શું તમે કુદરત અને ઈશ્વર સાથે મૈત્રી કરી છે?
શું તમે કુદરત અને ઈશ્વર સાથે મૈત્રી કરી છે ? ચંદ્ર અને તારાને તથા સમુદ્ર અને વાદળાંને એકબીજાના મિત્રો ગણી શકાય. આ જ રીતે પ્રકૃતિ અને મનુષ્ય પણ એકબીજાના ઉત્તમ મિત્રો છે. પ્રાચીન સમયમાં રામ પોતાના ભાઈના ઉત્તમ મિત્ર જેવા હતા અને હનુમાનજી ઉત્તમ સેવક હતા. આ જ રીતે કૃષ્ણ પાંડવોના, ખાસ કરીને અર્જુનના ઉત્તમ મિત્ર હતા. કૃષ્ણને તો અનેક બીજા મિત્રો પણ હતા. સુદામા સાથેની એમની મૈત્રી વિશે આજે પણ આપણે વાત કરીએ છીએ. બાળપણમાં ગોપ-ગોપીઓ એમના મિત્રો હતા. કૃષ્ણલીલાની બધી વાતોમાં આપણે જોઈ શકીએ છીએ કે એમણે મિત્ર તરીકેની ફરજ સારી રીતે નિભાવી હતી. મનુષ્ય જ્યારે પ્રકૃતિ પ્રત્યેની દોસ્તી નિભાવે ત્યારે એને દવાની જરૂર રહેતી નથી. કુદરતને નુકસાન કરવામાં આવે ત્યારે કોરોના જેવા રોગચાળા આવે છે. જૂના સમયમાં પ્રકૃતિ સાથેનો નાતો ગાઢ હતો અને તેથી બીમારીઓ ઓછી હતી. આજે નાની-નાની વાતોમાં ડૉક્ટર પાસે દોડી જવું પડે છે, કારણ કે કુદરત સાથેનો આપણો સંબંધ ક્ષીણ થતો જાય છે. આપણે પોતાના મિત્રો, સ્વજનો સાથે ખૂલીને વાત કરતા નથી, જેને પરિણામે આપણને યોગ્ય ઉપાયો મળતા ન...