બાળપણ હરિફાઈ નહીં, પ્રવાસ છે
બાળપણ હરિફાઈ નહીં, પ્રવાસ છે આજકાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા યુવાનોએ અભ્યાસ તો કર્યો છે, ઘરેથી બધું મળ્યું છે, પરંતુ શારીરિક અને માનસિક હેલ્થ વચ્ચે સંતુલન જાળવી શકતા નથી. તેને બેલેન્સ કરવામાં સંઘર્ષનો અનુભવ કરી રહ્યા છે. એવા ઘણા કિસ્સાઓ છે જેમાં સારા ઘરના, સારા શિક્ષણ ધરાવતા છોકરાઓ જીવનમાં એકલા પડી જતાં હોય છે, પછી તેઓ માનસિક રીતે તૂટવા લાગે છે. બાળપણથી મળેલી ખોટી પરવરિશ અને અત્યંત લાડ-પ્યાર ક્યારેક બાળકોને જાતે નિર્ણય લેવાનું, જવાબદારી ઉઠાવવાનું શીખવા દેતી નથી. હમણાં એક એવા યુવકના વિશે વાત થઈ, જે ૩૨ વર્ષની ઉંમરે પણ કામ કરવા તૈયાર નથી. બધું મળ્યું છતાં જીવનમાં ઉદ્દેશ નથી. સમય જતાં શરીર અને મન પર અસર થવા લાગી, અને અંતે એક દિવસ તેને બ્રેન સ્ટૉક આવ્યો અને હૉસ્પિટલમાં દાખલ થયો, પણ પછી દુખની વાત એ હતી કે સારવારમાં પણ તેને સહકાર આપવો ગમતો નહોતો. આ કિસ્સામાંથી એ ખબર પડી કે બાળપણથી મળેલી પરવરિશમાં સ્વતંત્રતા અને જવાબદારીના અભાવથી આ સ્થિતિ આવી છે અને આ તેના જીવનનું સૌથી કટુ સત્ય છે. તેના પરિવારજનો ખાસ કરીને બહેન તેને સમજાવવાનો બહુ પ્રયાસ કરે છે, પણ તે કંઈ જ સાંભળવા તૈયાર નથી. જ્યા...