ધર્મને ટકાવી રાખવા માટે સારાં કર્મો જરૂરી છે
|| ધર્મને ટકાવી રાખવા માટે સારાં કર્મો જરૂરી છે || ભારતીય સંસ્કૃતિમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કે ધાર્મિક અનુષ્ઠાન અથવા પૂજા શરૂ કરતાં પહેલાં ગણપતિની વંદના કરીએ છીએ. એ જ રીતે દિવાળી નિમિત્તે આપણે ધનનાં દેવી લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. કોઈ ઘરમાં કન્યાનો જન્મ થાય તો એને લક્ષ્મીજી કહીને આવકારવામાં આવે છે અને નવવધૂને પણ ઘરની લક્ષ્મી કહીને જ બોલાવાય છે. ઘણી બધી જગ્યાએ નવવધૂને આવકારવા માટે વિશેષ રિવાજ હોય છે, કારણ કે એનાં પગલાં ઘરમાં પડે ત્યારે સુખ આવતું હોવાની માન્યતા છે. વળી, એ જ વ્યક્તિ કુળને આગળ વધારવામાં અને પરિવારનું પાલનપોષણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ બધા પરથી એવો વિચાર આવે છે કે જો આપણે સારાં કર્મોનું પણ સ્વાગત કરીએ તો કેવું! ધર્મનો અર્થ ફક્ત મંદિરમાં પૂજા કરવા જવું એવો જ થતો નથી. મનુષ્ય તરીકે આપણે ભગવાનને તન, મન અને આત્માથી પૂજવાની સાથે સાથે સારાં કર્મો પણ કરવાનાં હોય છે, કારણ કે તેનાથી જ આપણા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવે છે. કૃષ્ણ ભગવાન હતા, છતાં એમણે લોકોના જીવનમાં પરિવર્તન આવે એવાં કાર્યો કરવાનું જ યોગ્ય ગણ્યું. મને અહીં એક કથા યાદ આવે છે. ભગવાન કૃષ્ણ એક દ...