Posts

Showing posts from July, 2022

મારો (કોરોના) પોઝિટિવિટીનો અનુભવ

મારો (કોરોના) પોઝિટિવિટીનો અનુભવ નવા વર્ષની આટલી પોઝિટિવ શરૂઆત ! હું પહેલી જાન્યુઆરીએ જ કોરોના પોઝિટિવ આવી એ કેવો મોટો યોગાનુયોગ. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો ત્યારે પરિવારજનો ચિંતિત થઈ ગયા. તાવ વધવાની સાથે એમની ચિંતા પણ વધી. જોકે, ભૂતકાળમાં મોટી બીમારીઓમાંથી બચી ગયા બાદ મારું આજનું જીવન બોનસ જ ગણાય. હું માનું છું કે ઈશ્વરને મને પોઝિટિવિટીના આ બ્લોગ લખવા માટે જ જીવતી રાખી હતી. મારી (કોરોના) ' પોઝિટિવિટી ' મારા પતિમાં પણ દેખાઈ ! પહેલાં મારી તબિયત બગડી અને મેં પહેલાં ટેસ્ટ કરાવ્યો, પણ પોઝિટિવ રિપોર્ટ પતિનો પહેલાં આવ્યો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ મેં આયુર્વેદના મારા વર્ષો જૂના ડૉક્ટરની સલાહ લીધી. તેઓ 79 વર્ષના છે. મને ઘણા લોકોએ ઘણાં સૂચનો કર્યાં, પણ હું આયુર્વેદિક સારવારને વળગી રહી અને ત્રણ દિવસમાં તાવ, શરદી, વગેરે બધું ગાયબ ! મારા કૉલેજકાળમાં મેં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. મને એના પરથી સમજાયું છે કે દરેક વ્યક્તિએ પહેલાં પોતાના શરીર, મન અને આત્માનો પરિચય કેળવી લેવો જોઈએ અને એમાં જ્યારે પણ કોઈ ફેરફાર થાય ત્યારે તેની નોંધ લેવાની જોઈએ. સકારાત્મકતાના લેખો લખતી વખતે મેં આત્મ...

પ્રકૃતિનું રક્ષણ એ જ આપણા જીવનનું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ

  પ્રકૃતિનું રક્ષણ એ જ આપણા જીવનનું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ કુદરત અને મનુષ્ય એકબીજાનાં પૂરક છે. પ્રકૃતિ માનવીને પોષણ આપે છે અને મનુષ્યો તેનું સંવર્ધન કરે છે. આપણે કુદરતથી જરાપણ અળગા નથી. એના વગર મનુષ્યજીવન સંભવ નથી. પ્રકૃતિના તમામ ઘટકો આપણને ઈશ્વરની સમીપ રહેવાની અનુભૂતિ કરાવે છે, જેમાં પક્ષીઓનો કલરવ, પવનનો સુસવાટો, દરિયાનાં મોજાંનો અવાજ, મોરને થનગાટ, વરસાદનાં છાંટાનો અવાજ, ફૂલોનાં રંગ અને સુગંધ, પતંગિયાંની સુંદરતા એ બધાનો સમાવેશ થાય છે. આથી જ જ્યારે પણ આપણે એ બધાની નિકટ જઈએ છીએ ત્યારે આપણને અવર્ણનીય આનંદની પ્રાપ્તિ થાય છે. આ જ કારણ છે કે મનુષ્ય તરીકે સુખી રહેવા માટે આપણે એ બધી વસ્તુઓનું જતન અને સંવર્ધન કરવું જોઈએ. જળ વિના માછલી જીવી ન શકે એ જ રીતે કુદરત વિના આપણું જીવન શક્ય નથી. જો આપણે પ્રકૃતિને નુકસાન કરીએ તો પરોક્ષ રીતે આપણને જ નુકસાન થાય છે. કોરોના રોગચાળાએ આપણને આ વાત સમજાવી દીધી છે. એ જ રીતે હવામાનમાં આવી રહેલા ફેરફારો પણ તેનું પરિણામ છે. આપણે કુદરત પાસેથી ઘણું શીખવાનું પણ છે. દા.ત. નદી ક્યારેય પોતાનું પાણી પીતી નથી, ઝાડ ક્યારેય પોતાનાં ફળ ચાખતાં નથી. એ જ રીતે આપણે પોતાન...

|| સંકલ્પશક્તિ, હિંમત અને આત્મવિશ્વાસ જાગૃત કરો, દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જશે ||

  સંકલ્પશક્તિ, હિંમત અને આત્મવિશ્વાસ જાગૃત કરો, દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જશે આ પૃથ્વી પર દરેક મનુષ્યનું શરીર તો પંચમહાભૂતોથી જ બનેલું છે, પણ દરેકની પોતપોતાની ખાસિયતો હોય છે એનું શું કારણ ? દરેક મનુષ્ય જે કરવાનું વિચારે છે, જે પ્રતિબદ્ધતા દાખવે છે અને એના માટે તનતોડ મહેનત કરે છે એ જ એની ખાસિયતનું એક કારણ છે. એક થિયરી કહે છે કે આપણે જેવી ભાવના રાખશું એવું જ આપણને પાછું મળશે. આમ, સારી ભાવના હશે તો સારું જ થશે અને ખરાબ ભાવના હશે તો જગત ખરાબ જ લાગશે. આથી આપણે સકારાત્મકતા તરફ લક્ષ આપવાની અને તેનો ફેલાવો કરવાની જરૂર છે. તેના દ્વારા જ આપણે આ જગતને સુંદર બનાવી શકીશું. ભગવાન કૃષ્ણ દેવકી અને યશોદા બન્નેના કહેવાયા. બન્ને માતાઓને ખબર હતી કે એમનો પુત્ર ભગવાન છે અને ધારે તે કરી શકે છે. આમ છતાં તેમણે માતા તરીકેનો પોતાનો ધર્મ સુપેરે બજાવ્યો. નારદ મુનિને પણ ખબર હતી કે કૃષ્ણ ભગવાન છે. આમ છતાં તેમણે કંસને એવું કહ્યું કે દેવકીનું આઠમું સંતાન એને મારશે. આ ઉદાહરણ પરથી કહી શકાય કે દરેક વ્યક્તિ પોતપોતાને મળેલી ભૂમિકાને ઉત્તમ રીતે બજાવે એનું જ મહત્ત્વ હોય છે. હું અપંગ કહેવાતાં બાળકો સાથે કામ ક...

સંતુલિત જીવન જ પ્રસન્નતા બક્ષે છે

  સંતુલિત જીવન જ પ્રસન્નતા બક્ષે છે મન, વચન અને કાયા વચ્ચે સુમેળ રહે ત્યારે જીવનમાં સંતુલન આવે છે. સંતુલન આવે ત્યારે જીવન સંપૂર્ણ અને સાર્થક લાગે છે. કુદરતમાં પણ એક પ્રકારનું સંતુલન છે અને મનુષ્ય જ્યારે કુદરત સાથે તાદાત્મ્ય કેળવે છે ત્યારે પણ સંતુષ્ટિ અનુભવાય છે. વૃક્ષો ઉંચે ઉગે છે, પરંતુ એમનાં મૂળિયાં પણ ઉંડે ઉંડે જતાં હોય છે. આમ, તેઓ સંતુલન જાળવે છે. દિવસભર સૂર્ય પ્રકાશિત રહેવાથી ગરમી થાય છે, પરંતુ ચંદ્ર અને તારાઓ આવીને શીતળતા બક્ષે છે તથા સંતુલન જાળવી રાખે છે. આકાશમાં ઉડતાં પક્ષીઓ ચણ ખાવા પૃથ્વી પર આવીને સંતુલન ટકાવી રાખે છે. દાનવીર કર્ણ મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા બાદ સ્વર્ગે સિધાવે છે અને ત્યાં યમરાજ તેનું ભવ્ય સ્વાગત કરે છે. કર્ણને સ્વર્ગમાં સ્થાન મળ્યા બાદ થોડા સમય પછી ભૂખ લાગવા માંડે છે. ત્યાંના લોકોને આશ્ચર્ય થાય છે કે સ્વર્ગમાં કોઈને ભૂખ લાગતી નથી અને આને કેમ લાગી. દેવગુરુ બૃહસ્પતિ આ બધું જોઈ રહ્યા હતા. તેમણે કર્ણને તર્જની ચાટીને ભૂખ દૂર કરવાનું કહ્યું. આ રીતે કર્ણની ભૂખ દૂર થઈ ગઈ. કર્ણે ભૂખ લાગવા માટેનું કારણ પૂછતાં ગુરુએ કહ્યું, " તે આખી જિંદગી દાનપુણ્ય કર્યું, ...