ચાલો, જીવનને વધુ સુંદર બનાવવા માટે મહેનત કરીએ
||ચાલો, જીવનને વધુ સુંદર બનાવવા માટે મહેનત કરીએ|| કોરોનાના રોગચાળાના દિવસોમાં લોકોએ જોયું છે કે સ્વચ્છ આકાશ જોવા માટે બીજે ક્યાંય જવું પડતું નથી, ઘરે બેઠાં બેઠાં એ દેખાય છે. આપણે લાંબા અંતર સુધી નજર કરી શકીએ છીએ, કારણ કે પ્રદૂષણ ઓછું છે. આશરે 200 કિ.મી.ના અંતરેથી હિમાલયના પર્વતો દેખાયા હોવાના સમાચારો પણ ચમક્યા છે. તેનું પણ કારણ એ જ છે કે હવામાં પ્રદૂષણ નહીંવત્ છે. જો ચોખ્ખી હવાથી આટલું સારું લાગતું હોય તો પ્રદૂષણરહિત-ચોખ્ખા મનથી કેટલું સારું લાગે ! સ્વચ્છ મનથી આપણે જિંદગીને સ્પષ્ટપણે જોઈ શકીશું અને એ સુંદર પણ દેખાશે. કરુણા, માનવતા, સકારાત્મકતા, પ્રેમ, સમજણરૂપી બીજ રોપવાં અને સારા વિચારોરૂપી માટી અને મહેનતરૂપી જળથી તેમનું સિંચન કરવું તથા ઉજ્જવળ ભવિષ્ય માટે તેનું યોગ્ય રીતે જતન કરવું એ આપણા જીવનની પ્રવૃત્તિઓ છે. તેનાથી સુંદર મનુષ્યજીવનનાં ફળ પ્રાપ્ત થાય છે. આપણે રાધા-કૃષ્ણના પ્રેમ પરથી પણ આ વાત સમજી શકીએ છીએ. તેમણે માનવતાનાં બીજ રોપ્યાં, મનુષ્યોને મહેનતથી ભેગા કર્યા, અધર્મનો નાશ કર્યો અને લોકોનું માર્ગદર્શન કરીને એમને સારા મનુષ્યો બનાવ્યાં તથા પોતાના જીવનનો ભોગ આપ્યો. ભગવા...