Posts

Showing posts from December, 2021

દરેક મહિલા આ જગતમાં પરિવર્તન લાવવા માટે પોતાની શક્તિઓને વધુ ને વધુ પ્રમાણમાં ખીલવવાની તૈયારી કરે

 || દરેક મહિલા આ જગતમાં પરિવર્તન લાવવા માટે  પોતાની શક્તિઓને વધુ ને વધુ પ્રમાણમાં  ખીલવવાની તૈયારી કરે || સ્ત્રી અને પુરુષ બન્ને ભેગાં મળીને આ પૃથ્વી પર પ્રેમ અને માનવતાની લાગણીનો પ્રસાર કરે છે. એમ તો આ કામ સંયુક્તપણે થાય છે, પરંતુ મહિલાઓ એમાં વધુ યોગદાન આપતી હોય એવું પ્રતીત થતું હોય છે. ભારતની ખાસિયત છે કે મહિલાને શક્તિ, દેવી તરીકે પૂજવામાં આવે છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ’ એ ઉક્તિ સદીઓથી પ્રચલિત છે. શક્તિ સ્વરૂપી મહિલા આ જગતમાં ઘણું મોટું યોગદાન આપે છે. એક જવાબદાર મહિલા તરીકે મને લાગે છે કે જો આ વિશ્વમાં સારું પરિવર્તન લાવવું હોય તો આપણે પોતાની સાથે સાથે બીજાઓને સુખી કરવાને પણ મહત્ત્વ આપવું જોઈએ.  દેવકી, યશોદા, રાધા, મીરા, સરસ્વતી માતા, અંબિકા દેવી, અહિલ્યાબાઈ, ઝાંસી કી રાની, જીજાબાઈ, વગેરે કેટકેટલીય માતૃશક્તિઓની ઊજ્જવળ પરંપરા આપણા દેશમાં રહી છે. ભારતીય મહિલાઓ માટે કોઈ કામ અઘરું નથી. મેં એક કન્યા તરીકે જન્મ લીધો, પરંતુ ક્યારેય ઉપેક્ષાની કે અસલામતીની લાગણી અનુભવી નથી. ઉંમર વધતાં હું આત્મવિશ્વાસ વધારતી ગઈ છું. લગ્ન થયા પછી પણ મેં ક્યારેય મારી ઈચ્છ...

જીવનરૂપી રમતને દિલથી રમી લો

 || જીવનરૂપી રમતને દિલથી રમી લો || કોઈ એક સુપ્રસિદ્ધ ખેલાડીને પ્રશ્ન પુછાયો, "તમને રમતમાં સૌથી વધુ સારું શું લાગે છે? " એમણે જવાબ આપ્યો, "મને રમવાની તક મળે એ સૌથી સારું લાગે છે." આને કહેવાય ખરી ખેલદિલી અને જીવન પ્રત્યેનો સાચો અભિગમ.  દરેક વ્યક્તિ પ્રૌઢ થાય ત્યાર સુધીમાં જીવનમાં રમવાની અનેક તકો મળતી હોય છે, પરંતુ આપણે એકબીજાની હુંસાતુંસીમાં અને રગશિયા ગાડા જેવી જિંદગીમાં એ બાબત પર લક્ષ આપતા નથી. નકારાત્મક વિચાર કરનારા લોકો આ તકો તરફ ધ્યાન આપતા નથી અને પછી ફરિયાદ કર્યે રાખે છે કે એમને જીવનમાં કોઈ તક મળી નથી. જેઓ નાની-નાની તકોને ઝડપી લે છે તેઓ જીવનમાં ખરેખર આગળ વધી શકે છે.  આપણો જન્મ થાય ત્યારે ઈશ્વરે માતાના દૂધના સ્વરૂપે આપણા ખોરાકની વ્યવસ્થા કરી રાખી હોય છે. મોટા થયા બાદ ભગવાન આપણને પોતાના ખોરાકની વ્યવસ્થા કરવા માટેની અનેક તકો પૂરી પાડે છે. આપણે ફક્ત એ તકોને ઓળખી લેવાની અને જીવનમાં તેને 'રમી લેવાની' જરૂર હોય છે. અહીં ભગવાન કૃષ્ણનું ઉદાહરણ ટાંકવા જેવું છે. કાલિય નાગે જ્યારે યમુના નદીના જળને ઝેરી બનાવી દીધું ત્યારે એના દમનમાંથી લોકોને ઉગારવાનું કૃષ્ણે નક્કી કરી...

દૃષ્ટિકોણ બદલો, દુનિયા બદલાઈ જશે

 || દૃષ્ટિકોણ બદલો, દુનિયા બદલાઈ જશે || આંખની પણ ભાષા હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. એ ઉપરાંત દરેક વ્યક્તિનો એક દૃષ્ટિકોણ પણ હોય છે. સકારાત્મક દૃષ્ટિકોણ દ્વારા આપણે એ જોઈ શકીએ છીએ કે આપણને આ સુંદર જગતમાં જન્મ મળ્યો છે. આ બ્રહ્માંડમાં પૃથ્વી છે, આ પૃથ્વી પર ઘણા બધા દેશ છે. એ દેશોમાંથી એક દેશ ભારત છે અને ભારત સમૃદ્ધ વારસો, સાંસ્કૃતિક મૂલ્યો અને ધાર્મિક મૂલ્યો ધરાવતો દેશ છે. ભારતીય હોવાનો મને ગર્વ છે અને એની ગરિમા જળવાઈ રહે એ મારું કર્તવ્ય છે. ભારતમાં જન્મ થયો એ મારી મહામૂલી મૂડી છે. હું આ પૃથ્વીને વધુ સારી બનાવવા માટે મારાથી બનતા તમામ પ્રયાસ કરવા માગું છું. જો દરેક વ્યક્તિ આવું વિચારવા લાગે તો? આજે ભારતને ગૌરવ અપાવનારી અનેક વ્યક્તિઓના અદભુત કાર્યો વિશે વાત કરીએ છીએ, પરંતુ સાથે સાથે દેશને નુકસાન કરનારા લોકોને પણ આપણે જોઈએ છીએ. આપણી સંસ્કૃતિ કહે છે કે આપણે અન્યોમાં રહેલા ગુણની કદર કરવી જોઈએ. અકબર બાદશાહ ઘણા શક્તિશાળી હતા, પરંતુ એમણે પણ લોકો માટેની નીતિઓ ઘડવા માટે બિરબલ જેવા બુદ્ધિશાળી રત્નની મદદ લેવી પડી હતી. તમે અકબર-બિરબલની વાર્તાઓ પર નજર કરશો તો જાણવા મળશે કે બિરબલે ક્યારેય કોઈને ...

આ જગતમાં ખરું ચલણ પૈસાનું નહીં, પ્રેમ અને કરુણાની શક્તિનું છે

 || આ જગતમાં ખરું ચલણ પૈસાનું નહીં, પ્રેમ અને  કરુણાની શક્તિનું છે || ગૂંચવણ અને મૂંઝવણમાંથી માર્ગ કાઢવા માટેનો સૌથી સારો માર્ગ છે સંદેશવ્યવહાર, એટલે કે વાર્તાલાપ. આજે વિશ્વ ઘણું નાનું થઈ ગયું છે. પલકવારમાં વિશ્વના કોઈ પણ ખૂણે વાતચીત કરવા માટેનું તંત્રજ્ઞાન આજે ઉપલબ્ધ છે. વાર્તાલાપ કરવા માટેનાં સાધનો ઘણાં છે, પરંતુ શું વાત કરવી એની કોઈને ખબર પડતી નથી. તમે કોઈ પણ કુદરતી ઘટના કે વસ્તુ જોશો તો એમાં દરેક વસ્તુ સ્પષ્ટ હોય છે. ફક્ત મનુષ્યો જ ગૂંચવાયેલા રહે છે.  ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયેલી અનેક વાતોમાં તમે જોઈ શકશો કે મનુષ્યજીવન વિશેના સ્પષ્ટ વિચારો એમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. એક વખત ભગવાન ઈન્દ્ર ક્રોધે ભરાયા હતા, કારણ કે મનુષ્યો અમુક ધાર્મિક કાર્યો કરતા ન હતા. તેમણે ભારે વરસાદ દ્વારા પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો. ભગવાન કૃષ્ણને ખબર હતી કે આ વિપદાનું શું પરિણામ આવશે, પરંતુ એમણે લોકોને ધાર્મિક કાર્યોનું માહાત્મ્ય સમજાવ્યું અને પોતે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉંચકીને લોકોના જીવ બચાવ્યા. કૃષ્ણે ઈન્દ્રના ક્રોધને શાંત કર્યો અને સાથે સાથે લોકોને પણ સમજાવ્યું કે અમુક કાર્યો લોકોના કલ્ય...