Posts

Showing posts from June, 2022

"જી લો હર લમ્હા બીત જાને સે પહલે, ક્યોં કિ લૌટ કર યાદેં આતી હૈ, વક્ત નહીં... !!"

  " જી લો હર લમ્હા બીત જાને સે પહલે, ક્યોં કિ લૌટ કર યાદેં આતી હૈ, વક્ત નહીં !!" મારી ઉંમરની લગભગ દરેક વ્યક્તિએ અને સાહિત્યમાં રુચિ રાખનાર વાંચકોએ સિન્ડ્રેલાની વાર્તા સાંભળી કે વાંચી જહશે. સાધારણ ઘરમાં જન્મેલી અતિ સુંદર સિન્ડ્રેલાને એની સાવકી માતા અને સાવકી બહેનો ઘણો ત્રાસ આપતી. સિન્ડ્રેલાએ બધી જ તકલીફો સહન કરવી પડતી. એક દિવસ એણે ઘરની બહાર નીકળવાની તક ઝડપી લીધી અને એક પરીની મદદથી રાજકુંવર સાથે એનો ભેટો થયો. રાજકુંવરને મળતાં જ એની જિંદગી સુધરી ગઈ. આ વાર્તા અહીં કહેવાનો આશય   છે કે દરેક મનુષ્યના જીવનમાં પડકારો આવે છે, પરંતુ જ્યારે કોઈ સારી તક મળે ત્યારે એને ઝડપી લેવી જોઈએ, કારણ કે એક તક સમગ્ર જીવનની દિશા-દશા બદલી કાઢવા સમર્થ હોય છે. બીજું એ કે જીવનના પડકારો વચ્ચે પણ સારાં કામ કરવાનું કદી છોડવું જોઈએ નહીં. સકારાત્મક વિચારો અને વર્તનની મદદથી જીવનને યોગ્ય દિશામાં હંકારી શકાય છે. આપણે શબરીનું ઉદાહરણ પણ જાણીએ છીએ.એણે ભગવાન રામ માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરી અને આખરે રામે એના હાથના એંઠા બોર ખાધા. પ્રહ્લાદે પણ ભગવાનને ખૂબ યાદ કર્યા અને એને જ્યારે જરૂર પડી ત્યારે ભગવાન હાજર થઈ ...

|| રચનાત્મકતા જીવનમાં સકારાત્મકતા લાવે છે ||

  રચનાત્મકતા જીવનમાં સકારાત્મકતા લાવે છે " કંઈક નવું સર્જન કરવું હોય તો અખતરા કરવા પડે, વિકસવું પડે, જોખમો લેવાં પડે, ઘરેડ તોડવી પડે. એમાં ભૂલો પણ થાય અને મજા પણ આવે.... " મૅરી લોઉ કૂકનું આ વિધાન છે, જે ઘણું અર્થસભર છે. જો તમે વિમાનમાં બેઠાં બેઠાં નીચે નજર કરો તો તમને ઘણા બધા વિચારો આવવા લાગે. એ વખતે માણસ પોતાનું જીવન જાણે વિમાનના ચાલકને સમર્પિત કરીને બેઠો હોય એવો ભાવ જાગે. ઘણા લોકોને વિમાનમાં પ્રવાસ કરવાનો ડર લાગતો હોય છે, પરંતુ ક્યારેક વિમાનમાં જવાનું વધારે માફક આવે એવું હોય છે. તમે વિમાનમાં નીડર થઈને બેસો તો પ્રવાસની મજા આવે, અન્યથા પૈસા પાણીમાં જાય. મને વિવિધ મંદિરોમાં જવાનો શોખ છે. ઘણાં મંદિરોમાં દેવી-દેવતાઓનાં આખા વર્ષનાં વસ્ત્રો નિશ્ચિત હોય છે. દરરોજના શ્રૃંગાર વિશે પુષ્ટિમાર્ગમાં અમુક વર્ણનો લખેલાં છે, પરંતુ દર વખતે ભગવાન એક સમાન વસ્ત્રોમાં પણ અલગ અલગ દેખાતા હોય છે. ભગવાને પોતે જ્યારે બે માણસો સમાન બનાવ્યા નથી, ત્યારે એ પોતે કેમ રોજ એકસરખા દેખાઈ શકે ! ઈશ્વર પોતાની રચના દ્વારા આપણને એ કહેવા માગે છે કે પૃથ્વી પરના દરેક મનુષ્યે એમના જેવું રચનાત્મક બનવાની જરૂર છે....

દરેક શ્વાસનું મૂલ્ય સમજાય એટલું સારું

  દરેક શ્વાસનું મૂલ્ય સમજાય એટલું સારું ' મૂલ્ય ' શબ્દ અનેક અર્થ ધરાવે છે. આજે આપણે એના વિશે વાત કરીએ. આ લખી રહી છું એવામાં જ વ્હોટ્સએપ પર એક સરસ મેસેજ આવ્યો છેઃ " શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે, માત્ર આપણને આપણાં સ્થાનની ખબર હોવી જોઈએ. " હું તો એમ કહું છુ કે મનુષ્યના દરેક શ્વાસને મૂલ્યવાન ગણવો જોઈએ. જો એનું કોઈ મૂલ્ય ન હોય તો જીવનનો કોઈ અર્થ રહેતો નથી.    વર્ષ 2005ની 26મી જુલાઈનો એ દિવસ દરેક મુંબઈગરાને યાદ છે. એ દિવસે સવારે બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. હું મારી ક્લિનિકે ગઈ અને ત્યાં બપોરે બે વાગ્યા સુધી કામ કર્યું. અચાનક ભારે વરસાદ શરૂ થયો. એકાદ કલાકમાં લોકોને ઘર-ઑફિસની બહાર નીકળવાનું ભારે પડશે એટલો ભારે વરસાદ પડશે એવું કોઈએ વિચાર્યું ન હતું. વળી, હવામાન ખાતાએ પણ કોઈ ચેતવણી આપી ન હતી. અઢી વાગ્યે શાળાઓમાં બાળકોને ઘરે જવાની રજા આપવામાં આવી. મારી મોટી દીકરી વિલે પાર્લે પશ્ચિમમાં શાળામાં હતી અને એક પાડોશી એને શાળાએથી તેડી લાવ્યા. હું એ વખતે સાંતાક્રૂઝમાં હતી. અંતરની દૃષ્ટિએ તો ઘણું નજીક કહેવાય, પરંતુ એ સંજોગોમાં એટલું અંતર પણ ઘણું વધારે લાગવા માંડ્ય...

|| તમે જેને સમસ્યા કહો છો એ ખરેખર સમસ્યા નથી ||

  તમે જેને સમસ્યા કહો છો એ ખરેખર સમસ્યા નથી   આપણે આ બ્રહ્માંડમાં રહીએ છીએ જેમાં તારાઓ, ચંદ્ર, આકાશગંગા તથા અન્ય ગ્રહો છે અને આપણે મનુષ્યો પૃથ્વી પર રહીએ છીએ. પક્ષીઓ, પ્રાણીઓ, વગેરે દરેક વસ્તુનું પોતપોતાનું મૂલ્ય અને અસ્તિત્વ છે. સૂર્ય અને ચંદ્રને ગ્રહણની સમસ્યા નડવા છતાં દિવસ અને રાત થાય છે. માણસો ચંદ્ર, મંગળ પર ગયા હોવા છતાં, પૃથ્વી તેના નિત્ય નિયમ મુજબ કાર્ય કરે છે. ચોમાસું, શિયાળો, ઉનાળો જેવી વિવિધ ઋતુઓ આવે છે, તેમ છતાં પૃથ્વી બધું વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. વાવાઝોડું કે વરસાદ જેવી સમસ્યાઓ દિવસ કે રાતના ક્રમને બદલી શકતી નથી. આપણે ધીમી ગતિએ કામ કરીએ અથવા આ બ્રહ્માંડમાં જીવન ધીમું થઈ જાય છે, પણ તે અટકતું નથી. તે આગળ વધે છે. તેવી જ રીતે, આપણા જીવનમાં વાવાઝોડા અથવા ભારે વરસાદથી સમસ્યાઓ આવી શકે છે, આપણે પૈસા કમાવામાં અથવા સામાન્ય જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવામાં ધીમા પડી શકીએ છીએ પરંતુ આપણે અટકી શકતા નથી, આપણે આગળ વધવું પડે છે. બ્રહ્માંડ આપણને સંદેશ આપે છે કે વાસ્તવમાં, તમે જેને તમારી સમસ્યા ગણો છો એ સમસ્યા નથી, તમે તમારી સમસ્યા પર કેવી પ્રતિક્રિયા આપો છો...