Posts

Showing posts from February, 2023

માનસિકતા બદલો, જીવન જરૂર બદલાશે

માનસિકતા બદલો ,  જીવન જરૂર બદલાશે    એક સમયે મનુષ્ય ગુફાઓમાં રહેતો અને પાંદડાનાં વસ્ત્રો પહેરતો. આજે દેશ-વિદેશમાં કેટકેટલીય ફેશન પ્રચલિત છે. મનુષ્યની ઉત્ક્રાંતિમાં સતત કંઈક ને કંઈક નવું થયા કરે છે અને પહેલાંના સમય કરતાં આજકાલ પરિવર્તનો ઘણા ઝડપથી આવી રહ્યાં છે.    જો કે ,  હજી જીવનનાં મૂળભૂત તત્ત્ત્વો કે સિદ્ધાંતોમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. મનુષ્ય હંમેશાં પડકારોને ઝીલીને પ્રગતિ કરતો આવ્યો છે. સાથે સાથે આપણે એવાં પણ ઉદાહરણો જોઈએ છીએ કે દુનિયાની નજરે સફળ માણસ અચાનક જ આત્મહત્યા કરી બેસે છે. આના પરથી કહી શકાય કે મનુષ્યની માનસિકતા એના વર્તન-વ્યવહાર પર અસર કરે છે.    ભારતમાં આપણે દેવી-દેવતાઓ પર શ્રદ્ધા રાખીએ છીએ. આપણે પોતાને સુખી અને સમૃદ્ધ રાખવા માટે ઈશ્વરને વિનવણી કરીએ છીએ. કોઈ આપદા આવે ત્યારે ભારતમાં એક સમયે લોકો એવું માનતા કે ભગવાન ગુસ્સે થયા છે. આજે પણ લોકો અલગ અલગ ઈચ્છાઓ અને અપેક્ષાઓ લઈને મંદિરમાં જાય છે. કોઈ પોતાની ભૂલ બદલ ક્ષમા માગે છે ,  તો કોઈ પોતાના લગ્ન માટે આશીર્વાદ માગે છે. કોઈ સંતાન ઈચ્છે છે ,  તો કોઈ જીવનમાં શાંતિ મેળવવા માગે...

શિક્ષકો છે આપણા સાન્તાક્લોઝ

શિક્ષકો છે આપણા સાન્તાક્લોઝ       સાન્તાક્લોઝ ફક્ત પશ્ચિમી જગતના નહીં, પરંતુ સમગ્ર વિશ્વના બની ગયા છે. છેલ્લાં થોડાં વર્ષોથી ભારતમાં પણ  ' સિક્રેટ સાન્તા '  નામની પદ્ધતિ પ્રચલિત થઈ છે, જેમાં ભેટ આપનારનું નામ જણાવ્યા વગર ભેટની આપ-લે કરવામાં આવે છે. આવા સમયે ભારતીય પરંપરાનો પણ વિચાર આવે છે. આપણી સંસ્કૃતિમાં ગુરુ, જેઓ આપણને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ભણાવે છે, આપણને શિક્ષણની ભેટ આપે છે, તેઓ પણ સિક્રેટ સાન્તા જ છે. આપણા વડવાઓએ આપણને શીખવ્યું છે એ આ વિશ્વમાં આપણા આદ્ય દેવતા, માતા પિતા અને આધ્યાત્મિક ગુરુઓ તથા શિક્ષકોનો આદર કરવો જોઈએ, કારણ કે તેઓ બધા આપણને યોગ્ય રાહ ચિંધે છે. આપણે વિશ્વમાં ગમે તેટલા મોટા થઈએ પરંતુ એની પાછળ સૌથી મોટું પરિબળ તો શિક્ષકોએ આપણને આપેલી શિક્ષણની ભેટ છે.    ભગવાન શ્રીકૃષ્ણને પણ ગુરુઓ જ્યારે ભણાવતા હતા ત્યારે એમને પૂરેપૂરી ખબર હતી કે ધર્મનું રક્ષણ કોણ કરવાનું છે. ભગવાન કૃષ્ણ અને સુદામાના ગુરુ એક જ હતા. તેઓ બંને મિત્રોને અમુક કામ સોંપતા. વનમાં જઈને પ્રાણીઓનો અભ્યાસ કરવો એ કામ એમને સોંપવામાં આવતું. બંનેને એક સમાન ભાથું બાંધી આપવામાં આવત...

આજના યુગમાં ઘોંઘાટની સાથે નકારાત્મકતાથી પણ દૂર રહેવાની જરૂર

આજના યુગમાં ઘોંઘાટની સાથે નકારાત્મકતાથી પણ  દૂર રહેવાની જરૂર      વૈશ્વિક આરોગ્ય સંસ્થાનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં વિશ્વભરમાં આશરે 1.1 અબજ યુવાનોને સાંભળવાની તકલીફ થશે. આજના સમયમાં સંગીત સાંભળવા માટે ઇયરફોનનો ઉપયોગ થતો હોવાથી સમસ્યા વકરવાની છે. આથી આ સમગ્ર વર્ષમાં આપણે એ સંદેશો વહેતો કરવાનો છે કે કોઈએ શ્રવણશક્તિની અવગણના કરવી નહીં. ખરું પૂછો તો કોરોનાએ આપણને શારીરિક અને માનસિક આરોગ્યનું મહત્ત્વ સમજાવી દીધું છે. આપણે ફક્ત શરીર નહીં, મન અને આત્માને પણ સાંભળવાની જરૂર છે. આની સાથે સાથે એ પણ કહેવાનું કે આપણે ફક્ત પોતાનું નહીં, આસપાસના સૌ લોકોનું ધ્યાન રાખવાનું છે. આથી જ સૌને સંદેશો પહોંચાડવો જોઈએ કે શ્રવણશક્તિની કાળજી લેવી. મેં શ્રવણમંદ લોકોની તકલીફોને ધ્યાનથી સાંભળી અને તેનો ઈલાજ કર્યો. એમને સાંભળીને હું મારી કાળજી લેતાં પણ શીખી છું. મારી નિપુણતાની જેમને જરૂર છે એવા લોકોને હું મદદરૂપ થાઉં છું. થોડા વખત પહેલાં અમે કંપનીઓના કર્મચારીઓ માટે એક શિબિરનું આયોજન કર્યું હતું. એમની મનોવૈજ્ઞાનિક સ્થિતિનું પણ અમે એમાં આકલન કર્યું હતું. લગભગ અડધોઅડધ કર્મચારી...

એકબીજા સાથેનો રોમાન્સ જ નહીં, પરસ્પરનો આદર પણ પ્રેમ છે

એકબીજા સાથેનો રોમાન્સ જ નહીં, પરસ્પરનો આદર પણ પ્રેમ છે   મહાત્મા ગાંધીએ કહ્યું છે,  " જ્યાં પ્રેમ છે ત્યાં જીવન છે. "  અત્યારે પ્રેમના નામે ફક્ત વિજાતીય વ્યક્તિ પ્રત્યેના આકર્ષણની વાત ચાલી રહી છે. હકીકતમાં પ્રેમ કુદરત અને મનુષ્યો વચ્ચે પણ હોય છે, માતાપિતા અને સંતાનોનો પણ હોય છે અને નાગરિકોનો દેશ પ્રત્યે પણ હોય છે.    જો તમારા જીવનમાં કોઈના પ્રત્યે પ્રેમ જ ન હોય તો શું થાય એની કલ્પના કરી જુઓ. દરેક વસ્તુ કંટાળાજનક બની જશે. તમારું જીવન લોકોની વચ્ચે નહીં, પણ એક અંધારકોટડીમાં વીતે એવી કલ્પના કરી જુઓ. દરેકને મુક્ત હવામાં શ્વાસ લેવાનું ગમતું હોય છે. દરેકને ક્યારેક એકલા રહેવાનું ગમતું હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ હંમેશાં એકલા રહેવાની વાત કરતી નથી. એકલા રહેનારા લોકોએ પણ માંદે-સાંજે બીજાઓની મદદ લેવી પડતી હોય છે.    જો આવું જ હોય તો શું કામ આપણે લોકો સાથે પ્રેમથી રહેવું ન જોઈએ, શું કામ બીજાઓ સાથે આનંદપૂર્વક રહેવું ન જોઈએ, શું કામ જિંદગીની દરેક પળને બીજા મનુષ્યો સાથે રહીને માણવી ન જોઈએ ?     હું ભગવાન કૃષ્ણને, મને પોતાને, મારા પરિવારને, મારા સમાજને અને...