Posts

Showing posts from November, 2022

આપણે દુનિયાને જેટલું સુખ આપશું એટલું જ પાછું પણ મળશે

આપણે દુનિયાને જેટલું સુખ આપશું એટલું  જ પાછું પણ મળશે       મેં ક્યાંક વાંચ્યું હતું,  “ તમારી આવડત ભગવાને તમને આપેલી ભેટ છે. તમે એ આવડતની મદદથી કયું સારું કામ કરો છો એ તમે ભગવાનને આપેલી ભેટ છે. ”   અત્યારે વિશ્વભરમાં જોઈ શકાય છે કે લોકોની રચનાત્મકતા ચરમસીમાએ છે. ભગવાને આપણને બ્લેક ઍન્ડ વ્હાઇટ ટીવી આપ્યું હતું, હવે આપણે એમાં નવા રંગ ઉમેરી રહ્યા છે. આ રંગ લાગણીઓના, કૌશલ્યના, વિચારોના અને આપણી રચનાઓના હોઈ શકે છે.    જાપાનની એક રેસ્ટોરાંમાં માછલીની એક વાનગી છેલ્લાં 80 વર્ષોથી અલગ અલગ રીતે બનાવવામાં આવી રહી છે. આ રેસ્ટોરાંમાં દર વખતે એ વાનગીનો રંગ અલગ હોય છે. તેનો સ્વાદ એવો ને એવો જ છે, પણ રંગ દર વખતે બદલાય છે. તેને કારણે લોકોનું તેના પ્રત્યેનું આકર્ષણ ટકી રહ્યું છે. કોઈકે એ વાનગી વિશે પૂછ્યું હતું કે  “ શું તમે એકની એક વાનગી બનાવીને કંટાળી ગયા નથી ?”  એમને જવાબ મળ્યો,  “ અમે દરરોજ અમારી કુશળતાનો અને નવા વિચારોનો ઉપયોગ કરીએ છીએ. એને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય એવો જ અમારો પ્રયત્ન હોય છે. ”  એક જ કામને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય...

મહિલાઓ પોતાની જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે પોતાના માટે સમય પણ કાઢે

મહિલાઓ પોતાની જવાબદારીઓ નિભાવવાની  સાથે સાથે પોતાના માટે સમય પણ કાઢે      મહિલાઓ સમાજમાં અનેક ભૂમિકાઓ નિભાવે છે અને લાગણીઓનો ભંડાર હોય છે. દીકરી, બહેન, પત્ની અને માતા તથા અન્ય સંબંધોમાં એ પોતાની ભૂમિકા સુપેરે બજાવે છે. આપણે ફક્ત મહિલા દિન પૂરતું નહીં, પરંતુ આખું વર્ષ એમના કાર્યને બિરદાવવાની અને ઊજવવાની જરૂર છે.    રાધા અને મીરાં એ બે પાત્રો આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. એમણે વધારે શિક્ષણ લીધું ન હતું, પરંતુ ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જ એમનો મોટો ગુણ છે. એ બન્ને જણ પ્રેમ અને ભક્તિના દૂત સમાન હતી.    ઝાંસીની રાણી અને અહિલ્યાબાઈ હોળકર વીર યોદ્ધા હતી. આ જ રીતે મધર ટેરેસા કરુણામૂર્તિ હતાં. સામાન્ય માણસો જેમનાથી દૂર ભાગતા એવા રક્તપિતિયા લોકોની એમણે સેવા કરી હતી. આ જ રીતે આ વિશ્વમાં કેટલીય મહિલાઓ છે, જેઓ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સક્રિય છે. દેશ માટે જીવન ન્યોછાવર કરનારા જવાનોની માતાઓ તો દેવતાતુલ્ય છે.    આ માનવજાત મહિલાઓ થકી આગળ વધે છે અને મહિલાઓ જ પરિવર્તન લાવવા સક્ષમ છે. પુરુષોની સાથે મળીને આ વિશ્વને વધુ સુંદર બનાવી શકાય છે.  ...

ઈશ્વરની વિશેષ રચના પાસે રચનાત્મકતાની વિશેષતા કેટલી છે?

 ઈશ્વરની વિશેષ રચના પાસે રચનાત્મકતાની વિશેષતા કેટલી છે? સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્યની રચના વિશેષ ગણાય છે. ભગવાને દરેક મનુષ્યને વિશેષતાઓ બક્ષી છે. આ દૃષ્ટિએ જોઈએ તો ભગવાન ઘણા જ સર્જનશીલ છે. ઈશ્વરે સર્જેલી આ સુંદર દુનિયા બદલ હું એમનો પાડ માનું છું. હું પોતે પણ આ દુનિયાનો અંશ છું એનું ગૌરવ પણ મને છે. મનુષ્ય પોતે ઈશ્વરનું સુંદર સર્જન હોવા ઉપરાંત મનુષ્ય પોતે ઘણો સર્જનશીલ છે. મનુષ્યની ઉત્ક્રાંતિમાં ઊડીને આંખે એવું એક તત્ત્વ તેની સર્જનશક્તિ છે. મનુષ્ય હંમેશાં કંઈક નવું કરવાનું વિચારતો હોય છે. એને એકની એક ઘરેડ પસંદ નથી. આમ છતાં ક્યારેક માણસને નકારાત્મકતા ઘેરી વળે છે અને ત્યારે સર્જનશક્તિ કુંઠિત થઈ જાય છે. પરિણામે, એ મનુષ્યનો વિકાસ થંભી જાય છે. ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં અર્જુનને કહ્યું હતું, "હું આ સૃષ્ટિનો રચયિતા છું. હું દરેક મનુષ્યને પોતાની જવાબદારીઓનું વહન કરવા માટે માર્ગદર્શન આપું છું." વર્તમાન સમયને જોઈએ તો, આજે જીવનને વધુ સારી રીતે સમજવા માટે સર્જનશક્તિ- રચનાત્મકતાની જરૂર છે. આપણે બાળકોને પર્યાવરણ, લાગણીઓ, શિક્ષણ એ બધા વિશે નવી રીતે શીખવવાની આવશ્યકતા છે...

ચાલો, જીવનના અનુભવોનું ભાથું બાંધીને પ્રબુદ્ધત્વ તરફ પ્રયાણ કરીએ

  ચાલો, જીવનના અનુભવોનું ભાથું  બાંધીને  પ્રબુદ્ધત્વ તરફ પ્રયાણ કરીએ   ગૌતમ બુદ્ધને જીવનનો બોધ થયો અને એથી એમણે પ્રબુદ્ધત્વ પ્રાપ્ત કર્યું કહેવાય છે. સમગ્ર સૃષ્ટિની રચના અને એમાં આપણા અસ્તિત્વ વિશેનો બોધ પ્રાપ્ત કર્યાની આ સ્થિતિ પામવાનો દરેક મનુષ્યનો યત્ન હોવો જોઈએ. ભગવાન કૃષ્ણના માર્ગદર્શન હેઠળ મહાપ્રભુજીએ કર્મ જ ધર્મ છેનો સંદેશ આપ્યો છે. આ વિશ્વમાં પ્રેમ અને કર્મ એ બન્નેને સૌથી વધુ મહત્ત્વ આપવાની વાત એમણે કરી છે. બૌદ્ધ અને હિન્દુ ધર્મમાં કહ્યું છે કે આ સૃષ્ટિ સાથે તમે એકરૂપતા અનુભવો ત્યારે તમારામાં કોઈ ઈચ્છા બાકી રહેતી નથી અને ઈશ્વરે આપેલી સભાનતા જાગૃત થાય છે. ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં પણ કહેવાયું છે કે મનુષ્યમાં સભાનતા જાગૃત થાય ત્યારે પ્રભુ સાથે તાદાત્મ્ય સધાય છે. આજે સમય આવી ગયો છે, જ્યારે આપણે પોતાના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરવો રહ્યો. મહાપ્રભુજીએ આ સૃષ્ટિનાં પાંચ તત્ત્વો – જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને અગ્નિની પણ વાત કરી હતી. સૂર્ય ક્યારેય રજા લેતો નથી. હવામાં ઓક્સિજનનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે છે. તમામ જીવોનું એક જીવનચક્ર ચાલતું હોય છે. તેમણે એમ પણ ...