ચાલો, જીવનના પ્રકાશમાંથી શ્વેત રંગ શોધીએ!
|| ચાલો, જીવનના પ્રકાશમાંથી શ્વેત રંગ શોધીએ ! || પ્રકાશ વગર જીવન સંભવ નથી અને શ્વેત રંગ વગર બીજો કોઈ રંગ સંભવ નથી. સફેદ રંગ આશાનું પ્રતીક છે. એટલું જ નહીં, એ રંગ શાંતિ, નિર્દોષતા, પૂર્ણતા, શુદ્ધતા, સ્પષ્ટતા, સાદગી, સ્વચ્છતા, પ્રારંભ, સમાનતા, એકતા, મુક્તિ અને જાગૃતિનું પણ પ્રતીક મનાય છે. હવે આપણે એ સમજવાનો સમય આવી ગયો છે કે જો આપણે સફેદ રંગનું મૂલ્ય યોગ્ય રીતે સમજી લઈએ તો જ આપણા જીવનમાં બીજા રંગો ઉમેરી શકીએ છીએ. આપણે સકારાત્મકતા, સારાપણું લાવવાનું છે અને સ્વની ઓળખ કરીને નવેસરથી જીવનને માણવાનું શરૂ કરવાનું છે. મને લાગે છે કે જો આપણે આ કામ કરવામાં સફળ રહીશું તો પરીકથાના ચમત્કાર જેવી એ ઘટના હશે. તેનાથી આપણે નવપલ્લવિત થઈશું અને તળાવમાં પાણીના આંતરિક ખળખળાટ વચ્ચે પણ શાંતિપૂર્વક તરતા હંસની જેમ આપણે પોતાના જીવનમાં શાંતિ લાવીશું. તમે ધ્યાનથી જોશો તો ખયાલ આવશે કે આપણા દેશનાં મોટાભાગનાં મંદિરોમાં શ્વેત રંગનો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે, કારણ કે તેમાં શુદ્ધતા, દૈવીપણું અને શાંતિ સમાયેલાં છે. જેઓ ઈશ્વરમાં અને પ્રેમમાં માને છે તેઓ સફેદ રંગનું મહત્ત્વ સમજે છે. વૃંદાવનમાં રાધા-કૃષ્ણના પ્ર...