Posts

Showing posts from April, 2023

જીવનમાં બુદ્ધિ અને શાણપણનું સંતુલન રહેવું જરૂરી

 જીવનમાં બુદ્ધિ અને શાણપણનું સંતુલન રહેવું જરૂરી ભગવાને આ સૃષ્ટિમાં એકલા મનુષ્યને વિચાર કરવાની અદભુત ક્ષમતા આપેલી છે. જેઓ શિક્ષણ ક્ષેત્રમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધે છે એમને સામાન્ય ભાષામાં બૌદ્ધિક કહેવામાં આવે છે. આ જ ભણતરને કારણે તેઓ આર્થિક રીતે સાધન-સંપન્ન બની શકે છે અને વ્યવસાયમાં તથા કામકાજમાં કુશળ હોય છે. બીજી બાજુ એવા પણ લોકો હોય છે જેઓ લાગણીશીલ હોય છે. તેઓ આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે વધુ આગળ હોય છે. સામાન્ય રીતે એ પણ જોવામાં આવ્યું છે કે શૈક્ષણિક રીતે બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ સમજદાર હોય એવું જરૂરી નથી અને જેઓ સમજદાર છે તેઓ શૈક્ષણિક રીતે બૌદ્ધિક હોય એવું પણ જરૂરી નથી. બુદ્ધિ અને શાણપણ બંને એક જ વ્યક્તિમાં હોય એવું ઘણું ઓછું જોવા મળે છે. એવા લોકો પોતાની વ્યાવસાયિક અને વ્યવહારિક કુશળતાની સાથે સાથે જીવનમાં આધ્યાત્મિકતા અને લાગણીશીલતા પણ ધરાવતા હોય છે. ભગવાન કૃષ્ણ આપણા માટે આદર્શ છે, કારણ કે એમનામાં બુદ્ધિ અને શાણપણ બંને ભરપૂર પ્રમાણમાં હતાં. સમગ્ર સૃષ્ટિને નવી નજરે જોવાની આવડત કૃષ્ણના જીવન પરથી જાણવા મળે છે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને રાક્ષસોનો ખાતમો કેવી રીતે કર...

પોતાના હૃદયની સુંદરતાને પારખો

  પોતાના હૃદયની સુંદરતાને પારખો      એવું માનવામાં આવે છે કે આપણી સુંદરતા આપણા ચહેરામાં નહીં ,  આપણા હૃદયના પ્રકાશમાં છે. દરેક વ્યક્તિના હૃદયમાં વિશેષ ઉર્મિઓ હોય છે. હું એવા લોકોને મળી ચૂકી છું, જેમનાં હૃદય ઉત્તમ છે પરંતુ તેઓ લાગણીની અભિવ્યક્તિ બરોબર કરી શકતા નથી.      આ પૃથ્વી પરની દરેક વ્યક્તિનું પોતાનું આગવું સૌંદર્ય છે ,  અને મારા મતે આપણે કોઈના વિશે ઘસાતું બોલવાને બદલે એના હૃદયની સુંદરતાને બિરદાવવી જોઈએ.    ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં ખૂબ જ સારી રીતે વર્ણન કર્યું છે કે તમારી હૃદયની સુંદરતાને લીધે જ તમે અન્યોનો આદર કરશો. એ સુંદરતા તમને નીચે નહીં પાડે, ફક્ત તમને વિકસવામાં અને અન્યોને મદદરૂપ થવામાં ઉપયોગી થશે.    જ્યારે એક આધ્યાત્મિક ગુરુને એકવાર પ્રશ્ન કરવામાં આવ્યો કે જ્યારે તમારી આસપાસ ઘણી બદીઓ છે છતાં તમે આટલી મહેનત કેમ કરીને દયાનો સંદેશો ફેલાવો છો. એમણે કહ્યું કે એ જ કરવા માટે એમનો જન્મ થયો છે.    દયા અને પ્રેમને પ્રોત્સાહન આપવા માટે જ ભગવાન કૃષ્ણ અને રાધાની પૂજા કરવામાં આવે છે. એમણે લોકોને જાતિ ,...

પાનખરમાં ખર્યા બાદ વસંતમાં ઉમંગભેર ઊગવાની કળા દરેક મનુષ્યે શીખવાની છે

  પાનખરમાં ખર્યા બાદ વસંતમાં ઉમંગભેર ઊગવાની કળા દરેક મનુષ્યે શીખવાની છે      ભગવાને આપણને વિવિધતાભરી ઋતુઓ આપેલી છે. તમે બધાં જ પુષ્પો ભલે ચૂંટી કાઢો, વસંતને આવતી રોકી શકો નહીં. પાનખરમાં તમે વૃક્ષોનાં પાંદડાંને ખરતાં રોકી શકો નહીં. ઋતુઓ અને એની ખાસિયતો દર્શાવે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. એટલું જ નહીં, પરિવર્તનમાં પણ સુંદરતા રહેલી છે. સાથે બીજો પણ એ બોધ મળે છે કે દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરીને ચાલવું જોઈએ. પાનખરમાં ખર્યા બાદ વસંતમાં ઉમંગભેર ઊગવાની કળા દરેક મનુષ્યે શીખવાની છે. ઈશ્વરે કુદરત મારફતે આપેલો આ બોધ જો સમજી લઈએ તો આપણું જીવન કેટલું બદલાઈ જાય એ વિચાર કરવા જેવી બાબત છે.    આપણે નાનપણથી જ ભગવાન કૃષ્ણની લીલાઓ વિશે સાંભળતાં આવ્યા છીએ. તેઓ આપણા યુવા વર્ગ માટે આદર્શ છે. કૃષ્ણને બાળપણમાં ઘણી સમસ્યાઓ નડી હતી, પરંતુ તેઓ સર્વ અનિષ્ટોનો નાશ કરીને આગળ વધ્યા. એમણે અધર્મના વિનાશ માટે અવતારો ધારણ કર્યા. એમણે પોતાના જીવન દ્વારા આપણને ધર્મના પાઠ ભણાવ્યા છે. એમણે શીખવ્યું છે કે આપણે પોતાના પ્રત્યે, પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ અને દરેક ક...

જીવનમાં પ્રેમ હોય અને વિકાસ કરવાની ભાવના હોય તો બધું સારું જ થાય છે

  જીવનમાં પ્રેમ હોય અને વિકાસ કરવાની ભાવના હોય તો બધું સારું જ થાય છે      ' યે ઇશ્ક હાય, બૈઠે બિઠાયે જન્નત દિખાયે..... ' એવું  ' જબ વી મેટ '  ફિલ્મનું   સુપ્રસિદ્ધ ગીત છે. આ ગીત મને ઘણું ગમે છે. પ્રેમીઓ એકબીજાના સાંનિધ્યમાં હોય ત્યારે એમને બધે જન્નત એટલે કે સ્વર્ગ જ દેખાતું હોય છે. ટૂંકમાં, મનમાં પ્રેમની ભાવના બળવાન હોય ત્યારે બધું સારું જ લાગતું હોય છે. આવા વખતે જીવનમાં ઉત્સાહ અને ઉમંગ વધે છે. અહીં એક બીજું વાક્ય પણ યાદ આવે છેઃ  ' જીવન ફક્ત પસાર નહીં, કરો, જીવનમાં વિકાસ કરતા રહો. '   આ બન્ને વાક્યોને અનુલક્ષીને કહી શકાય કે જીવનમાં પ્રેમ હોય અને વિકાસ કરવાની ભાવના હોય તો બધું સારું જ થાય છે. પ્રેમ અને વિકાસની ભાવનાને લીધે જ્યારે સફળતા મળે છે ત્યારે એનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. મને આ વાત પરથી એવો વિચાર આવે છે કે જીવનની દરેક પળ જો આવી જ સુંદર હોય તો કેવું !   પ્રેમની વાત આવે ત્યારે રાધા-કૃષ્ણ યાદ આવ્યા વગર રહેતાં નથી. મનુષ્યજગતમાં કોઈએ રાધા-કૃષ્ણ જેટલો પ્રેમ કરી શક્યું નથી. રાધા-કૃષ્ણે બીજાઓ માટે ઘણો ભોગ આપ્યો હતો. રાધા સૂર્યનાં ભક્ત હત...