આજે જરૂર છે વફાદારીની જ્યોતને પ્રજ્વલિત રાખવાની
|| આજે જરૂર છે વફાદારીની જ્યોતને પ્રજ્વલિત રાખવાની || અમેરિકાનું સ્ટેચ્યુ ઑફ લિબર્ટી માનવીય સ્વતંત્રતાનું પ્રતીક ગણાય છે. જોકે, તેની સ્થાપના ફ્રાન્સ અને અમેરિકાના લોકો વચ્ચેની મૈત્રી અને સ્વતંત્રતાની પરસ્પરની ભાવનાના પ્રતીકરૂપે કરવામાં આવી હતી. આજની તારીખે એની સાથે બીજા અનેક અર્થ સંકળાઈ ગયા છે. મેં જ્યારે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની મુલાકાત લીધી ત્યારે મને એમાં પોતાના દેશ પ્રત્યેની અમેરિકનોની વફાદારીનાં દર્શન થયાં. કહેવાય છે કે સ્વતંત્રતાની એ દેવીની મશાલની જ્યોત સમગ્ર વિશ્વમાં સત્ય અને ન્યાયનું પ્રતીક છે. વફાદારીની ભાવના ક્યાંય મૂર્ત સ્વરૂપે દેખાતી નથી, એ તો અમૂર્ત છે ; અને દરેકના મનમાં હોય છે. સ્વતંત્રતાની દેવીની મશાલ જે રીતે સદા પ્રજ્વલિત રહે છે એ જ રીતે આપણા હૃદયમાં વફાદારીની ભાવનાની જ્યોત સળગતી રહેવી જોઈએ. આ પ્રતિમાની રચના પણ રસપ્રદ છે. તેના પરનું આવરણ તાંબાનું છે. તાંબુ ઑક્સિજનના સંપર્કમાં આવવાને લીધે ઑક્સિડેશન થાય છે અને તેને લીધે તાંબાના રંગ પર લીલો થર બાઝી જાય છે. આ થરને લીધે તાંબાનું રક્ષણ થાય છે. પ્રતિમાનો રંગ તાંબાના રંગથી બદલીને લીલો થવામાં લગભગ 30 વર્ષ લાગ્યાં છે. આ ...