હૃદયપૂર્વકની પ્રાર્થના અને નિષ્ઠાપૂર્વક કરેલાં કાર્યોની ધારી અસર થાય છે
હૃદયપૂર્વકની પ્રાર્થના અને નિષ્ઠાપૂર્વક કરેલાં કાર્યોની ધારી અસર થાય છે ક્યાંક મેં વાંચ્યું છે કે સાંભળવું એ ચુંબકીય બળ છે. જો તમે ઊંડો વિચાર કરો, તો તે ખરેખર સાચું છે. આપણા કેટલાક સારા ગાયકો, જેમ કે કિશોર કુમાર અને લતાજી પાસે સુમધુર કંઠ હતો અને આપણે બધા એમના અવાજથી આકર્ષિત થતાં. એમના અવસાન પછી આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ. 32 વર્ષથી ઑડિયોલૉજિસ્ટ હોવાને કારણે મને લાગ્યું છે કે સાંભળવાની ક્રિયાનાં બે પાસાં છે. એક, તમે કાને સાંભળવું અને બે, હૃદયથી સાંભળવું. જ્યારે તમે તમારા પ્રિયજનોની વાતો ત્યારે તમે તમારા હૃદયથી સાંભળો છો; અને તમે તમારા પોતાના તથા તમારા પ્રિયજનોના ભલા માટે સાંભળો છો. શ્રવણશક્તિની ખામી ધરાવતાં બાળકો સાથે મારે રોજ કામ પડે છે. મને લાગે છે કે તેઓ હંમેશાં ખુશ અને પ્રેરણાદાયી હોય છે, કારણ કે તેઓ આપણી જેમ તેમના કાન દ્વારા સાંભળતાં નથી, પરંતુ હૃદયથી સાંભળે છે. કલ્પના કરો કે જો આપણે તેમના જીવનમાં શ્રવણયંત્ર અથવા કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઉમેરીએ તો તેઓ કેટલું સારું સાંભળી શકશે. જ્યારે આપણે આ ખાસ પડકારવાળાં બાળકોને ...