Posts

Showing posts from September, 2022

આ વિશ્વમાં ભગવાન સિવાય કોઈ જ પરિપૂર્ણ નથી

 આ વિશ્વમાં ભગવાન સિવાય કોઈ જ પરિપૂર્ણ નથી આ દુનિયામાં કોઈ જ માણસ પરિપૂર્ણ નથી, દરેકે પરિપૂર્ણ બનવા માટે પ્રયત્ન કરવા પડે છે.આપણને કામ કરવાના આઠ કલાક, ઊંઘના આઠ કલાક અને ઇતર પ્રવૃત્તિઓના આઠ કલાક મળે છે. આપણે એ બધામાં નિયમિતતા જાળવવાની હોય છે અને દરેક પ્રવૃત્તિ શાંતિપૂર્વક કરવાની જરૂર હોય છે. જન્મથી જ કોઈ પરિપૂર્ણ નહીં હોવાને લીધે ધીમે ધીમે બધું શીખવું પડે છે. આપણે સુઘડ દેખાવું પડે છે અને રોજિંદા જીવનની આવશ્યક ચીજવસ્તુઓ પોતાની પાસે રાખવી પડે છે. આજકાલ મોબાઇલ આવશ્યક વસ્તુઓમાં સામેલ છે. મારા ઘરમાં હું શિસ્તની આગ્રહી છું. મારી સાથે તમામ પરિવારજનો પણ શિસ્તમાં માને છે અને દરેક કામ પદ્ધતિસર કરે છે. દરેક બાબતે પરિપૂર્ણ બનવા માટે કામ કરવું પડે છે, પણ સાથે એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ વિશ્વમાં ભગવાન સિવાય કોઈ જ પરિપૂર્ણ નથી. આથી જ ભગવાનને પૂર્ણપુરુષોત્તમ નામ આપવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાનના એક પુસ્તકમાં ત્રિવક્રની વાર્તા છે. એને કુબ્જા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ કંસના દરબારમાં ફૂલોમાંથી સુગંધી દ્રવ્યો બનાવીને લઈ જતી. જન્મથી એ સુંદર હતી, પરંતુ એક બીમારીને લીધે એની ખૂંધ વળી ગઈ હતી. ત્રણ ...

ઉત્કૃષ્ટતાના પંથે આગળ વધો, પણ નીતિમૂલ્યોનું જતન કરીને

ઉત્કૃષ્ટતાના પંથે આગળ વધો, પણ નીતિમૂલ્યોનું જતન કરીને   તમે કૂનુર પર્યટન સ્થળે જાઓ તો ત્યાંની મદ્રાસ રેજિમેન્ટની છાવણીમાં એનો મુદ્રાલેખ લખેલો છેઃ ' ઉત્કૃષ્ટતાના પંથે ' . છાવણીની બહાર લખ્યું છેઃ " પોતાની ફરજ પર અવસાન થાય એ ગૌરવનો વિષય છે. " આ એક છાવણીની મુલાકાત પરથી આટલી મોટી વાત જાણવા મળે છે, તો વિચાર કરો કે દેશનાં તમામ લશ્કરી સ્થળોએ કેટલી બધી કામની વાતો જાણવા-જોવા મળશે ! આપણાં લશ્કરી જવાનો દેશની રક્ષાના એકમેવ ધ્યેય સાથે કામ કરે છે અને દેશ માટે કુરબાની આપવામાં ગર્વ અનુભવે છે. જેઓ પોતાનાં બાળકોને લશ્કરમાં મોકલવા ઈચ્છે છે તેઓ ખરેખર હિંમતવાળા કહેવાય. સામાન્ય માણસો દેશ મારા માટે શું કરી શકે છે એવું વિચારતા હોય છે, જ્યારે લશ્કરી જવાનો પોતે દેશ માટે શું કરી શકે છે એવું વિચારતા હોય છે. કોરોના રોગચાળાની સ્થિતિ પણ એમને અસર કરી શકી ન હતી. એમને જોઈને મને પણ પ્રેરણા મળી છે અને હું પણ ઉત્કૃષ્ટતાના પંથે આગળ વધવા માગું છું. ભગવદ્ ગીતામાં પણ ઉત્કૃષ્ટતાના માર્ગે જવા વિશે મહત્ત્વપૂર્ણ બોધ આપવામાં આવ્યો છે. કર્મયોગી અને જ્ઞાનયોગી એ બન્નેમાંથી કોણ વધારે મહત્ત્વનું છે એવું અર્જુ...

નિષ્ઠા અને પ્રતિબદ્ધતા બોલવાની વાત નથી, જીવનમાં ઉતારવાના ગુણ છે

 નિષ્ઠા અને પ્રતિબદ્ધતા બોલવાની વાત નથી, જીવનમાં ઉતારવાના ગુણ છે નિષ્ઠા કે પ્રતિબદ્ધતા એ ફક્ત બોલવાની વાત નથી, એ તો આપણા જીવનમાં ઉતારવાના ગુણ છે. એ આપણા વર્તનમાં દેખાવી જોઈએ. આપણે દેશની આઝાદી માટે લડેલા કેટલાય નેતાઓ અને શહીદોની વાતો જાણીએ છીએ. બીજા કેટલાય એવા હશે જેના વિશે ક્યાંય કોઈ વાત થઈ નથી. એટલું જ નહીં, એમના પરિવારજનોએ પણ ક્યારેય એમનું નામ થાય એ માટેનો પ્રયાસ કર્યો નથી. દેશ માટેની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા એ શહીદોની શહીદી દ્વારા વ્યક્ત થઈ છે. આજે યુગ પલટાયો છે. લોકો સેલ્ફીના કલ્ચરમાં રાચે છે અને દરેક જગ્યાએ પોતાનું નામ અને વાહવાહ થાય એવી ઈચ્છા રાખતા હોય છે. સોશિયલ મીડિયા લોકોની વાહવાહીથી ઊભરાય છે. આજે વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે, પરંતુ મનુષ્ય પોતે એનો ઉપયોગ કરીને રોબોટ જેવો થઈ ગયો છે. કોરોનામાંથી પસાર થયેલા આપણા દેશને એવા લોકોની જરૂર છે, જેઓ માતૃભૂમિ પ્રત્યે નિષ્ઠા અને પ્રતિબદ્ધતા ધરાવતા હોય અને દેશની પ્રગતિ માટે કામ કરે. આપણે આવા સમયે ભગવાન રામ અને કૃષ્ણે આપણને નિષ્ઠા અને પ્રતિબદ્ધતાના ગુણ શીખવ્યા છે. આપણો દેશ કોઈની સાથે લડવામાં નહીં, પણ દરેકના કલ્યાણમાં માને છે. આપણા દેશ પર હંમ...

ભારતીયોને પ્રેમનું મૂલ્ય વારસામાં મળ્યું છે

  ભારતીયોને પ્રેમનું મૂલ્ય વારસામાં મળ્યું છે   આપણા બૃહદારણ્યક ઉપનિષદમાં પવમાન મંત્ર છેઃ असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्माऽमृतं गमय॥ (અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા , ઊંડા અંધારેથી , પ્રભુ! પરમ તેજે તું લઈ જા ; મહામૃત્યુમાંથી , અમૃત સમીપે નાથ લ‍ઈ જા). મને આ મંત્ર યાદ આવ્યો અને સવાલ જાગ્યો કે કોવિડ રોગચાળાના સંદર્ભમાં તેનું શું મહત્ત્વ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી લોકો પરેશાન થયા છે. આપ  આપણા બૃહદારણ્યક ઉપનિષદમાં પવમાન મંત્ર છેઃ  असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय।   मृत्योर्माऽमृतं गमय॥   (અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા ,   ઊંડા અંધારેથી ,  પ્રભુ! પરમ તેજે તું લઈ જા ;   મહામૃત્યુમાંથી ,  અમૃત સમીપે નાથ લ‍ઈ જા). મને આ મંત્ર યાદ આવ્યો અને સવાલ જાગ્યો કે કોવિડ રોગચાળાના સંદર્ભમાં તેનું શું મહત્ત્વ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી લોકો પરેશાન થયા છે. આપણે ભારતીયો અન્યોમાં વિશ્વાસ અને શ્રદ્ધા જગાડવાની શક્તિ ધરાવીએ છીએ. આપણી સંસ્કૃતિએ આપણને શીખવ્યું છે કે પારિવારિક મૂલ્યોને તથા સંબં ણે ભારતીયો...