Posts

Showing posts from May, 2024

યુવાન માતાપિતાનું માનસિક સ્વાસ્થ્ય

 યુવાન માતાપિતાનું માનસિક સ્વાસ્થ્ય કોવિડ-19 રોગચાળા અને ચાલી રહેલી વૈજ્ઞાનિક ક્રાંતિ પછી યુવા પેઢીએ ઘણા અકલ્પનીય અને ચમત્કારિક પગલાં લીધાં છે. ચંદ્રયાન 3 મિશનને સફળ બનાવવા પાછળ ઘણા યુવા વૈજ્ઞાનિકોનો સિંહફાળો રહ્યો છે. સ્પર્ધાત્મક દુનિયામાં જીવનની કોઈ કિંમત નથી રહી. આરામથી જીવવા માટે પૈસા કમાવવા દોડવું પડે છે. આ ઈચ્છાઓ કેટલીકવાર સાથીઓના દબાણ, સરખામણી, શો-ઓફ અને અન્ય નકારાત્મક વિચાર પ્રક્રિયાઓ હેઠળ વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવે છે તેથી, તમે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં, તમે ભાવનાત્મક રીતે જીવનને સંતુલિત કરી શકતા નથી, જે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. આજના યુવાન માતાપિતા શિક્ષણ, નોકરી, કુટુંબ, સામાજિક દરજ્જો અને સોશિયલ મીડિયાની વધારાની જવાબદારીઓથી ઘેરાયેલા છે. મને વ્યક્તિગત રીતે દિવસમાં એકવાર સોશિયલ મીડિયા પર નજર રાખવાની આદત છે, પરંતુ હું અન્ય લોકો શું કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેઓ કેવી રીતે વર્તે છે, તેઓ કેવા પ્રકારની નમ્રતા ધરાવે છે અને તેઓ જે કરે છે તેના પ્રત્યે તેઓ કેટલા સમર્પિત છે તેના પર હું ધ્યાન આપું છું. ઘણા વર્ષો સુધી લોકોનું અવલોકન કર્યા પછી, મને...

વાત કરવામાં કુશળતાની સાથે સાંભળવામાં નિપુણતા હોવી જરૂરી

વાત કરવામાં કુશળતાની સાથે સાંભળવામાં નિપુણતા હોવી જરૂરી આપણામાંથી મોટાભાગનાં લોકો આખા દિવસ દરમિયાન બિનજરૂરી બોલ્યા કરે છે. અરે, જ્યાં નહીં બોલવાથી કામ પતી જાય એવું હોય છે ત્યાં પણ આપણે નકામી બડબડ કર્યાં કરીએ છીએ. કહેવાનો અર્થ કે સ્પષ્ટ અને જરૂર પૂરતું બોલવું એ પણ એક કળા છે, તો સાંભળવું પણ એક કળા જ છે. જો તમે કોઈને પ્રેમ કરતા હો તો સૌપ્રથમ તમારી એ ફરજ છે કે તમે એને ધ્યાનપૂર્વક સાંભળો. સાંભળવું એક કળા છે, ક્રિયા નહીં. સાંભળવાની કળા સંબંધને મધુર અને મજબૂત બનાવે છે. અરે, ઘણી બધી વાર સંબંધમાં ગેરસમજ ઊભી થતી હોય છે એ માટે પણ સાંભળવાની કળા વિકસાવવી જોઈએ. મનોવૈજ્ઞાનિક શોધ તો એવું પણ કહે છે કે સાંભળવાની ક્રિયા મૂળ તો એક ધ્યાનની જ પ્રક્રિયા છે. દુ:ખની વાત એ છે કે આજે આપણી અંદર અને બહાર એટલો ઘોંઘાટ છે કે આપણી સાંભળવાની ક્ષમતા ઝડપથી ઓછી થવા માંડી છે. સોશિયલ મીડિયાના આ સમયમાં ચારે બાજુ બોલતાં રહેતાં લોકોની ઘણી બોલબાલા છે. સૌ પોતપોતાની વાત કહેવા માટે બહુ જ ઉત્સુક છે. એવો આગ્રહ રાખે છે તે લોકો તેમની વાત સાંભળે, પણ આ સાંભળનારો વર્ગ છે ક્યાં? ક્યાં ખોવાઈ ગયાં છે એ લોકો આ ભીડમાં? એક્ચ્યુલી, તો સાંભળનારા...

આત્મજ્ઞાન સફળતાની ચાવી

આત્મજ્ઞાન સફળતાની ચાવી એવું કહેવાય છે કે સામાન્ય શિક્ષણ જીવનને વિકસાવવામાં મદદ કરે છે ત્યારે સેલ્ફ એજ્યુકેશન તમારા જીવનને સમજવામાં મદદ કરશે. લાઈફસ્ટાઈલને સુધારવાની સાથે સાથે જીવનના કેટલાક મહત્ત્વના મૂલ્યોને પણ જો અપનાવવામાં આવે તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવન વધુ સરળ અને માઈન્ડફુલ બને છે. ટીવી પર ઘણા કલાકારોએ વિવિધ બ્રાન્ડની જાહેરાતો કરી છે. જે બ્રાન્ડને તેઓ પ્રમોટ કરે છે તેનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરતાં નથી. લોકોની માનસિકતા બદલવા માચે અથવા દર્શકોના મનોરંજન હેતુથી તેઓ કામ કરતા હોય છે, પણ અમુક હદે આ બાબત લોકોને મિસલીડ કરવાનું કામ કરે છે. પબ્લિક ફિગર થઈને જો સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલને લગતી ખોટી અથવા અયોગ્ય માહિતીનો પ્રસાર કરવામાં આવે તો એ સમાજ માટે હાનિકારક છે એ વાતને આપણે સમજી લઈએ તો ત્યાંજ સમાજમાં આવતી અડધી મુશ્કેલીઓ ઓછી થઈ જાય છે. મહાત્મા ગાંધી, સ્વમી વિવેકાનંદ અને મધર ટેરેસા પણ એવા લોકો હતા જેમણે જીવનમાં અઢળક પડકારોનો સામનો કર્યો હતો પણ તેમણે જીવનના મૂલ્યો અને મર્યાદાઓની સાથે વિચારસરણી પ્રભાવશાળી હોવાથી સંતુલિત જીવન જીવતા હતાં તે તેમના જીવનને સ્થિર બનાવવાનું કામ કરે છે. આ...

સોશિયલ મીડિયાના ટ્રેન્ડની મનોવિજ્ઞાન પર અસર

 સોશિયલ મીડિયાના ટ્રેન્ડની મનોવિજ્ઞાન પર અસર સોશિયલ મીડિયાના ટ્રેન્ડને અનુસરવામાં યુવાનો આજકાલ ઘેલા થયા છે. આખી દુનિયામાં છાશવારે નીતનવા ટ્રેન્ડ આવતા જતા રહે છે અને યુવાવર્ગ વળવારનો વિચાર કર્યા વગર તેનું અનસરણ કરે છે. બ્રાન્ડેડ ચીજોનો વપરાશ એટલો વધી ગયો છે કે જરૂરિયાત અને શોખ વચ્ચેનો તફાવત જાણે ભૂલાઈ જ ગયો છે. તાજેતરમાં એક ડિઝાઈનરે મને સ્ટાઈલ કરવાની જવાબદારી લીધી હતી ત્યારે તેમણે મને પહેલો પ્રશ્ન પૂછ્યો, "મૅડમ, તમે તમારા પેન્ટ માટે કઈ બ્રાન્ડને અનુસરો છો? તમારી ઘડિયાળો પહેરવા માટે તમે કઈ બ્રાન્ડને પસંદ કરો છો? મારી પાસે આ બ્રાન્ડ છે; તમે કયું પસંદ કરો છો?" મેં કહ્યું, "હું એક સાધારણ વ્યક્તિ છું; હું કોઈ બ્રાન્ડને અનુસરતો નથી. હું એવા કપડાં પહેરું છું જે મને આરામદાયક લાગે અને એવી ઘડિયાળ જે સુંદર દેખાય અને મને સાચો સમય બતાવે." તાજેતરના બજારના વલણે આપણા મગજમાં એટલું બધું બનાવ્યું છે કે આરામની આપણી પોતાની મનોવિજ્ઞાન આપણે ભૂલી ગયા છીએ. જરૂરિયાત અને આરામનો વિચાર કરવાને બદલે, આપણે ટ્રેન્ડિંગ ચીજોની માયાના બંધનમાં બંધાઈ રહ્યા છે. આપણું મનોવિજ્ઞાન એવું બની ગયું છે કે આપણે ઉપ...