સકારાત્મક ઉર્જાનો સંચાર આંતરિક ઉર્જાના પ્રવાહને વધારે છે
સકારાત્મક ઉર્જાનો સંચાર આંતરિક ઉર્જાના પ્રવાહને વધારે છે આ કહેવત મારી જીવનશૈલીનો એક અગત્યનો ભાગ બની ગઈ છે, અને હું મારા અનુભવથી કહું છું કે એ ખરેખર કામ કરે છે. જ્યારે કોરોનાકાળ આવ્યો ત્યારે લોકો પોતાના અને સ્વજનોના સ્વાસ્થ્યને લઈને ભયભીત થયા હતાં અને એ ભય સ્વાભાવિક હતો. હું પણ ડરી ગઈ હતી અને ઘરેથી કામ કરવાની શરૂઆત કરી. એ સમયે ઘરેથી હું બધુ કેવી રીતે વ્યવસ્થાપન કરીશ અને સંભાળીશ એ મામલે હું અન્ડરકોન્ફિડેન્ટ હતી. બાળકોને હું ઓનલાઈન કન્સલ્ટ કરતી હતી. સાંભળવામાં અને બોલવામાં તકલીફ હોય એવા બાળકોને કેટલી તકલીફ પડી રહી હતી એ મેં મારી આંખે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો તેમની હકીકત છે. બાળપણથી જ તેઓ સાંભળતા લોકોની દુનિયામાં સંવાદ કરવામાં સંઘર્ષ કરે છે. છતાં, તેઓ ઉત્સાહથી શીખવા તૈયાર રહે છે, સંઘર્ષ કરતા રહે છે અને નિરાશ નથી થતાં. તેઓ દરેક દિવસે "સામાન્ય" દુનિયામાં ફિટ થવાની કોશિશ કરે છે. એ સમયે મેં સકારાત્મકતા વિશે લખવાનું શરૂ કર્યું. મારા કામમાંથી પ્રેરણા લઈને, આજે મારા મન, શરીર અને આત્મામાં સકારાત્મક ઊર્જા વહે છે. છેલ્લા પાંચ વર્ષમાં મેં 250 થી વધુ લેખો લખ્યા છે. મુસાફરી સમય દરમિય...