|| શ્રદ્ધા રાખવાથી ચમત્કારો સર્જાશે! ||
|| શ્રદ્ધા રાખવાથી ચમત્કારો સર્જાશે ! || ' વિશ્વાસે વહાણ ચાલે ' એ ઉક્તિ ઘણી પ્રચલિત છે. વિશ્વાસનું બીજું નામ શ્રદ્ધા. જો તમે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને પૂર્ણ રીતે અથવા સારી રીતે સમજી લેશો તો તમને જીવવાની પણ ઘણી મજા આવશે. આપણે જોઈ શકીએ છીએ કે ભગવાને પર્વતો, નદીઓ, સૂર્ય-ચંદ્ર-તારાઓ, પશુ-પંખીઓ, વગેરે સાથેનું વિશ્વ બનાવ્યું છે. મનુષ્યને એ બધી જ વસ્તુઓ ગમે છે. પ્રભુએ મનુષ્યને એવો બનાવ્યો છે કે એ વિચાર કરી શકે છે અને અકલ્પનીય સર્જનો પણ કરી શકે છે. જો કે, એ બધું સર્જન કર્યા પછી માણસે સમજી લેવું જોઈએ કે ભગવાનના સાથ વગર એ બધાં સર્જન શક્ય નથી ; તેની મદદથી જ મનુષ્ય બધું કરી શકે છે. શ્રીકૃષ્ણ હંમેશાં ગાયોથી ઘેરાયેલા રહેતા અને ગાયની નિર્દોષતા તેમને ગમતી. ગાયની પાસે મનુષ્ય જેવું મગજ નથી. તેને હંમેશાં બીજાને કંઈક આપવાનું ગમે છે. આપણે ગોગ્રાસ આપીએ નહીં તોપણ એ દૂધ આપવાની ના પાડતી નથી. ગાયને કોઈ શિરપાવની પણ અપેક્ષા હોતી નથી. ગાય હોય કે બીજો કોઈ જીવ હોય, તેમની રચના કુદરતે એવી રીતે કરી છે કે મુશ્કેલ સ્થિતિઓમાં તેઓ બીજાઓની કાળજી રાખે છે. તેઓ શ્રદ્ધાનું ખરું પ્રતીક છે. ભગવાને મનુષ્યને પણ ઘ...