જીવનનો સાચો અર્થ એટલે આધ્યાત્મિકતા
જીવનનો સાચો અર્થ એટલે આધ્યાત્મિકતા ભગવાન કૃષ્ણ કહે છે કે મેં તમને એક જીવન આપ્યું છે અને હવે તમે તેને કેવી રીતે સંતુલિત કરી શકો છો એ સંપૂર્ણપણે તમારા પર આધાર રાખે છે. જે સમયે નકારાત્મક શક્તિનું જોર વધે ત્યારે બ્રહ્માંડને સંતુલિત કરવા ભગવાનનું અવતરણ થશે. ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો સૂચવે છે કે બ્રહ્માંડમાં ઘણી વખત ધર્મ અને અધર્મને સંતુલિત કરવા માટે વિષ્ણુ ભગવાન અવતાર લેશે. આપણે વૈજ્ઞાનિક ક્રાંતિ અને ટેક્નોલોજીમાં એટલા તલ્લીન અને વ્યસની છીએ, જાણતા અજાણતા આપણે ક્યારેય આપણા ધાર્મિક પુસ્તકોમાં ડોકિયું કર્યું નથી કે જીવનનો સાચો અર્થ શોધવા માટે આધ્યાત્મિકતાના ઊંડાણમાં ઉતર્યા નથી. મને આ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે એક 92 વર્ષીય કાકા દક્ષિણ મુંબઈથી જુહુ આવયા ,મને મળવા કારમાં એક કલાક લાંબો પ્રવાસ કર્યો હતો. તેઓ અગાઉ સ્ટોક એક્સચેન્જમાં કાર્યરત હતાં અને ત્યારબાદ ક્રિએટિવ કામમાં વ્યસ્ત થયા હતાં. થોડા વર્ષો પહેલા તેમને પાર્કિન્સન્સની બીમારી થઈ હતી અને તેને કારણે બોલવામાં મુશ્કેલી થતી હતી. તેમની દૃઢ ઈચ્છાશક્તિ એ હતી કે તેમને જલ્દી સાજા થવું હતું. આ વાત મને પ્રભાવિત કરી ગઈ. તેઓ ભગવાન કૃષ્ણના ભક્...