તમે જેવું વિચારો છો, તેવું જ મેળવો છો
તમે જેવું વિચારો છો, તેવું જ મેળવો છો તાજેતરમાં એક વિમાન પ્રવાસ દરમિયાન બારીની બહાર જોતી વખતે હું મંત્રમુગ્ધ થઈ ગઈ. આકાશ સોનેરી આભા છોડીને ધીમે ધીમે ઘેરા વાદળી રંગમાં પરિવર્તિત થઈ રહ્યું હતું. જેમ જેમ જમીન પરના દ્રશ્યો ધૂંધળા થતા ગયા, તેમ તેમ મને એક ઊંડો વિચાર આવ્યો. આ અનંત આકાશ આપણા જીવનની અસીમ શક્યતાઓનું જ પ્રતિબિંબ છે. આ બદલાતા આકાશને જોઈને મને લો ઓફ એટ્રેક્શન એટલે કે આકર્ષણના નિયમની યાદ આવી. જે રીતે આકાશ ક્ષણે ક્ષણે બદલાય છે, તેવી જ રીતે આપણા વિચારો અને ભાવનાઓ આપણી વાસ્તવિકતાને આકાર આપે છે. આ સંદર્ભમાં મને ગાયિકા શ્રેયા ઘોષાલનો એક ઇન્ટરવ્યુ યાદ આવે છે. તેમણે ખૂબ સુંદર વાત કરી હતી કે હવે તેઓ ગીતોની પસંદગી કરતી વખતે ખૂબ સભાન રહે છે. તેઓ એવા જ શબ્દો કે સુરાવલીઓ પસંદ કરે છે જે તેમના જીવનના મૂલ્યો સાથે મેળ ખાતા હોય. તેમનું માનવું છે કે આપણે જે ગાઈએ છીએ કે બોલીએ છીએ, તે આપણી આસપાસ એક ઉર્જાનું નિર્માણ કરે છે. આ જ તો આકર્ષણનો નિયમ છે. તમે જે બ્રહ્માંડને આપો છો, તે જ બમણું થઈને તમારી પાસે પાછું આવે છે. લો ઓફ એટ્રેક્શનનો સાદો સિદ્ધાંત છે સમાનતા સમાનતાને આકર્ષે છે. જો આપણે સતત નિષ્ફળતા, ...