Posts

Showing posts from August, 2023

'ચંદ્રયાન-3'ની સફળતામાંથી કંઈ શીખવા જેવું છે?

 'ચંદ્રયાન-3'ની સફળતામાંથી કંઈ શીખવા જેવું છે?  જીવનને સકારાત્મક દૃષ્ટિએ જોનારા લોકો આપણને ઘણી સારી સારી વાતો કહેતા હોય છે. "ભલે ગમે તે થાય હું તો ખૂબ મહેનત કરીશ અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરીશ." "સમય ગમે તેટલો ખરાબ હોય, ગમે તેટલી મુશ્કેલીઓ આવે; હું મારા માર્ગ ઉપર અડગ રહીશ." આવા અનેક સંકલ્પો કરીને લોકો આગળ વધતા હોય છે અને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. ભારતે અગાઉ નિષ્ફળ પ્રયાસો કર્યા બાદ આખરે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતાર્યું. ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતરનારું વિશ્વનું આ પ્રથમ યાન છે.   જીવનમાં સકારાત્મકતા, ખંત, મહેનત અને સંકલ્પ એ બધાનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભારતના અવકાશી ખેડાણમાં ચંદ્રયાન3ની સફળતા સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. આપણે એ કાર્ય સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકો તથા અન્ય કર્મચારીઓ અધિકારીઓને શ્રેય આપવું રહ્યું. એક વૈજ્ઞાનિક કાર્યમાં લોકોએ આટલી બધી રુચિ લીધી એ પણ ઘણા આનંદની વાત છે. માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વના લોકોએ ચંદ્રયાન-3ની સફળતાને બિરદાવી છે અને હરખ વ્યક્ત કર્યો છે. મનુષ્યના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવાની દિશામાં આ ઘણું મોટું પગલું છે. ...

સકારાત્મકતાથી સિદ્ધિ

 સકારાત્મકતાથી સિદ્ધિ  તમારે રસ્તામાં કોઈપણ અવરોધો અથવા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે, તો ફક્ત સાવચેત રહેવાનું શીખો અને એમાંથી માર્ગ કાઢવાનું શીખો. અવિરત ચાલતાં રહેવું એ જ જીવનનું તત્ત્વચિંતન કહે છે. બાળક ચાલવાનું શીખે ત્યારે આપણે એને વધુ પ્રયાસ કરીને બરોબર ચાલવાનું શીખવીએ છીએ. એ જ કામ આપણે પોતાના જીવનમાં પણ કરવાની જરૂર છે.   થોડા વખત પહેલાં એક માતા-પિતા અમારી ક્લિનિકમાં આવ્યાં. એમની સાથે છ વર્ષનું બાળક પણ હતું. એ છોકરો સતેજ દેખાતો હતો અને માતા-પિતા જે વાત કરી રહ્યાં હતાં એ સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળી રહ્યો હતો. બાળકને નાની ઉંમરે ફિટ આવવાનું શરૂ થયું હતું. અઢી વર્ષે એને વાચા આવી હતી અને ચાલવાનું પણ મોડું શરૂ કર્યું હતું. એના પિતા ડૉક્ટરેટ કરી ચૂકેલા અને માતા ડબલ ગ્રેજ્યુએટ હતાં. માતા-પિતા બંનેએ બાળકના ઉછેર માટે શું શું કર્યું એની બધી વિગતો જણાવી. પોતાનું સંતાન અન્ સામાન્ય બાળકોની જેમ વૃદ્ધિ કરી રહ્યું નથી એ એમની મુખ્ય સમસ્યા હતી. જોકે માતા-પિતાના વર્તનમાં પણ એક ખામી હતી. તેઓ હંમેશાં બાળકની શક્તિઓને બદલે એની નબળાઈઓને કેન્દ્રમાં રાખીને જ વિચાર અને વર્તન કરતાં. એમાં ફેરફાર લ...

સહજ-સકારાત્મક જીવનની આવશ્યકતા

 સહજ-સકારાત્મક જીવનની આવશ્યકતા જ્યાં સુધી તમે શ્વાસ લો છો ત્યાં સુધી બધું જ શક્ય છે. વ્યક્તિએ ક્યારેય હતાશ થવું જોઈએ નહીં; પ્રયાસ કરતા રહો અને બાકીના જીવનને શ્રેષ્ઠ કાળ બનાવો. આવું સકારાત્મક નિવેદન કહેવું સહેલું છે પણ અમલમાં મૂકવું મુશ્કેલ છે.   ઘણી વખત, માતા-પિતા પોતાનાં બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો એનું માર્ગદર્શન લેવા માટે અમારી પાસે આવે છે. પહેલાંના સમયમાં બાળકોને ભણાવવા માટે ક્યારેય કોઈ નિયમો ન હતા. તે વખતમાં બાળકો આસપાસના વાતાવરણમાંથી અને અને અન્ય લોકોનું નિરીક્ષણ કરીને શીખતાં હતાં. આજકાલ સગર્ભાવસ્થામાં, પ્રસૂતિ બાદ તરત અને પછી બાળઉછેર માટે એમ ત્રણ તબક્કામાં લોકોને માર્ગદર્શન આપનારા ઘણા લોકો છે. પોતે કોની પાસેથી માર્ગદર્શન લેવું એ બાબતે માતા-પિતા મુંઝાતાં હોય છે. મને લાગે છે કે માતા-પિતાએ કોઈ ખાસ પ્રયત્નો ન કરવા જોઈએ અને બાળકો સાથે સ્વાભાવિક રીતે રહેવું જોઈએ. માતા-પિતાએ સંતાનોને તેમની આસપાસની દરેક વસ્તુનું અવલોકન કરવા દેવું જોઈએ અને એમનો આત્મવિશ્વાસ કેળવવા દેવો જોઈએ.   થોડા દિવસો પહેલાં મારી મુલાકાત એક દંપતી સાથે થઈ. તેઓ બન્ને ગ્રેજ્યુએટ છે. એમની ત્રણ...

જે કોઈ કામ કરો, પ્રેમથી કરો

  જે કોઈ કામ કરો, પ્રેમથી કરો   પ્રેમ માત્ર અનુભવી શકાય છે. જે લોકોએ તેનો અનુભવ કર્યો છે તેમનો આ મત છે. જ્યારે તમે તમારા જેવા વાસ્તવિક જીવનના લોકો સાથે જોડાઓ છો, ત્યારે સામાન્ય રીતે તમારું હૃદય ઝડપથી ધબકવા લાગે છે અને નવી સંવેદના જન્મે છે અને અચાનક નિકટતાનો અનુભવ થાય છે. એ જ રીતે, આપણી મનગમતી પ્રવૃત્તિ આપણને એક નવી સંવેદના આપે છે; એક અલગ ઊર્જા આપે છે, અને આપણે જીવનને અલગ રીતે જોવાનું શરૂ કરીએ છીએ.   એવું માનવામાં આવે છે કે પ્રથમ પ્રેમ ભુલાતો નથી. તેવી જ રીતે, એક જુસ્સો જે તમને ખૂબ જ આનંદ અને જીવનની અનુભૂતિ આપે છે, એને તમે ક્યારેય ભૂલી શકતા નથી. હું મારા વિશે વાત કરું. જ્યારે હું નાની હતી ત્યારે નૃત્ય મારો શોખ હતો. મેં મારા શિક્ષણની સાથે ભરતનાટ્યમ, કથક અને લોકનૃત્યનો અભ્યાસ કર્યો. જોકે, મેડિકલ ફિલ્ડમાં આવ્યા પછી મારા પરિવાર અને વિવિધ જવાબદારીઓએ મારે ડાન્સ કરવાનું બંધ કરવાની ફરજ પડી. તેમ છતાં, જ્યારે પણ મને તણાવ નિવારકની જરૂર હોય છે, ત્યારે પ્રથમ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે છે કેટલાક સારા સંગીત પર નૃત્યનો આનંદ માણવો. હા, આપણે જે કરવાનું પસંદ કરીએ છીએ તે ભૂલી જતા ન...