Posts

Showing posts from June, 2021

આ વિશ્વમાં દરેક વાતનો એક નિશ્ચિત સમયગાળો છે; ઉતાવળે આંબા પાકતા નથી

    ||  આ વિશ્વમાં દરેક વાતનો એક નિશ્ચિત સમયગાળો છે ; ઉતાવળે આંબા પાકતા નથી || યુવાનનાં લક્ષણો કયાં એ વિશે હું વાંચી રહી હતી. યુવાન એને કહેવાય, જે તેજસ્વી, ધગશવાન, અસાધારણ રીતે વિચક્ષણ અને સદા સતર્ક હોય. દિલથી યુવાન એને કહેવાય, જેને જીવન પ્રત્યે લગાવ હોય અને એક યુવાન વ્યક્તિનાં બધાં જ લક્ષણો જેમાં જોવા મળે.  યુવાન વ્યક્તિ અને દિલથી યુવાન એ બન્ને પ્રકારના માણસો આખો દિવસ સૂર્યપ્રકાશમાં ચમકતા રહેનારા સૂર્યમુખી જેવા હોય છે અને રાત્રે શાંત થઈને બીજા દિવસની સવારે ફરી પ્રવૃત્તિમય બનવાની રાહ જોતા હોય છે. આ માણસો વાતાવરણ અનુસાર પોતાને ઢાળતા હોય છે, ખુલ્લા દિલે હસી શકતા હોય છે અને જરૂર પડ્યે શાંત પણ રહી શકે છે. અંતરથી પ્રકાશમાન રહેનારી વ્યક્તિ હંમેશાં મનથી યુવાન રહી શકે છે.  રાધા-કૃષ્ણનો પ્રેમ હંમેશાં દરેક વ્યક્તિના મનમાં યુવાન રહેશે, કારણ કે એ વિશુદ્ધ હતો અને એમાં પરસ્પરની ઊંડી સમજ હતી. તેઓ જીવનના તમામ સંજોગોમાં સતત સકારાત્મક બનીને રહ્યાં હતાં.  મહાભારતમાં મનુષ્યના અનેક ગુણ અલગ અલગ પાત્રો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ પ્રેમ અને પવિત્રતાના ભાવ રાધા-કૃષ્...

યુવાનો, ચાલો,આ વિશ્વને ફરીથી સુંદર બનાવીએ

|| યુવાનો, ચાલો,આ વિશ્વને ફરીથી સુંદર બનાવીએ ||   ભગવાન કૃષ્ણે પોતે કહ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર અધર્મ વધી જાય છે ત્યારે તેઓ અવતાર ધારણ કરે છે. આ લખાઈ રહ્યું છે એ સમયે કોરોના કાળ ચાલી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં આ વિષાણુએ ભયનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે ત્યારે ભગવાને અવતાર લેવાની જરૂર છે. અતિસૂક્ષ્મ આ વિષાણુને લીધે લાખો લોકોનાં મોત થયાં છે અને આર્થિક તથા તબીબી કટોકટી સર્જાઈ છે. કોરોના રોગચાળાને લીધે લોકોના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થયો હોવાથી ચિંતા, વ્યગ્રતા, વિષાદ અને અસલામતી લોકોના મનમાં ઘર કરી ગયાં છે. ખરું પૂછો તો આપણે બધાએ કૃષ્ણમાં શ્રદ્ધા રાખીને જીવનમાં રચાયેલા નકારાત્મકતાના વિષચક્રને તોડી પાડવાની જરૂર છે. ભગવાનના સુદર્શન ચક્રની જેમ આપણી આસપાસ સકારાત્મકતાનું ચક્ર રચવાની જરૂર છે. યુવા વર્ગ ઉજ્જવળ ભવિષ્ય માટે સક્રિય થાય તો એ શક્ય બનશે. હવે આપણે કૃષ્ણની દંતકથાઓ પર આવીએ. નાનપણમાં કૃષ્ણે ઘણી લીલાઓ કરી હતી. એમને ગાયો પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ ગોવાળો અને ગોપીઓ સાથે જ રહેતા. એમાં રાધા પણ સામેલ હતાં. એમને માતાપિતા તથા આસપાસના સૌ લોકો પ્રત્યે ઘણો આદર હતો. એમની બધી લીલાઓ નિ...

માતાપિતા સંતાનના ઉત્તમ આદર્શ બની શકે છે

  || માતાપિતા સંતાનના ઉત્તમ આદર્શ બની  શકે છે || કોઈ પણ દંપતીને સંતાનપ્રાપ્તિ થાય એ એમના માટે અણમોલ ઘડી હોય છે. લગ્ન પછી હંમેશાં પતિ- પત્ની બન્ને સંતાન ઈચ્છતાં હોય છે . બાળક આવ્યા બાદ પોતાને બદલે બાળકને પ્રાથમિકતા આપવાની શરૂઆત થાય છે. તમારાં સંતાનો તમારાં વિચારો, વ્યક્તિત્વ અને વર્તનનું અનુકરણ કરતાં હોય છે. સંતાન પ્રત્યેનું વાત્સલ્ય અને મમતા બાળકના વિકાસમાં પ્રતિબિંબિત થાય છે. જે રીતે છોડના ઉછેર માટે પૂરતાં હવા, પાણી અને માટી જોઈએ એ જ રીતે બાળકોના ઉછેર માટે સારા વિચારોનું સિંચન જરૂરી છે. ઉપરાંત, એમને સારું પોષણ પણ આપવું જોઈએ. સકારાત્મકતા ધરાવતા વાલીઓ પોતાના માટે અને પોતાનાં સંતાનો માટે ભરપૂર તકોનું સર્જન કરી શકે છે. બાળકને હંમેશાં માતાપિતાની હૂંફની જરૂર હોય છે. સંતાન જ્યારે પ્રૌઢાવસ્થામાં પહોંચે છે ત્યારે એ વાલીઓના મિત્ર સમાન ગણાય છે. એ સમયે પરિવારની જવાબદારીઓનું પણ એ સહિયારું વહન કરવા સક્ષમ બને છે. હું અને મારા પતિ જ્યારે શ્રવણમંદ બાળકોનાં માતાપિતાને મળીએ છીએ ત્યારે અમને એમની તકલીફોનો ખયાલ આવે છે. તેઓ શ્રવણમંદ બાળકના ઉછેરના અનેક પડકારો સહન કરતાં હોય છે. એમનું બાળક ...