Posts

Showing posts from October, 2022

વિશ્વને વધુ સારું બનાવવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની તક ક્યારેય ગુમાવવી જોઈએ નહીં

 વિશ્વને વધુ સારું બનાવવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની તક ક્યારેય  ગુમાવવી જોઈએ નહીં ફોટોગ્રાફીના સાચા પ્રેમીઓ ઘણાં સુંદર સ્થળો, જેમ કે હિમાલય, કૈલાશ પર્વત અને અન્ય ઘણાં પર્વતારોહણ સ્થળોએ સૂર્યોદયની તસવીરો ક્લિક કરવા જાય છે. રસ્તો ગમે તેટલો મુશ્કેલ હોય તેઓ સમયસર પહોંચવાનો પ્રયાસ કરે છે. સૂર્ય ચોક્કસ સમયે ઉગે છે, તમે તે તક ગુમાવી શકો નહીં . જે લોકો પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રકૃતિને પ્રેમ કરે છે તેઓ પણ વાઘ, સિંહ અને દરિયાઈ વ્હેલ અને બીજા ઘણા જીવોને જોવાની એક તક મેળવવામાં ઘણો સમય વિતાવે છે. જ્યારે તમે તે જોવાલાયક સ્થળોની મુલાકાત લો છો ત્યારે એક સમય એવો પણ આવે છે જ્યારે પ્રાણીઓ પાણી માટે અથવા શિકાર કરવા માટે તળાવની મુલાકાત લે છે અથવા ત્યાં હોય છે અને તેમના બચ્ચાં સાથે સમય વિતાવે છે. પ્રકૃતિ પ્રેમીઓ અગાઉથી ઘણું આયોજન કરે છે, તેઓ પ્રાણીઓને નજીકથી જોઈ શકાય એવી જગ્યાઓ બુક કરવાનો પ્રયાસ કરે છે અને તેમના ફોટા ક્લિક કરવાની એક પણ તક ગુમાવતા નથી. તે ફોટા સોશિયલ મીડિયા પર તરત જ અપલોડ થાય છે અને તે બધે ફેલાઈ જાય છે. તે પ્રાણીઓને એ પણ ખબર નથી હોતી કે આપણે તેમના ફોટા શા માટે ક્લિક કરી રહ્યા ...

ચાલો, નવા વિક્રમ સંવત નિમિત્તે આપણે ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત પ્રકાશને અને ઈશ્વરે આપેલા પ્રેમને દુનિયામાં ફેલાવવાનો સંકલ્પ કરીએ

  ચાલો, નવા વિક્રમ સંવત નિમિત્તે આપણે ભગવદ્ ગીતામાંથી  પ્રાપ્ત પ્રકાશને અને ઈશ્વરે આપેલા પ્રેમને દુનિયામાં  ફેલાવવાનો  સંકલ્પ કરીએ   સૌ ગુજરાતીઓને પ્યારી પ્રાર્થનામાં આપણે ગાઈએ છીએ, " ઊંડા અંધારેથી , પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.... " દિવાળી નિમિત્તે આ પ્રાર્થના ખાસ યાદ આવે છે, કારણ કે આપણે દિવાળીના દિવસે અમાસના અંધારાને દીવડાઓ થકી ઉલેચીએ છીએ. જીવનમાં પથરાયેલાં અંધારાંને દૂર કરવાનું આ પ્રતીક છે. કોરોના કાળમાં આપણે જીવનમાં અંધકાર ફેલાયેલો અનુભવી શક્યાં. હજી પણ ઘણા દેશોમાં કોરોનાનો રોગચાળો વિકટ છે. આપણે ભારતીયોએ તહેવારોના પરંપરાગત ઉત્સાહમાં આવીને કોરોનાને બાજુએ રાખી દીધો છે. આપણને ઈશ્વર, સાંસ્કૃતિક મૂલ્યો, સાધુ-સંતો એ બધાએ આપસી સામાજિક સંબંધોનું મહત્ત્વ દર્શાવ્યું છે. સાથે જ આપણે પારિવારિક મૂલ્યોને પણ જાળવીએ છીએ. આપણા ઉત્સવો એમાં નિમિત્ત અને પ્રેરક બને છે. આપણે ધર્મના પંથે ચાલીને ત્યાગ અને બલિદાનની ભાવનાથી જીવીએ છીએ. આર્થિક વિષમતાનો અંધકાર, રોગચાળાને કારણે પરિવારજનો કે પરિચિતો કે સંબંધીઓ ગુમાવ્યાનું દુઃખ, શિક્ષણમાં વ્યત્યય, કામ-ધંધામાં મુશ્કેલીઓ, વગેરે ઢગલાબં...

મનુષ્ય પોતાની સુખાકારી માટે કંઈ કરે છે ખરો?

  મનુષ્ય પોતાની સુખાકારી માટે કંઈ કરે છે ખરો ?     આપણે બધા માણસ છીએ ,  પણ માનવ હોવું પૂરતું નથી ;  આપણે વધુ સારા મનુષ્ય બનવા માટે દરરોજ પ્રયત્ન કરવો જોઈએ. વર્તમાન સમયમાં આપણે આપણી જીવંતતા ગુમાવી રહ્યા છીએ. વાસ્તવિકતા એ છે કે આપણે હંમેશાં આપણી રોજિંદા સમયપત્રકમાં વ્યસ્ત રહીએ છીએ અને આપણી સુખાકારીની કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. ફક્ત આત્મ-જ્ઞાન ,  આત્મ-નિયંત્રણ અને સામાજિક ચેતનાના વિકાસ દ્વારા આપણી સુખાકારી વધી શકે છે. શારીરિક સ્વાસ્થ્ય પર બધા ધ્યાન આપે છે, પરંતુ વ્યક્તિનાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનું શું ?  શું આપણું ધ્યાન હજી એ તરફ ગયું છે ? યુદ્ધ ,  આતંકવાદ ,  લોકોને મારવા માટે પરમાણુ શસ્ત્રો વિકસાવવા ,  એકબીજાની સંપત્તિની ઈર્ષ્યા ,  નૈતિકતાનો અભાવ ,  જવાબદારીઓથી દૂર ભાગવું ,  અધીરપ, વગેરે નકારાત્મક વિચાર પ્રક્રિયાઓ સદા ચાલતી રહે છે.    આપણને પ્રકાશના કિરણની અને ભવિષ્ય માટે થોડી આશાની સખત જરૂર છે. પણ એ માટે કોણ સક્ષમ છે ? પ્રથમ તો દરેકે જે હોય તેના કરતાં વધુ સારા બનવાનું શીખવાની જરૂર છે. સંશોધકો કહે છે ...

આજના યુગમાં હકીકત દુર્લભ છે અને દુર્લભતા હકીકત છે

 આજના યુગમાં હકીકત દુર્લભ છે અને દુર્લભતા હકીકત છે હકીકત દુર્લભ છે અને દુર્લભતા હકીકત છે" એ વાક્ય આજના વ્યવહારમાં વાસ્તવિકતા છે. તમે જોઈ શકશો કે ઘણાં સંતાનો પોતાનાં માતાપિતાનું પૂરતું ધ્યાન રાખતાં નથી. પરિવારમાં પુરુષો ઘરની સ્ત્રીઓને સારી સુવિધાઓ મળે એ વાતને મહત્ત્વ આપતા નથી. ઘણી મહિલાઓ અને કન્યાઓએ મને કહ્યું છે કે એમના ઘરમાં એમની પાછળ પૈસા ખર્ચાય એ એમના પતિ કે પિતાને ગમતું નથી. આથી જ કહેવું પડે કે સ્ત્રીઓની જરૂરિયાતોને સમજી શકે એવા લોકો હકીકતમાં દુર્લભ છે અને આ જ દુર્લભતા આજની હકીકત છે. મેં મારી 30 વર્ષની પ્રૅક્ટિસમાં જોયું છે કે સફેદ હાથી, સફેદ મોર, સફેદ ગાય એ બધું હવે દુર્લભ બની ગયું છે. બીજાં અનેક જીવજંતુઓ અને પ્રાણીઓ નામશેષ થવાના આરે છે. મનુષ્યમાં પણ માનવીયતા હવે દુર્લભ બનતી જાય છે. હાલમાં કોરોના રોગચાળો એક વિકરાળ આપદા હતી. આ પૃથ્વી પર અગાઉ પણ અનેક વિપત્તિઓ આવી ચૂકી છે. ભગવાન ઇન્દ્રના રોષથી મથુરા અને વૃંદાવનમાં પૂરનો પ્રકોપ આવ્યો હોવાની વાર્તા સૌ જાણે છે. એ વખતે કૃષ્ણે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉંચક્યો અને સૌના જીવ બચાવી લીધા. ભગવાન કૃષ્ણે અનેક અવતાર ધારણ કર્યા છે અને...

કોઈ પણ ફૂલ ક્યારેય બીજા ફૂલ સાથે સ્પર્ધામાં ઊતરતું નથી

  કોઈ પણ ફૂલ ક્યારેય બીજા ફૂલ  સાથે સ્પર્ધામાં ઊતરતું નથી તુલસીના છોડને બીજા છોડ સાથે સરખાવો તો તમને દેખાશે કે તુલસીમાં સુંદરતાની દૃષ્ટિએ એવી કોઈ ખાસિયત નથી, જે સુંદર ફૂલ આપનારા બીજા છોડમાં છે. આમ છતાં આપણે તુલસીને મહત્ત્વ આપીએ છીએ. તુલસીનું માહાત્મ્ય આપણા ધાર્મિક ગ્રંથો પ્રમાણે છે એ વાત સાચી, પરંતુ એનું મહત્ત્વ હોવાનું ખરું કારણ ઔષધી તરીકે થતો તેનો ઉપયોગ છે. જરાક અમથી માટીમાં અને પાણી પીવડાવીને તુલસીનો છોડ ઉછેરી શકાય છે. ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ ધરાવો એને બદલે તુલસીનું એક પાન ધરાવો તો તેઓ વધુ ખુશ થતા હોવાનું આપણને કહેવામાં આવ્યું છે. પરંપરાગત રીતે દરેક ઘરમાં તુલસીનો છોડ ઉછેરવાનું મહત્ત્વ છે. તુલસીના એક ઉદાહરણ પરથી કહી શકાય કે એ સાવ સાદી વસ્તુ કેટલું બધું મહત્ત્વ ધરાવે છે. કમળ પણ કાદવમાં ઊગતું હોવા છતાં ઘણું મહત્ત્વ ધરાવે છે. અહીં રામાયણની વાત પણ યાદ આવે છે. ભગવાન રામ રાજકુંવર હોવા છતાં 14 વર્ષ સુધી સાધારણ વ્યક્તિની જેમ જ વનવાસમાં રહ્યા. ભગવાન કૃષ્ણે પણ પાંડવોને વનમાં જવાનું કહીને સાધારણ વ્યક્તિની જેમ જીવવાનું કહ્યું હતું. આ સાથે કહેવાનું કે તમારી સાથે કામ કરનારા તથા અન્ય...