Posts

Showing posts from February, 2021

ચાલો, આપણે શરીર, મન અને આત્માને તંદુરસ્ત બનાવીએ અને જિંદગીને માણીએ

  || ચાલો, આપણે શરીર, મન અને આત્માને તંદુરસ્ત બનાવીએ અને જિંદગીને માણીએ || શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત અને મન તંદુરસ્ત તો આત્મા તંદુરસ્ત. હાલ કોરોનાના રોગચાળાને કારણે કપરો સમય ચાલી રહ્યો છે. આ રોગચાળાએ આપણને તંદુરસ્તી જાળવવાનું મહત્ત્વ સમજાવી દીધું છે. પૈસા અને પ્રતિષ્ઠા કરતાં આપણું શારીરિક અને માનસિક આરોગ્ય વધારે મહત્ત્વનું છે એ પણ આપણે સમજી ગયા છીએ. મન, શરીર અને આત્મા જ્યારે એક જ દિશામાં જતાં હોય ત્યારે આપણને મળતો જીવનનો આનંદ અલગ જ હોય છે. જેને સંતોષ હોય એ માણસ જીવનને જાણી અને માણી શકે છે. પૃથ્વીના પરિભ્રમણને લીધે દિવસ-રાત થાય છે. દિવસનો સમય આપણા મગજ અને શરીરને કામ કરવા માટે હોય છે અને રાતનો સમય એમને આરામ કરાવવા માટેનો હોય છે. જો શરીરને પૂરતો આરામ મળ્યો હોય તો મન પણ સારી રીતે કામ કરી શકે છે. શરીર જેટલું કરવા દે એટલું જ કામ કરવું જોઈએ. શારીરિક આરોગ્ય સાચવ્યું હોય તો માનસિક આરોગ્ય જળવાઈ રહે છે. ચંદ્રની કળા કૃષ્ણ અને શુક્લ એમ બન્ને પક્ષમાં વધ-ઘટ થાય છે. આપણે જોયું છે કે આપણા મોટાભાગના તહેવારો શુક્લ પક્ષમાં હોય છે, જ્યારે ચંદ્રની કળા વધતી હોય છે. એ કાળમાં ઘણી સકારાત્મકતા હ...

ચાલો, આપણે ફરીથી નિર્દોષ બાળકો પાસેથી સ્મિતની, નિર્ભેળ હાસ્યની ભાષા શીખીએ

  || ચાલો, આપણે ફરીથી નિર્દોષ બાળકો પાસેથી સ્મિતની, નિર્ભેળ હાસ્યની ભાષા શીખીએ || આપણને નિર્ભેળ-નિર્દોષ સ્મિતની ભાષા તો ફક્ત બાળકો જ શીખવી શકે. એમનું મન આપણે વર્ષોથી કહેતાં આવ્યા છીએ એમ ' કોરી પાટી ' જેવું હોય છે. એ ફ્લેક્સિબલ એટલે કે લવચીક પણ હોય છે અને હંમેશાં કંઈક નવું શીખવા સજ્જ હોય છે. એમના માટે આકાશ વિશાળ અને સુંદર હોય છે. બાળક ગમે તે ધર્મમાં, સામાજિક-આર્થિક સ્થિતિમાં કે દેશમાં જન્મ્યું હોય, તેની વિચારવાની પ્રક્રિયા હંમેશાં સમાન હોય છે અને એ બધું જ સ્વીકારવા તૈયાર હોય છે. જીવન આગળ વધતાં કેવું હશે એનો એમને જરાપણ ખયાલ હોતો નથી. આપણે રગશિયા ગાડા જેવી જિંદગીમાં અને ઘટમાળ જેવા સંજોગોમાં એ ભૂલી ગયા છીએ કે બાળક તરીકે આપણે પણ જિંદગીનો આનંદ માણેલો છે. કોઈની પણ સાથે તુલના કરીએ નહીં તો આપણે સુખી રહી શકીએ છીએ. તેનાથી જીવનમાં બીમારીઓ હોય કે બીજી મુશ્કેલીઓ હોય, તેમનો સામનો કરવાની તાકાત મળી રહે છે. મને લાગે છે કે એ બાળસહજ વૃત્તિ ફરીથી કેળવીને આપણે ફરીથી જીવનને માણવા લાગવું જોઈએ. જ્યારે પણ આપણને નિરાશા થાય ત્યારે આપણે બાળકના નિર્દોષ ભાવ સામે અને એમના નિર્ભેળ સ્મિત સામે જોવું જ...

|| ચાલો, આપણે જે છીએ તેના કરતાં વધુ સારા માનવી બનીએ ||

  || ચાલો, આપણે જે છીએ તેના કરતાં વધુ સારા માનવી બનીએ || કોરોનાનો રોગચાળો આપણને કંઈક નવું શીખવવા માટે આવ્યો છે. આ સંદેશ ગ્રહણ કરીને આપણે અત્યારે છીએ એના કરતાં વધુ સારા મનુષ્ય બનવાનો પ્રયાસ કરીએ. અત્યારે લોકો સાથે હળવા-મળવાનું બંધ થઈ ગયું છે. આમ, સંપર્ક રહ્યો નથી. અત્યારે રીતિરિવાજો, પૈસા, મોભો, સુખ-સગવડો, પ્રવાસ, વિકાસ, વગેરે બધું બાજુએ રહી ગયું છે. અત્યારે કોઈને પણ પૂછો તો એમ જ કહેશે કે આ મુશ્કેલ સમય પસાર થઈ જાય એટલે ભયો ભયો ! કંઈ પણ કરીને આ કપરા સમયમાંથી પાર પડવાનું છે ! ઑડિયોલૉજિસ્ટ અને સ્પીચ થેરપિસ્ટ તરીકે મારું કામ સંવાદ એટલે કે બોલવાની અને સાંભળવાની ક્રિયા સાથે છે. આપણે સુસંવાદ દ્વારા સારામાં સારું વિશ્વ કેવી રીતે રચી શકીએ એના વિશે સંશોધન કરવાનું મને ઘણું ગમે છે. સંવાદમાં 80 ટકા હિસ્સો માણસ જે લાગણીઓ અનુભવે છે તેનો હોય છે અને બાકીનો 20 ટકા હિસ્સો માણસ જે શીખે છે તેનો હોય છે. સંવાદમાં શારીરિક, મનોવૈજ્ઞાનિક, મનોસામાજિક, ભાવનાત્મક પાસાં સંકળાયેલાં હોય છે. એક પાસું આધ્યાત્મિક છે, જે આપણને ઈશ્વર સાથે સાંકળે છે. સંવાદમાં જ્યારે આધ્યાત્મિક પાસું ભળે ત્યારે મનુષ્ય પોતાને વધુ...