ધગશ અને સાતત્યનું મિશ્રણ એટલે સફળતા
ધગશ અને સાતત્યનું મિશ્રણ એટલે સફળતા જ્યારે પણ શહીદોની વાત આવે ત્યારે રૂંવાડાં ઊભાં થઈ જાય છે. એમની દેશભક્તિ બીજા બધા કરતાં ચડિયાતી હોય છે. એટલું જ નહીં, એમનું ધ્યેય પણ સ્પષ્ટ હોય છે. તેઓ જે કામ કરે તે ધગશથી કરતા હોય છે. દેશદાઝને લીધે તેમણે પોતાના જીવ ખોયા હોય છે. તેઓ ક્યારેય દેશ પાસેથી કોઈ અપેક્ષા રાખતા નથી, ફક્ત દેશને આપવામાં માને છે. તમે જોયું હશે કે પર્વત પરથી આવતું ઝરણું સતત નીચે વહેતાં વહેતાં મોટું થઈને નદી બની જાય છે અને છેવટે સમુદ્રમાં ભળે છે. એ પ્રવાહમાં એક સાતત્ય હોય છે અને મુશ્કેલીઓમાંથી પસાર થવાની હિંમત હોય છે. તેથી જ એને સમુદ્રમાં ભળવા મળે છે. આ એની સફળતા જ હોય છે. આમ, સૈનિકો અને કુદરત બન્ને પાસેથી આપણે ધગશ અને સાતત્ય શીખવા મળે છે. કૃષ્ણના મુખે લાગતાં પહેલાં વાંસળીના લાકડાએ કપાવું પડે છે અને છિદ્રો પડાવવાં પડે છે. તકલીફમાંથી પસાર થયા બાદ એમાંથી મધુર સૂર પ્રગટ થાય છે. ભગવાન કૃષ્ણને જે રીતે કષ્ટ સહન કરીને બનેલી વાંસળી વહાલી છે એ જ રીતે કષ્ટ સહન કરીને આગળ વધેલા મનુષ્યો પણ વહાલા છે. હું જેટલા સફળ માણસોને મળી છું એ બધામાં મેં નમ્રતા, ધગશ અને સાતત્યપૂર્ણ મ...