Posts

વિચારોનું સેલ્ફ-રીપ્રોગ્રામિંગ કરશો તો જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ મળશે

  વિચારોનું સેલ્ફ-રીપ્રોગ્રામિંગ કરશો તો જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ મળશે આજે સકારાત્મકતા પરના મારા ૨૫૦મા લેખનો પડાવ છે. ક્યારેક વિચાર આવે છે કે આ સફર ક્યારે શરૂ થઈ? કેવી રીતે હું કોઈ પણ અવરોધ વગર સતત ૨૫૦ લેખ લખી શકી? આ લેખો કેટલા લોકોએ વાંચ્યા હશે, કોને તેમાંથી બેઠાં થવાની શક્તિ મળી હશે કે કોણે મારી દ્રષ્ટિને સ્વીકારી હશે, એનો આંકડો કદાચ મારી પાસે નથી. પણ એક વાત ચોક્કસ છે: આ પ્રક્રિયામાં હું પોતે અંદરથી બદલાઈ ગઈ છું.  મારા જીવનમાં સકારાત્મકતાનો આ રિપલ ઇફેક્ટ એટલે કે તરંગાકાર પ્રભાવ પેદા કરનાર મારા એ વિશિષ્ટ બાળકો છે, જેઓ સાંભળી શકતા નથી. આ બાળકો સાથેનો મારો રોજિંદો સંવાદ મને જીવનનું સૌથી મોટું સત્ય સમજાવે છે. ઈશ્વરે આ બાળકોને એક અદ્ભુત શક્તિ આપી છે, પડકારો સામે અણનમ રહેવાની અને સ્મિત સાથે જીવવાની શક્તિ. આપણા માટે સુખ હંમેશા ભવિષ્યમાં હોય છે, આવતીકાલે કરીશું, આવતીકાલે સુખી થઈશું. પણ આ બાળકો માટે સકારાત્મકતા એ ભવિષ્યનો વાયદો નથી, પણ જીવવાની રીત છે. આજે જ્યારે દુનિયામાં માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વધી રહ્યા છે, લોકો તણાવ અને નકારાત્મકતાથી ઘેરાયેલા છે, ત્યારે આ બાળકો એક જીવતું-જાગત...

સોશિયલ મીડિયા શાપ કે વરદાન, પસંદગી આપણી છે

  સોશિયલ મીડિયા શાપ કે વરદાન, પસંદગી આપણી છે સવારના ઉઠતાની સાથે જ હાથમાં સ્માર્ટફોન અને સ્ક્રીન પર સોશિયલ મીડિયાની નોટિફિકેશન એ આપણી જીવનશૈલીનો અવિભાજ્ય અંગ બની ગઈ છે. ડિજિટલ ક્રાંતિએ માનવજાતને જોડવાની, વાતચીત કરવાની અને માહિતી મેળવવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે. સોશિયલ મીડિયા આજે માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ તે માનવીય લાગણીઓ, સામાજિક અભિપ્રાયો અને સંબંધોને આકાર આપતું એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. ઘણીવાર ચર્ચાઓ થાય છે કે સોશિયલ મીડિયા આપણને સમાજથી કાપી રહ્યું છે, પણ જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો આ સિક્કાની બીજી બાજુ અત્યંત આશાસ્પદ અને પ્રેરણાદાયી છે. મારા માટે સોશિયલ મીડિયા એ માત્ર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ્સ નથી, પણ તે સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા બાળકો માટેની એક બારી છે. આ એવા બાળકો છે જેમની પાસે વાચા નથી, પણ જેમના સપનાઓમાં પાંખો છે. મેં જોયું છે કે જ્યારે આ બાળકોની સંઘર્ષગાથા, તેમની નાની-નાની સિદ્ધિઓ અને તેમની જીજીવિષાને મેં ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી, ત્યારે તે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી. જે બાળક ક્યારેય બોલી શકતું નહોતું, તે આજે સંગીત, કલા અને નૃત્ય દ્વ...

સંવેદનાનું સ્ટેજ, માનવતાનો વેશ

 સંવેદનાનું સ્ટેજ, માનવતાનો વેશ  તાજેતરમાં જોશ ફાઉન્ડેશન દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો, જેનો વિષય હતો વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. આ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ જીવન પ્રત્યેના એક સર્વગ્રાહી અભિગમનું જીવંત ઉદાહરણ હતું. જ્યારે 14 વિવિધ શાળાઓના 230 થી વધુ શ્રવણમંદ બાળકો મંચ પર પરફોર્મ કરવા ઉતર્યા, ત્યારે વાતાવરણમાં એક અદભૂત ઉર્જાનો સંચાર થયો. આ એવા બાળકો હતા જે સાંભળી શકતા નથી, પણ જેમની સંવેદનાઓ દુનિયાના કોઈ પણ સામાન્ય માણસ કરતા કદાચ વધુ તીવ્ર છે. સામાન્ય રીતે આ ખાસ બાળકોને કોઈપણ વિષય સમજાવવા અને તૈયાર કરવા માટે સમય લાગે છે. અમે તેમને બે મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ પરિણામ જે આવ્યું તે અકલ્પનીય હતું. દરેક શાળાએ આ થીમને પોતાની રીતે રજૂ કરી. કોઈએ માનવ તસ્કરી, સ્ત્રી અત્યાચાર અને ગરીબી જેવા સામાજિક દૂષણો પર પ્રહાર કર્યો, તો કોઈએ ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી વિશ્વને વધુ સુંદર બનાવવાનો સંદેશ આપ્યો. કેટલીક કૃતિઓમાં ભારતની વિવિધતા અને સંયુક્ત પરિવારના મૂલ્યોની ઝલક જોવા મળી, તો કેટલીક શાળાઓએ પર્યાવરણની જાળવણી, પ્રદૂષણ મુક્તિ અને વડીલો તેમજ પશુ-પંખીઓ પ્રત્યેના આદરને 'એક ધરતી' ન...

વિચાર્યા વગરનો વિચાર: શું આપણે આપણી ક્ષમતાઓ પ્રત્યે અજાણ છીએ?

 વિચાર્યા વગરનો વિચાર: શું આપણે આપણી ક્ષમતાઓ પ્રત્યે અજાણ છીએ? વિચાર્યા વગર વિચારવું. સાંભળવામાં આ વિષય જેટલો વિચિત્ર લાગે છે, એટલો જ રસપ્રદ છે! તાજેતરમાં મેં એક પુસ્તક વાંચ્યું જેમાં લખ્યું હતું કે મનુષ્ય પાસે વિચારવાની અદભૂત શક્તિ છે, પરંતુ મોટાભાગના લોકો ખરેખર ‘વિચાર્યા’ વગર જ પોતાના વિચારોનો ઉપયોગ કરે છે. આવું કેમ? માનવજાતનો સૌથી મોટો ‘રોગ’ છે - બહાનાબાજી અને બીજા પર દોષારોપણ. અસંખ્ય લોકો સામાન્ય જીવન જીવે છે અને પોતાની નિષ્ફળતાઓને તર્કબદ્ધ બહાનાઓ નીચે છુપાવતા રહે છે. તેઓ એવી દલીલો રજૂ કરે છે જાણે આખી દુનિયાની મુસીબતો માત્ર તેમના માટે જ સર્જાઈ હોય! પરંતુ તેની સામે એવા પણ લોકો છે જેઓ સમાન અથવા તેનાથી પણ કપરી પરિસ્થિતિમાં હોવા છતાં આસમાની સફળતા મેળવે છે. આ તફાવત માત્ર 'સભાન વિચાર પ્રક્રિયા'નો છે. તાજેતરમાં મારી એક ક્લાયન્ટ સાથે મારે ખૂબ ઊંડી ચર્ચા થઈ. તેમને સાંભળવાની તકલીફ હતી. મેં તેમને સમજાવ્યું કે તે બુદ્ધિશાળી હોવાથી તેમનું મગજ અધૂરા શબ્દોને આપમેળે પૂરા કરી લે છે, કારણ કે મગજમાં ભાષા પહેલેથી જ નોંધાયેલી છે. પરંતુ વય વધવાની સાથે મગજ અવાજને પ્રોસેસ કરવામાં ધીમું પડે ત્યારે ...

કમ્યુનિકેશન અને કનેક્શન જ આત્મશુદ્ધી તરફનું એક ડગલું છે

 કમ્યુનિકેશન અને કનેક્શન જ આત્મશુદ્ધી તરફનું એક ડગલું છે સમયનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે, પરંતુ ક્યારેક થોભીને પાછળ જોવું અનિવાર્ય બની જાય છે. આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં કોરોના જેવી વૈશ્વિક મહામારીઓ અને અણધારી કુદરતી આફતોએ આપણને ઘણું શીખવ્યું છે. સૌથી મોટું દુઃખ એ છે કે આપણે અનેક તેજસ્વી અને નાની ઉંમરના આત્માઓને ગુમાવ્યા છે. આ આઘાત વચ્ચે આજે જ્યારે આપણે સમાજ તરફ નજર કરીએ છીએ, ત્યારે ચારેબાજુ વધતી જતી ક્રૂરતા, નૈતિક મૂલ્યોનું પતન અને સંબંધોમાં વધતી અસલામતી જોઈને હૃદય દ્રવી ઉઠે છે. સૌથી ગંભીર બાબત એ છે કે મનુષ્યનો વિશ્વાસ આજે ડગી રહ્યો છે કે ઈશ્વર પરથી પણ અને સ્વયં પોતાના પરથી પણ. આપણે 'સેલ્ફી' અને સોશિયલ મીડિયાની ઝાકઝમાળમાં એટલા ખોવાઈ ગયા છીએ કે અરીસામાં દેખાતા ચહેરા પાછળનો માણસ ભૂલાઈ ગયો છે. શાળાના દિવસોમાં આપણા શિક્ષકો વારંવાર કહેતા કે માનવતાનો ટકાવ માત્ર કમ્યુનિકેશન અને કનેક્શન પર આધારિત છે. ટેકનોલોજીએ દુનિયાને નાની તો બનાવી દીધી, કનેક્શન પણ ફાસ્ટ કરી દીધું, પરંતુ કમનસીબે સાચો સંવાદ ઘટતો ગયો છે. આજે માણસ હજારો માઈલ દૂર બેઠેલી વ્યક્તિ સાથે તો વાત કરી શકે છે, પણ પ...

સંઘર્ષથી સફળતા તરફ: જીવનનો અસલી મંત્ર 'બાઉન્સ બેક'

 સંઘર્ષથી સફળતા તરફ: જીવનનો અસલી મંત્ર 'બાઉન્સ બેક' જીવન એ એક વહેતી નદી જેવું છે, જેમાં ક્યારેક શાંત પ્રવાહ હોય છે તો ક્યારેક તોફાની મોજાં. પણ આ પ્રવાહમાં સૌથી સુંદર વાત એ છે કે, આપણે જે કંઈ કરીએ છીએ તેની બે બાજુઓ હોય છે. એક અંધકારમય અને બીજી પ્રકાશમય. આપણી સફળતાનો આધાર એ વાત પર છે કે આપણે કઈ બાજુ પર આપણી નજર ટકાવીએ છીએ. જો આપણે ઉજળી બાજુએ, આનંદની બાજુએ અને લોકકલ્યાણની બાજુએ ધ્યાન કેન્દ્રિત કરીએ, તો જીવનમાં ગમે તેટલા મોટા આઘાત આવે, આપણે સહેલાઈથી બાઉન્સ બેક કરી શકીએ છીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે સમજાવ્યું છે કે આત્મા અજર-અમર છે. શરીર તો માત્ર એક વસ્ત્ર છે, જે રીતે આપણે જૂના વસ્ત્રો તજીને નવા ધારણ કરીએ છીએ, તેમ આત્મા પણ એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે. આ સત્ય સમજાય ત્યારે સમજાય છે કે જીવનમાં આવતા ઉતાર-ચઢાવ એ માત્ર એક પ્રક્રિયા છે. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા આ કુદરતી ક્રમ છે જેને રોકી શકાતો નથી. ગીતા કહે છે કે જે રીતે આપણે ટાઢ અને તડકાને સહન કરીએ છીએ, તે જ રીતે સુખ અને દુઃખને પણ સમાન ભાવે સ્વીકારતા શીખવું જોઈએ. જ્યારે આપણે આપણા કાર્યો પાછળ કોઈ ફળની અપેક્ષા રાખ્યા વિન...

સોશિયલ મીડિયાની સરખામણી કે સેલ્ફ-રિફ્લેક્શન? આપણે શું સાંભળવું અને શું જોવું તે નક્કી કરવું જરૂરી

 સોશિયલ મીડિયાની સરખામણી કે સેલ્ફ-રિફ્લેક્શન? આપણે શું સાંભળવું અને શું જોવું તે નક્કી કરવું જરૂરી ધ્વનિ અને દ્રશ્યમાં છુપાયેલી સકારાત્મકતાને એક પ્રજ્ઞાચક્ષુ કે શ્રવણની ક્ષતિ ધરાવતી વ્યક્તિ જેવી રીતે સમજી શકે, તેવી રીતે કદાચ બીજું કોઈ નહીં સમજી શકે. તાજેતરમાં જ મને મારી એક પેશન્ટને મળવાનો લ્હાવો મળ્યો, જેમના શ્રવણની તકલીફમાં છેલ્લા ૨૦ વર્ષથી હું તેમને મદદ કરી રહી છું. આજે તેઓ ૯૧ વર્ષના છે અને ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે. તેમના મુખેથી નીકળતો દરેક શબ્દ ભક્તિનો અર્ક છે. તેમની ઈચ્છાને માન આપીને જ્યારે હું તેમને મળવા ગઈ, ત્યારે તેમણે જે શબ્દો કહ્યા તે મારા હૃદયને સ્પર્શી ગયા. તેમણે અત્યંત કૃતજ્ઞતા સાથે કહ્યું, તમે મને જે સાંભળવાની શક્તિ આપી, તેનો સૌથી મોટો ફાયદો એ નથી કે હું મારા પરિવાર સાથે વાત કરી શકું છું, પણ એ છે કે હવે હું મારો પોતાનો અવાજ સાંભળી શકું છું. મારો પોતાનો અવાજ સાંભળીને મને લાગે છે કે હું મારા પ્રભુ માટે વધુ સારી રીતે ભજન ગાઈ શકું છું. હવે મને ખાતરી થાય છે કે પ્રાર્થના કરતી વખતે મારા ઉચ્ચારો સાચા છે અને હું કોઈ ભૂલ નથી કરી રહી. એક ૯૧ વર્ષની વયે ઈશ્વર પ્રત્યેનું ...