ઠાલાં વચનો કરતાં પ્રયત્નો સારા
ઠાલાં વચનો કરતાં પ્રયત્નો સારા કોરોનાને યાદ કરવાથી એક પ્રશ્ન થાય છેઃ મનુષ્યે ક્યાં ભૂલ કરી કે જીવલેણ રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાયો અને લાખો લોકોને ભરખી ગયો ? આપણે બધાએ આનો વિચાર કરવો જોઈએ અને તેનું વિશ્લેષણ કરવું જોઈએ. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે મનુષ્ય તરીકે જન્મ પામ્યા છીએ. ઈશ્વરે ઉદાર થઈને આપણને તેજસ્વી વિચારો કરવા માટે મગજ આપ્યું છે. આપણે ખાસ કરીને મુશ્કેલ સમયમાં , મંદિરમાં જઈએ છીએ ત્યારે ભગવાનને અને આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ. શું આપણે ખરેખર એ વચનોને અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરીએ છીએ ? હું માનું છું કે ઠાલાં વચનો આપવાને બદલે આપણે સંબંધો સુધારવા, કરુણામય અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે ખાસ પ્રયાસ કરવાની જરૂર છે. અર્જુને એકવાર ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો , " તમે કહો છો તેમ , આપણે આપણા ધર્મનું પાલન કરવા માટે સારાં કાર્યો કરવાં જોઈએ. પરંતુ વ્યક્તિ કેવી રીતે નક્કી કરશે કે એણે જે કર્યાં તે સારાં કાર્યો જ છે ?" ભગવાન કૃષ્ણે ખૂબ જ ભારપૂર્વક કહ્યું કે " સારા કર્મનું સર્જન...