તમને ચિંતા કરાવવાને બદલે યોગ્ય દિશામાં વિચાર કરવા પ્રેરે એને સકારાત્મકતા કહેવાય
|| તમને ચિંતા કરાવવાને બદલે યોગ્ય દિશામાં વિચાર કરવા પ્રેરે એને સકારાત્મકતા કહેવાય || આપણે બધા જાણીએ છીએ કે સંધ્યાકાળે સૌથી વધુ પ્રમાણમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે. આ સમયે સૂર્યાસ્ત થવાની છે અને ચંદ્રોદય થવાની તૈયારી હોય છે. એને સંક્રાંતિકાળ પણ કહી શકાય. આપણે કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. થોડા વખતમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે એવી સર્વત્ર આશા છે. આમ, અત્યારે પણ સંક્રાંતિકાળ ચાલી રહ્યો છે. મારું માનવું છે કે સમગ્ર વિશ્વને સકારાત્મક ઊર્જાની જરૂર છે, જેથી આપણે જીવનમાં સુંદરતા અને ઉત્કૃષ્ટતાનો અનુભવ કરી શકીએ. ભગવાન રામ અને કૃષ્ણ દેવોના મનુષ્ય અવતાર હતા. હિરણ્કશિપુનો વધ કરવા માટે નરસિંહ અવતારે સંધ્યાકાળની જ પસંદગી કરી હતી. ભગવાનના આ અવતાર પરથી આપણે જોઈ શકીએ છીએ કે એમને મનુષ્યના જીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફોનો અનુભવ થયો હતો, પરંતુ એમણે ગમે તેટલા પ્રતિકૂળ સંજોગોમાં પણ ક્યારેય હાર માની ન હતી. ઈશ્વર પ્રત્યેની મારી શ્રદ્ધા અને ભક્તિને કારણે જ હું સકારાત્મકતાનો પ્રસાર કરવાના આ માર્ગ પર આગળ વધી શકી છું અને વધી રહી છું. ઘણા વાંચકોએ મને કહ્યું છે કે પ્રભુ પ્રત્યેની તમાર...