મનુષ્યને વિકસવા માટે શેની જરૂર છે?
મનુષ્યને વિકસવા માટે શેની જરૂર છે ? છોડને વિકસવા માટે હવા, પાણી અને યોગ્ય જમીન મળે એટલું પૂરતું હોય છે. એ એની ઈશ્વરદત્ત પ્રકૃતિ મુજબ વિકસે છે. મનુષ્યને વિકસવા માટે ભગવાને બીજા બધા જીવો કરતાં વધુ શક્તિ-ક્ષમતા આપી છે. આમ છતાં મેં એવા ઘણા લોકો જોયા છે, જેઓ શરીરે વધે છે, પરંતુ એમની માનસિક ક્ષમતા બાળકો જેટલી જ હોય છે. એમનું વર્તન બધાને સ્વીકાર્ય હોતું નથી. ભગવાન કૃષ્ણે મનુષ્યો માટે કહ્યું છે કે કર્મ અને ધર્મનું પાલન કરીને થતો વિકાસ અગત્યનો છે. કૃષ્ણના જીવનના અલગ અલગ તબક્કે કરવામાં આવેલી લીલાઓ પરથી આ વાતનો પરિચય થાય છે. એમના વ્યવહાર કહો કે કર્મ કહો, એમાં એક વાત ઊડીને આંખે વળગે છે કે એમણે હંમેશાં જવાબદારીપૂર્વક અને પોતાના ધર્મ-કર્તવ્ય અનુસાર કામ કર્યું. એમણે પ્રતિકૂળતાઓનો સહજતાથી સ્વીકાર કર્યો અને હસતાં હસતાં પડકારોનો સામનો કર્યો. એમનું વર્તન એટલે સકારાત્મકતાનું પ્રતીક. મારા જીવનમાં પણ અનેક પડકારો-અવરોધો આવ્યા છે, પરંતુ ભગવાન કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા હોવાથી મારું જીવન આસાન બની ગયું છે. હું અપંગ બાળકોને અવરોધો પાર કરતાં જોઉં છું ત્યારે મને મારા પડકારો ઘણા નાના ...