વૃદ્ધત્વ અભિશાપ નહીં વરદાન છે
વૃદ્ધત્વ અભિશાપ નહીં વરદાન છે તમને શું લાગે છે વૃદ્ધાવસ્થા ક્યારે શરૂ થાય છે? 40 કે 60? 50 કે 70? કે પછી ક્યાંક તેની આસપાસ? આ અંગે કરવામાં આવેલા એક ઑનલાઇન સર્વે અનુસાર વૃદ્ધાવસ્થા 62 વર્ષની ઉંમરે શરૂ થાય છે. તેની વિપરીત 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોનું માનવું હતું કે વૃદ્ધાવસ્થા 71ની ઉંમરે શરૂ થાય છે. તે વાત સમજી શકાય છે કે આખરે થઈ શું રહ્યું છે. જો કોઈ તમને કહે કે તમે વૃદ્ધ છો તો તમને સાંભળવું ગમશે? એ રીતે કોઈને પણ નથી ગમતું કે તેઓ એવું વિચારે કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે. વૃદ્ધાવસ્થાનો સવાલ લોકોને તેમના શારીરિક સ્વાસ્થ્ય વિશે વિચારતા કરી દે છે. અને જો તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે અથવા તો તેઓ એક ગરીબ જીવન જીવી રહ્યા છે તો તેમને સારું નથી લાગતું અને તેમને લાગવા લાગે છે કે તેમની વૃદ્ધાવસ્થા નજીક આવી રહી છે. વૃદ્ધાવસ્થાની સાથે સાથે અનુભવોની લાંબીસચક ડાયરી પણ સાથે હોય છે. યુવાની એ ભગવાન દ્વારા આપેલી કુદરતી ભેટ છે અને આ સમયમાં જીવનના આર્ટવર્કને તૈયાર જેટલી સારી રીતે તૈયાર કરશો તો વૃદ્ધાવસ્થા તેટલી જ સમૃદ્ધ બનશે. માનવી પાસે લાગણીઓની સાથે સાથે આધ્યાત્મિકતા અને શ્રદ્ધા પણ હોય છે. મહાકાવ્ય ...