Posts

Showing posts from February, 2022

રોગચાળાથી ડરવાને બદલે મનને સજાગ રાખીને સારાં કર્મો કરતાં જવું

  ||  રોગચાળાથી ડરવાને બદલે મનને સજાગ  રાખીને સારાં કર્મો કરતાં જવું || મેં મગજ અને મન વચ્ચેના તફાવત વિશે વિચાર કર્યો. મનુષ્યનું મગજ શરીરનું અવયવ છે અને તેમાં રક્તકોશિકાઓ તથા મજ્જાતંતુઓનો સમૂહ હોય છે. તેનો ચોક્કસ આકાર અને કાર્યો હોય છે, જે શરીરના હલનચલનથી માંડીને લાગણીઓનું પણ સંચાલન કરે છે. તેનાથી વિપરીત, મન એ અવયવ નથી. તેનો કોઈ આકાર નથી. એ અમૂર્ત છે. મન એટલે માણસનો અંતરાત્મા, એની સમજણશક્તિ અને વિચારપ્રક્રિયા. મગજને સ્પર્શ કરી શકાય, મનને નહીં. મનનો તો ફક્ત અનુભવ થાય. મગજ અને મન વચ્ચેના તફાવતની ચર્ચા એરિસ્ટોટલના વખતથી ચાલી રહી હોવાનું કહેવાય છે, પણ ભારતીય પરંપરામાં તેનો વિશે પ્રાચીન કાળથી વિચાર થયેલો છે. મન શુદ્ધ ઊર્જા ગણાય છે, જ્યારે મગજ એ મનનું શારીરિક સ્વરૂપ કહેવાય છે. દરેક મનુષ્ય પાસે સમાન રીતનું મગજ હોય છે, પરંતુ એની પાસે કામ લેનારું મન અલગ અલગ હોય છે. કોરોના રોગચાળાએ શીખવ્યું છે કે મગજ ગમે તેટલું શક્તિશાળી હોય, આખરે તો મન જ એને દિશા આપી શકે છે. હવે એવો સમય આવી ગયો છે, જ્યારે આપણે મન પ્રત્યે સજાગ થવાની જરૂર છે અને એ માટે મગજને કેળવવાની આવશ્યકતા છે. અહીં દ્રૌપદીનું ઉદા...

પ્રેમપૂર્વક આપવામાં જ ખરું સુખ સમાયેલું છે

 || પ્રેમપૂર્વક આપવામાં જ ખરું સુખ સમાયેલું છે || મનુષ્યોની જેમ જ પશુ-પંખીઓ અને વનસ્પતિ શ્વાસ લે છે અને અલગ અલગ ખોરાક ખાય છે. એટલું જ નહીં, આપણી જેમ જ તેઓ પણ પ્રજોત્પત્તિ કરે છે. ફરક એટલો જ છે કે આપણે આપણાં બાળકોને બધું શીખવવું પડે છે, બીજા જીવોનાં બાળકોને એટલે કે બચ્ચાંને આપોઆપ બધું આવડી જાય છે. મનુષ્યો પોતાનાં બાળકોને જીવનનાં બધાં જ સુખ એકસાથે આપી દેવાની લહાયમાં હોય છે. પશુ-પંખીઓ પણ પોતાનાં સંતાનોને પ્રેમ કરે છે, પરંતુ એમને એમની રીતે વિકસવા દે છે.  રામાયણ અને મહાભારત વાંચતી વખતે મને વિચાર આવ્યો કે ભગવાન રામે રાવણ સાથે, કૃષ્ણે કંસ સાથે અને પાંડવોએ કૌરવો સાથે ઓચિંતું યુદ્ધ કરવું પડ્યું ન હતું. રામ, કૃષ્ણ અને પાંડવો એ બધાએ સામેના પક્ષને ધર્મનો ખરો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સમજ્યા નહીં ત્યારે આખરે યુદ્ધનો માર્ગ અપનાવવો પડ્યો હતો. કંસને આકાશવાણી સાંભળવાને કારણે એટલો ડર પેસી ગયો હતો કે એણે દેવકીનાં સાતેય સંતાનો અને બીજા કેટલાય લોકોના જીવ લઈ લીધા. ડર બીજાઓને મારી નાખે છે, જ્યારે પ્રેમ અન્યોને જીવાડે છે. આપણે શું કરવું છે એનો નિર્ણય જાતે લેવાનો છે.  આજે મન...

અન્યોને મદદરૂપ થઈને મળતો આનંદ એ જ આપણી આંતરિક શાંતિ

 || અન્યોને મદદરૂપ થઈને મળતો આનંદ એ જ  આપણી આંતરિક શાંતિ || 'શાંતિ' શબ્દ કાને પડતાં જ આપણને સફેદ રંગ કે કબૂતર કે મેડિટેશન યાદ આવે છે. મારું માનવું છે કે આંતરિક શાંતિ એટલે સૂર્યની જેમ પ્રકાશિત રહેવું. પર્વત પરથી વહેતું ઝરણું નદીમાં ભળી જાય છે અને નદી સમુદ્રમાં જઈને ભળે છે. વચ્ચે માર્ગમાં આવતી અનેક વસ્તુઓ એ પ્રવાહમાં જોડાતી જાય છે. આ જ રીતે જીવનનું ઝરણું વિવિધ પ્રકારના અનુભવો અને લાગણીઓનું મિશ્રણ બનીને વહે છે.   મધર ટેરેસાએ કહ્યું છે, "શાંતિની શરૂઆત સ્મિતથી થાય છે." હું એમાં થોડો ઉમેરો કરીને કહું છું, "આંતરિક શાંતિની શરૂઆત કોઈને મદદરૂપ થઈને એમના ચહેરા પર સ્મિત લાવવાથી થાય છે."  કૃષ્ણ ભગવાનની તસવીર જોઈએ તો એમનો ચહેરો હંમેશાં નિર્દોષ અને હસતો દેખાય છે. એમના સ્મિતમાં ઘણા ઉંડા અર્થ સમાયેલા છે. એમણે જીવનના તમામ પડકારોનો સામનો હસતું મોં રાખીને જ કર્યો. એમનું એ કુદરતી સ્મિત ક્યારેય ચહેરા પરથી ગાયબ થયું ન હતું.  કૃષ્ણનો મનુષ્ય અવતાર આપણા સૌ માટે એક મહામૂલી મિરાત છે. તેમણે આંતરિક શાંતિ અને સુખનો માર્ગ બતાવ્યો છે. પરિવર્તન હંમેશાં જરૂરી છે એવું એમના જીવન પરથી સ્પષ્ટપણે ...

જેની પાસે ઈશ્વરદત્ત શક્તિ છે તેણે બીજી કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી

  ||  જેની પાસે ઈશ્વરદત્ત શક્તિ છે  તેણે બીજી કોઈ વાતની ચિંતા  કરવાની જરૂર નથી || આપણે સૌ જાણીએ છીએ કે જરૂરિયાત એ શોધની જનની છે. આ પૃથ્વી પર થયેલી દરેક શોધ કુદરતની મદદથી થયેલી છે અને આપણા ભલા માટે છે. જો તમે વિશ્લેષણ કરશો તો જણાશે કે શોધ કરવા માટેના કોઈ નિયમો હોતા નથી. તમે કોઈ પણ કુદરતી વસ્તુમાં કલ્પનાશક્તિ ભેળવો તો તેનું ઉત્તમ પરિણામ મળે છે, એ વસ્તુ અનોખી બને છે. મેં એક ચિત્ર જોયું હતું, જેમાં ચિત્રકારે એવી અદભુત કળા દર્શાવી હતી કે તમે ચિત્રમાં પાણીને જોઈ શકો અને એમાં તમારું પ્રતિબિંબ ઝિલાતું હોય એવું પણ તમને દેખાય. પારદર્શકતાને રંગમાં કેવી રીતે દર્શાવી શકાય એ એક મોટો કોયડો છે, નહીં ? કોરોના રોગચાળા દરમિયાન મનુષ્યે એવી કેટલીય શોધ કરી છે, જે પ્રવર્તમાન આપદાની સ્થિતિમાં ઉપયોગી થાય. કુદરતી આપત્તિ આવે ત્યારે મનુષ્યોની હોડ, ધાર્મિક ઝઘડા, પૈસા પાછળની દોડ, વગેરે કંઈ જ કામ આવતું નથી. આમ, આપણને કોરોનાએ ઘણું શીખવ્યું છે અને કંઈક નવું કરવા પ્રેર્યા છે. મીરાંબાઈ રાજવી પરિવારની પુત્રવધૂ મહાન દીકરી, પત્ની, પુત્રવધૂ, એ બધું જ હતાં અને છતાં સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરતાં. તેની પ...