ઘણી બધી નકારાત્મક અને બિનજરૂરી-નિરર્થક વાતો સાંભળવાથી આપણા જીવનને નુકસાન થાય છે
|| ઘણી બધી નકારાત્મક અને બિનજરૂરી-નિરર્થક વાતો સાંભળવાથી આપણા જીવનને નુકસાન થાય છે || માણસમાં સાંભળવાની શક્તિ એટલે કે શ્રવણશક્તિ ઘણી મહત્ત્વની હોય છે, પરંતુ એ શક્તિની મદદથી આપણે સુખનો પ્રસાર કરી શકીએ એ વધુ મહત્ત્વનું છે. આપણને સારું લાગે અને આપણું જીવન સલામત બને એ રીતે સાંભળવું જોઈએ એવું મારું માનવું છે. ઘણો ઉંચો અવાજ આપણી શ્રવણશક્તિને નુકસાન પહોંચાડે છે. એ જ રીતે ઘણી બધી નકારાત્મક અને બિનજરૂરી-નિરર્થક વાતો સાંભળવાથી આપણા જીવનને નુકસાન થાય છે. કૃષ્ણના મામા કંસને આકાશવાણી સંભળાઈ હતી કે દેવકીનું આઠમું સંતાન એનો વધ કરશે, પરંતુ કંસ હંમેશાં પોતાના ઘમંડમાં રહ્યો અને પોતે જે સાંભળ્યું એને ખોટું ઠેરવવાનો પ્રયાસ કર્યો. કોરોના રોગચાળાએ બધા મનુષ્યોને એ સમજાવી દીધું છે કે ભગવાનનું અસ્તિત્વ છે અને તેઓ જ આપણા જીવનને સલામત રાખી શકે છે. આપણે એમનામાં શ્રદ્ધા રાખવી જોઈએ. ઘણા યુવાનોને ભગવાનના અસ્તિત્વ વિશે શંકા હોય છે. એમની એ શંકા વિશે મને કહેવાનું મન થાય છે કે તમે અત્યારે ભગવાન વિશે વિચાર કરવા માટે જીવતા છો એ જ દર્શાવે છે કે પ્રભુનું અસ્તિત્વ છે. એમનામાં ધ્યાન પરોવશો તો સલામત રહી શ...