Posts

Showing posts from January, 2024

જીવનના પ્રવાસમાં સંબંધોનું વાઈફાઈ ઓન રાખો

  જીવનના પ્રવાસમાં સંબંધોનું વાઈફાઈ ઓન રાખો ઘણી વાર આપણે સોલ કનેક્શનની વાતો સાંભળી છે. કેટલીક વ્યક્તિ સાથે આપણે પહેલી વાર મળ્યા હોઈએ તો પણ એક જોડાણનો અનુભવ કરીએ છીએ. એવું લાગે છે કે આપણે કદાચ તેને પહેલેથી જાણીએ છીએ, પણ હકિકતમાં એવું હોતું નથી. બ્રહ્માંડમાં મનુષ્યો કોઈને કોઈ રીતે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. સ્વસ્થ અને સુખમય જીવન માટે સામાજિક જોડાણ જરૂરી બની રહી છે. જન્મ વખતે એક બાળક ખાલી તેના માતા-પિતા સાથે કનેક્ટેડ રહે છે. સમય જતાં તે ધીરે ધીરે નવા ફ્રેન્ડઝ બનાવે છે, પરિવાર સાથે પોતાનો સંબંધ વિકસાવે છે. તાજેતરમાં હું સિએટલમાં અમેરિકન એકેડેમી ઑફ ઑડિયોલોજીના કાર્યક્રમમાં હાજર રહી હતી ત્યારે સંશોધનમાં નવી પરિભાષા સામાજીક પ્રિસ્ક્રિપ્શન વિશે સાંભળ્યું. તે હોવું બહુ જરૂરી છે. શારીરિક રીતે અક્ષમ લોકોને સામાજિક સ્તરે કનેક્શન વિકસાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેમના માટે આ યુનિવર્સ મારા માધ્યમથી મદદ કરી રહ્યું છે. સંબંધો સાચવવા માટે જીવનનું વાઈફાઈ હંમેશા ઓન રાખવું જરૂરી છે. હું જ્યારે વિદેશ પ્રવાસે ગઈ છું અને મૂંઝવણમાં મૂકાઈ છું ત્યારે અજાણી વ્યક્તિ મારી મદદની વ્હારે આવી છે. તેમનું માર...

જીવનમાં આગળ વધવાની કળા કેળવવી જરૂરી

  જીવનમાં આગળ વધવાની કળા કેળવવી જરૂરી કહેવાતું રહ્યુ છે કે જીવનમાં આગળ વધવું હોય તો ભુતકાળમાં થયેલી ભુલોનુ પુનરાવર્તન ટાળીને આગળ વધતા રહો, પરંતુ સંશોધકોનાં એક જૂથનું કહવું છે કે હકીકતે આ શિખામણથી વિરુધ્ધનું પગલુ યોગ્ય કહી શકાય. સંશોધકોનું કહેવું છે કે એકવાર નિષ્ફળ થતા તે માટે થયેલી ભુલનું દુ:ખ અનુભવીને તેને સુધારીને ભવિષ્યમાં વધુ સારુ કરવાની વૃતિ જ જીવનમાં આગળ લઇ જાય છે. સંશોધકોના ધ્યાને આવ્યું છે કે મોટાભાગના કોઇક વાતે નિષ્ફળ રહેતા, તેમાં કારણરુપે બહાના શોધતા હોય છે. પોતાના અભિમાનને બચાવવાનો પ્રયાસ કરતા હોય છે. નિષ્ફળતામાં પોતાની કોઇ ભૂલ ના હોવાનું કહેતાં હોય છે. આવાં વલણને કારણે થયેલી ભુલને સુધારવાની વૃતિ જન્મતી જ નથી અને બીજી વાર એવી જ સ્થિતિ જન્મે તો તેનો સામનો કરી શકતા નથી, પરંતુ જે લોકો નિષ્ફળ થતા દુ:ખ અનુભવીને તે ભૂલને સુધારવા પ્રયાસ કરતા હોય છે તેઓ જીવનમાં તે ભુલનું પરિવર્તન કરતા નથી અને આગળ વધતા હોય છે. બીજી વાર એવી જ ભૂલ કરવાથી તેઓ બચતા હોય છે. ભગવાન કૃષ્ણએ તેમના જીવનમાં તેમના વર્તન દ્વારા ખૂબ જ સારી રીતે વર્ણવ્યું છે કે આપણે માનવીએ વિકાસ કરવાની જરૂર છે, અને આપણે એવી રીતે...

જેને પ્રેમ કરો તેના આભારી રહો

 જેને પ્રેમ કરો તેના આભારી રહો પ્રેમ એ એવી લાગણી છે જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જ્યારે તમે કોઈને પણ પૂછો કે પ્રેમ એટલે શું? ત્યારે દરેકની વ્યાખ્યાઓ દરેકના દ્રષ્ટિકોણ મુજબ અલગ જ હોવાની. દરેકની વિચારસરણીના પેરામીટરના માપ અલગ જ હોવાના, પણ તે પૂરતા તો ન જ હોઈ શકે કેમ કે, માત્ર અઢી અક્ષરના આ શબ્દનો અર્થ કરવા બેસીએ તો કદાચ અનંત શબ્દો મળીને પણ તેની પૂરતી વ્યાખ્યા માટે ઓછા પડે! પણ આ લાગણીને જો સમજી શકીએ ને તો પ્રેમ શબ્દ પોતે જ તેના અર્થ માટે પૂરતો લાગે. કોઈપણ સંબંધમાં રહેલ પ્રેમના સેતુના પાયામાં વિશ્વાસ ખૂબ જ જરૂરી છે, કેમ કે, ” પ્રેમ એક એવો વિશ્વાસ જેનું પ્રમાણ ન તો આપી શકાય કે ન તો લઈ શકાય માત્ર માની શકાય.” વિશ્વાસના પરિબળની સાથે સાથે પ્રામાણિકતા, સ્વતંત્રતા અને સન્માનના પરિબળો પણ પ્રેમના સેતુમાં મહત્વનો ભાગ ભજવે છે, આમાંથી કોઈ એકના પણ અસ્થિર થવાથી જે તે સંબંધમાં રહેલ પ્રેમનો સેતુ જોખમમાં મુકાઈ શકે છે. દુનિયાની બીજી વસ્તુઓને નફા નુકસાનના ત્રાજવે તોલતા આપણે ક્યારેક આ પ્રેમને પણ ત્રાજવે ચડાવી દેતા હોઈએ છીએ, ઘણીવખત આપણી ફરિયાદ હોય છે કે જે તે સંબંધમાં મેં જેટલો પ્રેમ આપ્યો એટલો સામેન...