|| તમે જેને સમસ્યા કહો છો એ ખરેખર સમસ્યા નથી ||

 

તમે જેને સમસ્યા કહો છો એ ખરેખર સમસ્યા નથી

 

આપણે આ બ્રહ્માંડમાં રહીએ છીએ જેમાં તારાઓ, ચંદ્ર, આકાશગંગા તથા અન્ય ગ્રહો છે અને આપણે મનુષ્યો પૃથ્વી પર રહીએ છીએ. પક્ષીઓ, પ્રાણીઓ, વગેરે દરેક વસ્તુનું પોતપોતાનું મૂલ્ય અને અસ્તિત્વ છે. સૂર્ય અને ચંદ્રને ગ્રહણની સમસ્યા નડવા છતાં દિવસ અને રાત થાય છે. માણસો ચંદ્ર, મંગળ પર ગયા હોવા છતાં, પૃથ્વી તેના નિત્ય નિયમ મુજબ કાર્ય કરે છે. ચોમાસું, શિયાળો, ઉનાળો જેવી વિવિધ ઋતુઓ આવે છે, તેમ છતાં પૃથ્વી બધું વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. વાવાઝોડું કે વરસાદ જેવી સમસ્યાઓ દિવસ કે રાતના ક્રમને બદલી શકતી નથી. આપણે ધીમી ગતિએ કામ કરીએ અથવા આ બ્રહ્માંડમાં જીવન ધીમું થઈ જાય છે, પણ તે અટકતું નથી. તે આગળ વધે છે. તેવી જ રીતે, આપણા જીવનમાં વાવાઝોડા અથવા ભારે વરસાદથી સમસ્યાઓ આવી શકે છે, આપણે પૈસા કમાવામાં અથવા સામાન્ય જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવામાં ધીમા પડી શકીએ છીએ પરંતુ આપણે અટકી શકતા નથી, આપણે આગળ વધવું પડે છે.

બ્રહ્માંડ આપણને સંદેશ આપે છે કે વાસ્તવમાં, તમે જેને તમારી સમસ્યા ગણો છો એ સમસ્યા નથી, તમે તમારી સમસ્યા પર કેવી પ્રતિક્રિયા આપો છો તે સમસ્યા છે.

કોરોના રોગચાળા દરમિયાન, ઘણાએ ચિંતા કરવાનું શરૂ કરી દીધું અને ખરેખર કામ કરવાનું બંધ કરી દીધું અને કેટલાકે તમામ પડકારોને પહોંચી વળવા ઉત્સાહ સાથે કામ કર્યું. નિષ્ક્રિય અને સક્રિય લોકોનાં પરિણામો જોવામાં આવ્યાં છે. આ રોગચાળાએ આપણને સૃષ્ટિનો નિયમ જ સમજાવ્યો ‌છે કે દરેક પડકારને પહોંચી વળવાનું શક્ય છે.

ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો અને એવી આગાહી કરવામાં આવી હતી કે દેવકીના આઠમા પુત્ર હોવાના કારણે તેઓ કંસને મારી નાખશે. આથી કંસ કૃષ્ણનાં માતાપિતા માટે તમામ સંભવિત સમસ્યાઓ ઊભી કરી. કૃષ્ણ સમસ્યા જાણતા હતા પરંતુ તેમણે જાદુ ન કર્યો, તેમણે તેમના માતા-પિતા માટે બીજો રસ્તો બનાવ્યો જેથી તેઓ જેલમાંથી જીવતા બહાર આવી શકે. એ જ રીતે જ્યારે ભગવાન ગણેશનો જન્મ થયો ત્યારે માતા પાર્વતી જાણતાં હતાં કે ભગવાન શિવ તેમના પુત્ર માટે આ પૃથ્વી પર ટકી રહેવા માટે એક સમસ્યા ઊભી કરશે, ભગવાન શિવે સમસ્યા ઊભી કરી હતી, પરંતુ ગણેશજીને હાથીનો ચહેરો મળ્યો અને એ રીતે સમસ્યાનો ઉકેલ મળ્યો. ગણપતિનો ચહેરો હાથીનો જેવો હોવા છતાં, પૃથ્વી પરના અન્ય મનુષ્યો કરતાં અલગ હોવા છતાં, આ પૃથ્વી પરના દરેક મનુષ્ય દ્વારા તેમની પ્રથમ પૂજા કરવામાં આવે છે. હિરણ્યકશ્યપ ભગવાન કૃષ્ણના ભક્ત પ્રહલાદ માટે સમસ્યા ઉભી કરી રહ્યા હતા. હિરણ્યકશ્યપને વરદાન હતું કે તેમને દિવસે કે રાતે મારી નહીં શકાય અથવા કોઈ મનુષ્ય દ્વારા મારી નહીં શકાય. તેથી ભગવાન કૃષ્ણે નરસિંહ અવતાર લીધો અને સૂર્યાસ્ત સમયે હિરણ્યકશ્યપને મારી નાખ્યો.  ભગવાન કહે છે કે દરેક સમસ્યા ખરેખર કોઈ સમસ્યા નથી હોતી અને દરેક સમસ્યાનો ઉકેલ હોય છે.

એક વખત અમારી જોશ સંસ્થાનાં બાળકોને એક જાણીતા ગાયક સાથેના એક શોમાં જિંગલ્સ ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમારે તેના માટે પાંચ બાળકોને પસંદ કરવાનાં હતાં. ત્યાં 4 બાળકો હતાં જેઓ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતાં હતાં અને તેઓએ અગાઉ જિંગલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓ જ્યાં જતાં  હતાં તે વિશેષ શાળાઓમાં ગાયન ફરજિયાત પ્રવૃત્તિ હોવાથી તેઓને લયની સમજ હતી. પાંચમી કન્યા સામાન્ય શાળામાં જતી હતી અને તેણે ક્યારેય સામાન્ય શાળામાં ગાયનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો ન હતો, પરંતુ તેની પાસે આત્મવિશ્વાસનો ગુણ હતો. તે સામાન્ય શાળામાં અભ્યાસ કરતી હતી તેથી તે સામાન્ય લોકોની જેમ બનવાના માર્ગમાં આવતા પડકારોને દૂર કરવા માટે દરરોજ હલ શોધતી. મને હજુ પણ યાદ છે કે જ્યારે મેં તેને જીંગલ્સ બનાવી આપ્યા ત્યારે પ્રથમ પાંચ મિનિટ તેણે કહ્યું કે હું કેવી રીતે કરીશ. પરંતુ પાંચ મિનિટ પછી તેણે મને કહ્યું "કોઈ વાંધો નથી, હું શીખીશ. જો હું સામાન્ય લોકોની જેમ વાત કરી શકું તો હું સામાન્ય લોકોની જેમ જિંગલ્સ કેમ ન ગાઈ શકું. તે મારી સાથે બેસીને એક કલાકમાં ગાતાં શીખી ગઈ. તે દિવસે હું શીખી કે આશા ક્યારેય છોડવી નહીં.

તેના આત્મવિશ્વાસથી મને પણ ગાવાની પ્રેરણા મળી. મને ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા હોવાથી, મને ભગવાન કૃષ્ણ વિશે થોડી પંક્તિઓ લખવાની પ્રેરણા મળી. મેં મારા મિત્ર સાથે વાત કરી, જેઓ સંગીતનું જ્ઞાન ધરાવે છે, તેણે તાલ બનાવ્યો અને પછી સંગીત નિર્દેશકે મને ગાવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે તમે ભગવાન કૃષ્ણ માટે લખ્યું છે તેથી તમે ભગવાન કૃષ્ણ માટે આ ગીતમાં શ્રેષ્ઠ લાગણીઓ લાવી શકશો. હું થોડીવાર થોભી ગઈ. મેં મારી સામે સમસ્યાઓ જોઈ કારણ કે હું સંગીત વિશે વધુ જાણતી નથી, મને તેમાં કોઈ અનુભવ નહોતો પણ મને વૉઇસ મોડ્યુલેશન વિશે થોડું જ્ઞાન છે. તે ક્ષણે મને મારા એક શ્રવણમંદ બાળકની યાદ આવી અને મેં કહ્યું "કોઈ વાંધો નથી, હું પ્રયત્ન કરીશ. ભલે મને કોઈ જ્ઞાન ન હોય પણ મને મારા વિદ્યાર્થી જેવો આત્મવિશ્વાસ છે." પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નહીં. મેં પ્રેક્ટિસ કરી, તેના માટે સખત મહેનત કરી અને જન્માષ્ટમીના દિવસે મારું એ પહેલું ગીત - "રાધા ચાલી" બધા મ્યુઝિક પ્લેટફોર્મ પર રિલીઝ થયું.

આપણા દેશના પ્રતિનિધિઓએ પેરાલિમ્પિકમાં મેડલ જીતીને આપણને ગર્વ કરાવ્યો છે. તેઓ આપણા સામાન્ય લોકોની તુલનામાં વધુ પરિપક્વ વ્યક્તિઓ છે. તેમના માટે કોઈ બહાનું નહોતું, તેઓએ ફક્ત આગળ વધવાનું શીખવાનું હતું. તેમની સમસ્યાઓ ક્યારેય તેમની સમસ્યા તરીકે રહી નથી, કારણ કે તેમની પાસે વિચારવા અને વધુ સારા માનવી બનવા માટે પૂરતો આત્મવિશ્વાસ અને પરિપક્વતા છે. કાન, આંખ કે પગ જેવી ઈન્દ્રિયો ન હોવાની તેમની અગવડતા તેમના માટે ક્યારેય સમસ્યા રહી નથી. આપણે સામાન્ય માણસો સારું ઘર, સારી કાર કે સારું કુટુંબ ન હોવાની આપણી નાની-નાની અગવડતાઓની ફરિયાદ કરતા રહીએ છીએ. આપણી સમસ્યાઓનો સામનો કરવા માટે આપણે બધા ક્યારે પરિપક્વ થઈશું? મને લાગે છે કે આપણા બધા માટે એ જાણવું અગત્યનું છે કે આપણી સમસ્યા એ સમસ્યા નથી, સમસ્યા પ્રત્યેની આપણી પ્રતિક્રિયા એ સમસ્યા છે.

આટલાં બધાં દેવી-દેવતાઓના આશીર્વાદ ધરાવતો આપણો દેશ છે. આપણે કોઈ સમસ્યાની ચિંતા કરવાની જરૂર શું છે? સૃષ્ટિ પાસે તમામ ઉકેલો છે, આપણે ચિંતા કરવાની શું જરૂર છે?

મને લાગે છે કે જો આપણે ગણિતની સમસ્યાઓ, જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અથવા ભાગાકારને હલ કરી શકીએ તો આપણે આપણા જીવનની સમસ્યાઓ પણ હલ કરી શકીએ. ગણિત કદાચ તમને સુખ કેવી રીતે ઉમેરવું અથવા દુઃખને કેવી રીતે ઓછું કરવું તે શીખવતું નથી, પરંતુ તે આપણને એક વસ્તુ શીખવે છે, દરેક સમસ્યાનો ઉકેલ હોય છે.

………..

 

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...