ભગવાને આપણને આપેલું જીવન જ અમૂલ્ય છે; એનાથી મોટા ખજાનાની જરૂર નથી
ભગવાને આપણને આપેલું જીવન જ અમૂલ્ય છે ; એનાથી મોટા ખજાનાની જરૂર નથી લોકોની પાસે જાતજાતના ખજાના હોય છે. કેટલાક લોકોને રોકડનો સંગ્રહ કરવાનો શોખ હોય છે, તો કોઈની પાસે સોના-ચાંદી, તો કોઈની પાસે ઘણી બધી પ્રોપર્ટી હોય છે. મારા મતે જીવનમાં સૌથી મોટો ખજાનો તો પોતાનાં સંસ્મરણોનો છે. એ એવાં સંસ્મરણો, જેમાં તમને સારામાં સારી લાગણીનો અનુભવ થયો હોય અને તમે જેનું ખૂબ જ જતન કરીને સાચવવા માગતા હો. કહેવાય છે કે, જીવન ઘણું ટૂંકું હોય છે, આથી એને ભરપૂર જીવી લો. પ્રેમ વધારો, ગુસ્સાનો ત્યાગ કરો, ડરને ભૂલી જાઓ અને સારામાં સારી યાદો ભેગી કરો. જો કે, વાસ્તવમાં એવું બને છે કે આપણે રોજબરોજના જીવનમાં સારી યાદો ભેગી કરીને રાખી મૂકવાનું ભૂલી જઈએ છીએ. આપણને જન્મદિવસ, લગ્નદિવસ કે કોઈના પ્રસંગો યાદ રહી ગયા હોય છે, પરંતુ બીજી એવી અનેક ક્ષણોની યાદગીરી છૂટી જાય છે, જેને સાચવીને રાખવાની જરૂર હોય છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે એમણે બાળપણની યાદોના સહારે જ કપરા સમયનો સામનો કર્યો હતો. મારાં માતાપિતાએ જે રીતે મહેનત કરીને અમારાં ભાઈ-બહેનોનો ઉછેર કર્યો, એ યાદ આજે મને ઘણી હૂંફ આપે છે. આપણે દૂધ ચોવી...