વિચારોનું સેલ્ફ-રીપ્રોગ્રામિંગ કરશો તો જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ મળશે
વિચારોનું સેલ્ફ-રીપ્રોગ્રામિંગ કરશો તો જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ મળશે આજે સકારાત્મકતા પરના મારા ૨૫૦મા લેખનો પડાવ છે. ક્યારેક વિચાર આવે છે કે આ સફર ક્યારે શરૂ થઈ? કેવી રીતે હું કોઈ પણ અવરોધ વગર સતત ૨૫૦ લેખ લખી શકી? આ લેખો કેટલા લોકોએ વાંચ્યા હશે, કોને તેમાંથી બેઠાં થવાની શક્તિ મળી હશે કે કોણે મારી દ્રષ્ટિને સ્વીકારી હશે, એનો આંકડો કદાચ મારી પાસે નથી. પણ એક વાત ચોક્કસ છે: આ પ્રક્રિયામાં હું પોતે અંદરથી બદલાઈ ગઈ છું. મારા જીવનમાં સકારાત્મકતાનો આ રિપલ ઇફેક્ટ એટલે કે તરંગાકાર પ્રભાવ પેદા કરનાર મારા એ વિશિષ્ટ બાળકો છે, જેઓ સાંભળી શકતા નથી. આ બાળકો સાથેનો મારો રોજિંદો સંવાદ મને જીવનનું સૌથી મોટું સત્ય સમજાવે છે. ઈશ્વરે આ બાળકોને એક અદ્ભુત શક્તિ આપી છે, પડકારો સામે અણનમ રહેવાની અને સ્મિત સાથે જીવવાની શક્તિ. આપણા માટે સુખ હંમેશા ભવિષ્યમાં હોય છે, આવતીકાલે કરીશું, આવતીકાલે સુખી થઈશું. પણ આ બાળકો માટે સકારાત્મકતા એ ભવિષ્યનો વાયદો નથી, પણ જીવવાની રીત છે. આજે જ્યારે દુનિયામાં માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વધી રહ્યા છે, લોકો તણાવ અને નકારાત્મકતાથી ઘેરાયેલા છે, ત્યારે આ બાળકો એક જીવતું-જાગત...