Posts

Showing posts from November, 2021

આપણે બીજાઓ માટે નહીં, પોતાના માટે પોતાની જાતને પુરવાર કરવાની છે

 || આપણે બીજાઓ માટે નહીં, પોતાના માટે પોતાની  જાતને પુરવાર કરવાની છે || મનોવિજ્ઞાનના પુસ્તકમાં એક અર્થપૂર્ણ વાક્ય વાંચવામાં આવ્યું હતું. તેમાં કહેવાયું હતું કે જે માણસ અરીસામાં પોતાના અસલી ચહેરાનો સામનો કરી શકે છે એ માણસ આ દુનિયામાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. આપણી ભારતીય પરંપરા પણ આ જ બોધ આપે છે. આપણી સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે કે અત્યંત પ્રાચીન હોવા છતાં આજની તારીખે પણ પ્રસ્તુત લાગે છે. આપણા દેશમાં 3000 વર્ષ પહેલાં પણ ઔષધિવિજ્ઞાન ઘણું પ્રગતિ કરી ચૂક્યું હતું. એટલી જ પ્રાચીન પદ્ધતિ યોગની પણ છે. યોગ આપણને ફક્ત શારીરિક નહીં, માનસિક તંદુરસ્તી પણ બક્ષે છે. અત્યારે સમય આવી ગયો છે કે આપણે આ સમૃદ્ધ સંસ્કૃતિનું જતન કરવા માટેના ઉપાયો કરીએ.  સંશોધન વિજ્ઞાની ડૉ. આર્નોલ્ડ તોયાંબીએ કહ્યું છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો જીવનમાં પરિવર્તન લાવતી હોય છે, પરંતુ મોટા ફેરફારો આપણી પોતાની અપેક્ષાઓના આધારે થાય છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ જગતમાં ઉત્ક્રાંતિ થઈ છે એ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એના માટે ભગવાનનું સર્વત્ર અસ્તિત્વ હોય એ જરૂરી છે. આપણી સંસ્કૃતિ પણ એ જ કહે છે. આપણે ઈશ્વરને સર્વશ...

જીવનમાં આગળ વધવા માટે પોતાની નબળાઈઓને બદલે પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ

 || જીવનમાં આગળ વધવા માટે પોતાની  નબળાઈઓને બદલે પોતાની શક્તિઓ પર ધ્યાન  કેન્દ્રીત કરવું જોઈએ || આપણે કોરોનાના સમયગાળામાં સમગ્ર દુનિયામાં અનેક ફેરફારો જોયા છે. એટલું જ નહીં, આપણા રોજિંદા જીવનમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. ખરું પૂછો તો, ઋતુચક્રને લીધે બધે પરિવર્તન આવતું જ હોય છે. આપણે બધા પડકારોને પહોંચી વળવાનું તથા મુશ્કેલ ઘડીઓમાંથી બહાર આવવાનું શીખી ગયા છીએ. કપરા સંજોગોએ આપણને યોગ્ય વિચાર કરવાની શીખવ્યું છે. એ યોગ્ય વિચાર એટલે પોતાની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું.  રામાયણનો અભ્યાસ કરવાથી આપણને ખબર છે કે ભગવાન રામના જીવનમાં પણ મુશ્કેલીઓ આવી હતી. એમનો રાજ્યાભિષેક થવાની તૈયારીઓ ચાલી રહી હતી એવામાં જ એમણે વનવાસે જવાનું થયું. વનવાસમાં પણ રાવણ સીતાને ઉપાડીને લઈ ગયો હતો. રાવણ સાથે યુદ્ધ જીતીને પાછા અયોધ્યા આવ્યા, પરંતુ રાજપાટ મળવા છતાં એમણે સીતાજીને વનમાં મોકલવાં પડ્યાં. આમ, રામના જીવનના દરેક તબક્કે મુશ્કેલીઓ આવી હતી. આ જ રીતે ભગવાન કૃષ્ણના જીવનમાં પણ ડગલે ને પગલે વિપદાઓ આવી હતી. એમણે રાધાના પ્રેમનો અને વ્રજનો ત્યાગ કરવો પડ્યો હતો. તેઓ ભગવાન હોવા છતાં મહાભારતના યુદ્...

ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને મનુષ્યો માટે કરુણાનો ભાવ હશે તો જીવન ઘણું સરળ બની જશે

 || ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને મનુષ્યો માટે કરુણાનો  ભાવ હશે તો જીવન ઘણું સરળ બની જશે || સૂર્યનાં કિરણો વિશ્વના દરેક ખૂણે પહોંચે છે એ જ રીતે આજે કરુણાનો પ્રકાશ સર્વત્ર ફેલાવવાની જરૂર છે. વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ હવે સારાં કર્મો કરવાની જરૂર છે. આમ કરવાનું ત્યારે જ શક્ય બનશે, જ્યારે આપણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીશું. મારી વાત કરું તો, મને કૃષ્ણે મારા આ લખાણ દ્વારા સકારાત્મકતા ફેલાવવા માર્ગદર્શન આપ્યું છે.  દરેક મનુષ્ય પોતાના અનુભવો પરથી શીખે છે. ભગવાને પણ અવતાર ધારણ કરીને મનુષ્ય તરીકે જીવવાનો અનુભવ લીધો છે. કૃષ્ણ અને રામના જીવન પરથી આપણને આ જ વાત શીખવા મળે છે.  અનુભવની જ વાત નીકળી છે તો કહેવાનું મન થાય છે કે સામાન્ય માણસ જો એક દિવસ માટે અંધ, અપંગ કે બધિર બની જાય તો જ એને સમજાય કે પંગુ વ્યક્તિઓ કઈ રીતે જીવન જીવે છે. કોરોના કપરા વખતમાં દરેક વ્યક્તિએ આફતમાંથી પસાર થવું પડ્યું છે, પરંતુ અપંગ વ્યક્તિઓનો વિચાર કરીએ તો સમજાય કે એમના મુકાબલે પોતાના જીવનમાં કેટલી સારી પરિસ્થિતિ છે.  આના પરથી કહી શકાય કે આપણે વિચાર કરવાની રીત બદલવાની જરૂર છે. પોતાના વિચારો બદલીને આપણે નિ...

આજે જરૂર છે સહજપણે જીવવાની

 || આજે જરૂર છે સહજપણે જીવવાની || આ એક બાબતે કરેલો વિચાર રસપ્રદ છે. બ્રહ્માંડનું શું ધ્યેય છે? સૂર્ય, ચંદ્ર અને આકાશગંગાથી સદા ચમકતા રહેવું. પૃથ્વીનું શું ધ્યેય છે? પ્રકૃતિ, વિવિધ જીવો અને મનુષ્યો સાથે પ્રકાશમાન રહેવું. કોઈ દેશનું શું ધ્યેય છે? આર્થિક અને બૌદ્ધિક રીતે શક્તિશાળી રહેવું અને વધુ સુસંસ્કૃત તથા સુગમ બનીને બીજા લોકોને આકર્ષિત કરવા. કોઈ સમાજનું શું ધ્યેય છે? બધા એકતા રાખીને જીવે અને એકબીજાને પૂરક તથા મદદરૂપ બને. કોઈ સંસ્થાનું શું ધ્યેય છે? કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરે અને સંસ્થાને વિકસીત કરવામાં યોગદાન આપે. માતાપિતા કે પરિવારનું શું ધ્યેય છે? સંતાનો સારું શિક્ષણ, સંસ્કાર પામીને વિકાસ સાધે અને સદા પરિવારને એક રાખે. એક મનુષ્ય તરીકે તમારું શું ધ્યેય છે??? ઉપરના બધા ધ્યેય ત્યારે શક્ય બને છે, જ્યારે મનુષ્યો બ્રહ્માંડ પ્રત્યેનું કર્તવ્ય પોતાનાથી બનતી ઉત્તમ રીતે નિભાવે. એમ કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની સહજ સ્થિતિમાં રહેવું જરૂરી છે. પોતે જે છે એને મહત્ત્વ આપવાનું અને એનો સ્વીકાર કરવાનું અગત્યનું છે. રાધા-કૃષ્ણ એમ તો ભગવાન હતાં, પરંતુ એમણે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યા પછી...

મગજમાં લઘુતાગ્રંથિ, લાચારી જેવી નકામી લાગણીઓનું ફીડિંગ કરવાને બદલે પ્રેમ અને વિશ્વાસનું ફીડિંગ કરો

 || મગજમાં લઘુતાગ્રંથિ, લાચારી જેવી નકામી  લાગણીઓનું ફીડિંગ કરવાને બદલે પ્રેમ અને  વિશ્વાસનું ફીડિંગ કરો || ચેતતો નર સદા સુખી એવી ઉક્તિ છે, પરંતુ હું કહેવા માગું છું કે ચેતીને રહેવું એના કરતાં સભાન રહેવું વધુ સારું. જીવનમાં ખરેખર શું જોઈએ એની સભાનતા હોય તો તમે સાવચેતી પણ લઈ શકો છો અને કદાચ ઈલાજની તો જરૂર જ ન પડે. આમ કહેવા પાછળનું કારણ એ છે કે દરેક વ્યક્તિએ જીવનમાં મૂળભૂત સિદ્ધાંતોને સમજીને ચાલવાની જરૂર હોય છે.  આપણે પોતાના માટે તથા અન્યો માટે કઈ લાગણીઓ ધરાવીએ છીએ અને પોતાનામાં કેટલી શક્તિ છે એની જાણ આપણને હોવી ઘટે. પોતાનામાં તથા તમે જેની સાથે હો એ લોકોમાં આત્મવિશ્વાસ હોય તો તમે જીવનમાં કંઈક કરી બતાવી શકો છો.  સભાનતા વિશે મેં જ્યારે વિચારવાનું શરૂ કર્યું ત્યારે મને સૌથી પહેલાં ભગવાન કૃષ્ણનો વિચાર આવ્યો. તેઓ હંમેશાં આપણને માર્ગદર્શન આપવા તૈયાર હોય છે. આપણે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે એમની હાજરી અનુભવવી જોઈએ. તેઓ સર્વત્ર છે. કૃષ્ણ હંમેશાં પોતાના અષ્ટસખા, ગોપીઓ, ગોવાળો, એ બધા માટે હાજરાહજૂર રહ્યા છે. નારદજી હોય કે નરસિંહ મહેતા હોય, જેમણે કૃષ્ણમાં શ્રદ્ધા રાખી ...