Posts

Showing posts from August, 2022

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...

  ' વફાદારી ' માત્ર એક શબ્દ નથી , એ તો જીવનશૈલી છે ... ભગવાને આપણી ઇન્દ્રિયો વચ્ચે અદ્ભુત જોડાણો બનાવ્યા ં છે અને બધી ઇન્દ્રિયો એકબીજાને વફાદાર છે . ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ તરીકે ભાષા વિશે અમને શીખવવામાં આવે છે કે પહેલા ં ત મને કાન દ્વારા ધ્વનિના સંદેશા મળે છે અને પછી આંખોથી દૃ શ્ય સંદેશા મળે છે . આ બંને સંદેશા મગજ સુધી પહોંચે છે અને તે નાક દ્વારા ગંધની લાગણી પણ આપે છે . આ સંદેશા ખરેખર શું છે તેનું વિશ્લેષણ થાય છે અને પછી મગજ અને જીભ દ્વારા વાત ચીત થાય છે . તેની સાથે સાથે આપણે પગ અને હાથન ા હાવભાવ સાથે તેને વ્યક્ત કરીએ છીએ . જો ઇન્દ્રિયો એકબીજા પ્રત્યે વફાદાર ન હોય તો તમામ કાર્યોમાં ખલેલ પહોંચે છે . આવું અપંગ કહેવાતા લોકોમાં જોવા મળે છે. જોકે, ખામી ધરાવતી ઇન્દ્રીય અન્ય ઇન્દ્રીયો સાથે એટલી બધી વફાદાર થઈ જાય છે કે એ તેની જીવનશૈલી બની જાય છે . તેઓ તેમની અન્ય ઇન્દ્રિયો નો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે. અર્જુન મહાભારતનું યુદ્ધ લડવા તૈયાર થયા નહીં ત્યારે કૃષ્ણે એમને સમજાવવું પડ્યું કે જો ભીષ્મપિતામહ અને કર્ણ આટલા બુદ્ધિશાળી હોવા છતાં ખોટા માણસોનો સાથ આપીન...

સારું જીવન એ એક પ્રક્રિયા છે, અંતિમ મુકામ નહીં

  સારું જીવન એ એક પ્રક્રિયા છે, અંતિમ મુકામ નહીં વિશ્વાસે વહાણ ચાલે એ અમસ્તું જ નથી કહેવાયું. દરેક સંબંધમાં અને દરેક સંવાદમાં વિશ્વાસ જરૂરી હોય છે. વિશ્વાસ હોય તો તમે સારી રીતે જીવન જીવી શકો છો. સારું જીવન એ એક પ્રક્રિયા છે, અંતિમ મુકામ નહીં. વિશ્વાપૂર્વક ભરેલું દરેક પગલું આપણી જીવનની પ્રક્રિયાને આનંદદાયક બનાવે છે. વળી, કોઈ પણ પ્રક્રિયાને પોતાનો નિશ્ચિત સમય લાગતો હોય છે. તમે દૂધમાં મેળવણ રાખ્યા બાદ એ આખી રાત એમને એમ પડ્યું રહે ત્યારે જતાં એ દહીં બને છે. જો તમે ફ્રીજમાં મૂકી દો તો એ દહીં બને પણ નહીં. એટલું જ નહીં, દૂધને થોડું નવશેકું કર્યા પછી એમાં મેળવણ ઉમેરવાનું હોય છે. આમ, તમે સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે કરો છો એના આધારે દહીંની ગુણવત્તા નક્કી થાય છે. વરસાદનું પાણી આખરે સમુદ્રમાં ભળે છે, પરંતુ માર્ગમાં એ કેટકેટલીય જગ્યાએથી પસાર થાય છે. જે માણસ કોઈ પરિવર્તન લાવવા ઈચ્છતો હોય એણે સમગ્ર પ્રક્રિયા પર વિશ્વાસ રાખીને ચાલવાનું હોય છે અને મહેનત કરતાં જવું પડે છે. ભગવાન રામે પણ 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો અને સીતાજીએ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. રામ પોતે ભગવાન હોવા છત...

કોઈ તબીબીશાસ્ત્ર કરતાં પોતાનું મનોબળ આપણને બીમારીથી જલદી સાજા કરે છે

  કોઈ તબીબીશાસ્ત્ર કરતાં પોતાનું મનોબળ આપણને બીમારીથી જલદી સાજા કરે છે   ગયા વખતે મેં કોરોના પોઝિટિવિટીની વાત કરી. આજે કોરોના નેગેટિવ થયા બાદ વર્તન-વ્યવહારમાં પોઝિટિવ રહેવાની વાતને આગળ વધારવાની છે. કોરોના પોઝિટિવિટીને કારણે ક્વોરન્ટાઇનમાં રહેવું પડ્યું ત્યારે કોઈ પણ કામ વગર રહેવાનું ગમ્યું નહીં. આથી ક્યાંક વિદેશ હોઈએ અને જેટલાં કામ થઈ શકતાં હોય એટલાં કરીએ એ સ્થિતિને મેં યાદ કરી. મેં ક્વોરન્ટાઇનના દિવસોમાં આધ્યાત્મિકતા વિશેનું અને મારા કાર્યક્ષેત્રને લગતું લખાણ વાંચ્યું. મારે એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ધ્વનિપ્રદૂષણ વિશે સંશોધનપત્ર રજૂ કરવાનું હોવાથી મેં આ તકનો ઉપયોગ કરીને એ વિષયે ઘણું વાંચન કર્યું. એમાં એક લેખમાં મેં વાંચ્યું કે મનુષ્ય ઊંઘમાં હોય ત્યારે પણ કોઈ જોખમનો સંકેત આપનારા અવાજને પારખી લે છે. આથી જ ઊંઘ દરમિયાન આવા કોઈ અવાજ આવે તો માનસિક આરોગ્ય પર અસર થાય છે. ધ્વનિપ્રદૂષણ માણસની અવાજ પ્રત્યેની સંવેદનશીલતાને સતત જાગૃત રાખે છે અને તેને કારણે માનસિક તાણ વર્તાય છે. આધ્યાત્મિક વાંચનમાં મને જાણવા મળ્યું કે મન, શરીર અને આત્માને હંમેશાં નકારાત્મક ઘોંઘાટ (બિનજરૂરી વસ્તુઓ)...

નિષ્ઠા, પરિશ્રમ, સેવાભાવના અને પ્રામાણિકતાથી ભરપૂર પ્રેરક વ્યક્તિત્વ એટલે દેવાંગી દલાલ

નિષ્ઠા, પરિશ્રમ, સેવાભાવના અને પ્રામાણિકતાથી ભરપૂર પ્રેરક વ્યક્તિત્વ એટલે દેવાંગી દલાલ નિષ્ઠા, પરિશ્રમ, સેવાભાવના અને પ્રામાણિકતા દ્વારા સામાન્ય સ્થિતિમાંથી વૈશ્વિક સિદ્ધિ મેળવનાર વ્યક્તિનું ઉદાહરણ એટલે દેવાંગી દલાલ. સામાન્ય ગુજરાતી પરિવારમાંથી આવનાર દેવાંગી દલાલ આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ લોકોમાં સકારાત્મકતાના પ્રસારનું કાર્ય કરે છે તથા પ્રેરણા પૂરી પાડે છે. આ વ્યક્તિ આપણા સમાજની છે એ વાતનું આપણે સૌએ ગૌરવ કરવા જેવું છે. તેઓ મહાત્મા ગાંધી અને મધર ટેરેસાને આદર્શ માનીને ચાલનારી વ્યક્તિ છે. દેવાંગી દલાલને જ્યારથી સમજ આવી ત્યારથી તેમણે જીવનમાં એક સૂત્ર ગાંઠે બાંધી લીધું છે. એ સૂત્ર છેઃ પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. આજે તેઓ એ સૂત્રને ચરિતાર્થ કરી રહ્યાં છે. આ દેશની દરેક મહત્ત્વાકાંક્ષી કન્યા અને મહિલા દેવાંગીની અત્યાર સુધીની સફરમાંથી પ્રેરણા લઈ શકે છે. તેઓ દૂરંદેશી અને ભરપૂર અનુકંપા ધરાવે છે અને એક જવાબદાર નાગરિક તરીકેની તમામ જવાબદારીઓ સુપેરે નિભાવે છે. દેવાંગી દલાલના પિતા ખેડૂતના પરિવારના છે. તેઓ શિક્ષણપ્રાપ્તિ માટે મુંબઈ આવ્યા હતા, પરંતુ આર્થિક સગવડના અભાવે...

ધીરજના ગુણથી જ મનુષ્ય જીવન ગૌરવશાળી બને છે

ધીરજના ગુણથી જ મનુષ્ય જીવન ગૌરવશાળી બને છે   કોઈ પણ બાળક જન્મથી જ બોલતું નથી. એને બોલવાનું શીખવામાં નવથી બાર મહિના લાગે છે. બાળકની સાથે વધુ વાત કરો તો એ જલદી બોલતાં શીખી જાય, પરંતુ છ મહિને બોલવા લાગે નહીં. ઘણાં માતાપિતા પોતાનું સંતાન બોલતાં શીખી જશે એવું ધારીને બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી રાહ જોતાં હોય છે. બાળક અચાનક બોલવા લાગશે એવી પણ એમની ધારણા હોય છે. બીજી બાજુ, એવાં પણ માતાપિતા હોય છે, જેઓ બાળક બોલવામાં મોડું કરે તો તેનો ઈલાજ કરાવવા માટે સક્રિય થઈ જતાં હોય છે. એ વાલીઓ બાળકને આવશ્યક મદદ કરવાની ધીરજ ધરાવતાં હોય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બીજને વૃક્ષ બનવામાં વાર લાગતી હોય છે. જો રોપની યોગ્ય માવજત કરવામાં આવે તો એ સારી રીતે વિકસે છે અને ફળ પણ આપે છે. આમ, મહેનતનાં ફળ મેળવવા માટે ધીરજ રાખવી પડે છે. પ્રકૃતિમાં દરેક વસ્તુ પોતપોતાની પ્રક્રિયા ધરાવે છે અને એના માટે પૂરતો સમય લે છે. એ સમયગાળા દરમિયાન ધીરજ રાખવાની જરૂર હોય છે. મહાભારતમાં યુધિષ્ઠિર એક રાજા તરીકે નમ્ર અને બુદ્ધિશાળી હતા. પાંડવોને એમના ગુરુએ ઘણી જ સારી કેળવણી આપી હતી. એમના સખા કૃષ્ણ હતા, પરંતુ એમણે પણ અધર્મની સામે ...