખવાનું કામ એક જ સૂર્ય કરે છે. ધારો કે સૂર્ય ઊર્જા આપવાનું બંધ કરી દે તો શું થાય. પૃથ્વી પર કરોડો વર્ષોથી જીવસૃષ્ટિ છે. કુદરત પણ પહેલાં જેવી જ છે. એ તો આપણે પર્યાવરણને બધી રીતે નુકસાન કર્યું છે. આપણે તેનાં પરિણામો પણ ભોગવી રહ્યા છીએ. સમગ્ર સૃષ્ટિનું સંચાલન ક્રમબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે થઈ રહ્યું છે. આપણા શ્વાસ, વિચારો, અનુભવો, વગેરે સતત ચાલ્યા કરે છે. જો આપણે સકારાત્મક રીતે આ બધું જોઈએ તો ઈશ્વરની કૃપા વિશે અહોભાવ જાગે. ભગવાન કૃષ્ણે એવો ઉપદેશ આપ્યો છે કે જીવનના દરેક ડગલે આપણે નવું શીખીએ છીએ અને નવા અનુભવો પ્રાપ્ત કરીએ છીએ. ફક્ત મનુષ્યોને વિચાર કરી શકે એવું મગજ મળ્યું છે. તેમણે દરેક જીવને સમાન ગણાવ્યો છે અને દરેકને પોતપોતાનાં કર્મ કરવાનો બોધ આપ્યો છે. ભગવાન કૃષ્ણની સામે પણ ઘણા મોટા મોટા પડકારો આવ્યા હતા. દુશ્મનોએ એમને હણી નાખવા માટે પ્રયાસ કર્યા ...

શરીરનું અને દેશનું બંધારણઃ મનુષ્ય અને નાગરિક તરીકેનું આપણી ફરજ

શરીરનું અને દેશનું બંધારણઃ મનુષ્ય અને  નાગરિક તરીકેનું આપણી ફરજ       કોઈ પણ દેશ માટે બંધારણ એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે. એનું મહત્ત્વ અને માહાત્મ્ય જળવાઈ રહે એ જોવાની દરેક નાગરિકની ફરજ હોય છે. એ જ ફરજને પૂરી કરવા માટે બધાએ પોતપોતાની રીતે યોગદાન આપવાનું હોય છે.    આપણા શરીરનું પણ એક બંધારણ હોય છે. કોશિકાઓ, હાડકાં, સ્નાયુઓ, વગેરે એના ઘટકો છે. શરીરનું પણ મહત્ત્વ ટકાવી રાખવા માટે આપણે યોગદાન આપવાનું હોય છે, જેમાં યોગ્ય ખોરાક, વ્યાયામ અને ઊંઘ લેવાનો સમાવેશ થાય છે.    એક વખત દેવકીએ ભગવાન કૃષ્ણને પછ્યું હતું,  " તમે તો ભગવાન છો, તમે મને કંસથી મુક્તિ અપાવવા માટે 14 વર્ષ પછી કેમ આવ્યા ?"  કૃષ્ણે જવાબ આપ્યો,  " મારા ગયા ભવમાં મને મારી માતાથી 14 વર્ષ સુધી દૂર વનવાસમાં રાખવામાં આવ્યો હતો. યશોદા પાછલા ભવમાં કૌશલ્યા હતા. કૌશલ્યા પોતાના પુત્રથી 14 વર્ષ દૂર રહ્યાં તેથી મારે એમના ભાગનો પ્રેમ આપવા માટે એમની પાસે 14 વર્ષ ગાળવાં પડ્યાં. "  આ એક ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે આપણા જીવનમાં કર્મોનું શું મહત્ત્વ છે.    ભગવાને પણ આ સૃષ્ટિનું...