જીવન એક તીર્થયાત્રા જેવું છે
જીવન એક તીર્થયાત્રા જેવું છે
કોઈએ સાચું જ કહ્યું છે કે, "શ્રદ્ધા એટલે મંદિરને વળગી રહેવું નહીં, પણ હૃદયની અવિરત જાત્રા." ભારતમાં ઘણાં મંદિરો અને ધાર્મિક સ્થળો છે. દર વર્ષે લાખો લોકો અહીંની જાત્રા કરે છે. આપણે શા માટે તીર્થયાત્રા કરવા જઈએ છીએ? બીજા બધા જાય છે એટલે? એ જોવાલાયક સ્થળો પણ છે એટલે? કે પછી ભગવાન ત્યાં છે એવી આપણને આસ્થા છે એટલે? તીર્થયાત્રા પ્રત્યે દરેકની પોતાની ધારણા છે. આપણે જ્યાં તીર્થયાત્રાએ જઈએ છીએ તે સ્થાનોને જાળવવા આપણા પૂર્વજોએ ખરેખર સખત મહેનત કરી છે. આ બ્રહ્માંડમાં મનુષ્યો અસ્તિત્વમાં છે ત્યારથી ત્યાંના ધાર્મિક વિધિઓના મૂલ્યોને જાળવી રાખવા માટે તેઓએ સખત મહેનત કરી છે. આપણા દેશમાં, દરેક માનવી કોઈને કોઈ ધર્મનું પાલન કરે છે, કોઈને કોઈ સમુદાયનો હોય છે અને તેને અનુસરવા માટે તેની પોતાની ધાર્મિક વિધિઓ હોય છે. દેશના મોટા ભાગના લોકોએ જીવનમાં એક વખત તીર્થયાત્રા કરવા માટે તેમના ધાર્મિક સ્થળોની મુસાફરી કરવાનું વિચાર્યું હશે. એવું કેમ છે? કારણ કે આપણે બધા ભારતીયો માનીએ છીએ કે આપણી પાસે આપણાં મૂળ છે, જે આપણને પ્રેરણા મેળવવા માટે બોલાવે છે અને ભગવાનનું અસ્તિત્વ છે એવું આપણે માનીએ છીએ. આપણને વિશ્વાસ છે કે કોઈ આપણને માર્ગદર્શન આપી રહ્યું છે. હું માનું છું કે જીવનમાં એકવાર કરવામાં આવેલી જાત્રા આપણને વિશ્વાસ અપાવશે કે આપણે મુસાફરીના પડકારોને પાર કરી શકીશું અને એવા મુકામ સુધી પહોંચી શકીશું જ્યાં માત્ર ભગવાનનો પ્રેમ જ છે.
આપણાં તીર્થસ્થાનો આપણી આસ્થાનાં સ્થાન એવાં દેવી-દેવતાઓની અનેક દંતકથાઓ સાથે જોડાયેલાં છે. આવાં સ્થળોએ ઘણી બધી સકારાત્મકતા અને આધ્યાત્મિકતા હોય છે અને ત્યાંથી મળતા આશીર્વાદ આપણને હાલની ભાગદોડભરી જીવનમાં શાંતિ આપે છે.
એક પરિણીત યુગલે તીર્થયાત્રા પર જવાનું પસંદ કર્યું. પતિ આઇએએસ અધિકારી હતા. તેઓ સત્તાવાર મુલાકાતે ગયા ત્યારે પત્નીને સાથે લઈને એ જાત્રાના સ્થળે ગયા હતા. એમનાં પત્નીએ સ્થાનિક મંદિરોમાંથી એકની મુલાકાત લેતી વખતે પક્ષીનો સુંદર માળો જોયો. તેમાં બે ઇંડાં હતાં. પત્નીએ એ અધિકારીને કહ્યું કે તેઓ માળો ઘરે લઈ જવા માગે છે. પતિએ નજીકમાં રમતા એક છોકરાને મદદ કરવા કહ્યું. છોકરો ગરીબ ઘરનો દેખાતો હતો પણ એની વાતોમાં આત્મવિશ્વાસ હતો. એણે કહ્યું, "હું દિલગીર છું, પરંતુ હું આ કામ કરી શકીશ નહીં." અધિકારીએ ફી વિનંતી કરી, પરંતુ છોકરાએ ના પાડી. ત્યારબાદ અધિકારીએ તેને તેના કામ માટે પૈસા આપવાની ઓફર કરી, પરંતુ એણે નમ્રતાથી કહ્યું, "સાહેબ, જો હું તમને આ માળો આપીશ, તો તે બાંધનાર પક્ષી જ્યારે પોતાનો માળો અને પોતાનાં ઈંડાં જોશે નહીં તો દુઃખી થશે." એક નાનકડા શહેરના આ છોકરામાં કરુણાનાં દર્શન થયાં. ત્યાં એમણે જોયું કે પૈસા બધું જ ખરીદી શકતા નથી. પતિ-પત્ની બન્ને ત્યાંથી મનમાં સારી લાગણીઓ લઈને પાછાં ફર્યાં.
એક વખત મેં મથુરામાં જતીપુરાની મુલાકાત લીધી, જ્યાં ભગવાન કૃષ્ણના ભક્તો મુલાકાત લે છે. જતીપુરામાં ગોવર્ધન પર્વત છે અને ભક્તો ત્યાં જઈને ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. મને ત્યાં અવારનવાર જવાનું ગમે છે, અને હું ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા રાખીને પરિક્રમા કરું છું. અમે પરિવારના છ સભ્યો પરિક્રમા કરી રહ્યા હતા.
મારી સાથેનાં વૃદ્ધિ પરિવારજનને વિશ્વાસ હતો કે ભગવાનના આશીર્વાદથી તેઓ આ પરિક્રમા કરી શકશે. અમે પરિક્રમા કરવા માટે સતત ત્રણ કલાક ચાલ્યા. અમારી જેમ ઘણા લોકો દરરોજ પરિક્રમા કરે છે. સાચા ભક્તોને આ સ્થળે આવીને એવી આધ્યાત્મિક શક્તિ મળે છે કે જેઓ બીમાર હોય કે અશક્ત હોય તોપણ પરિક્રમા પૂરી કરી લે છે.
આવા તીર્થસ્થાનોની ઘણી બધી ચિંતન પ્રક્રિયાઓ, ઘણી બધી દૈવી શક્તિ અને ઘણી બધી મીઠી યાદો સમાયેલી છે.
મેં એવા લોકો વિશે ઘણી વાર્તાઓ સાંભળી છે જેઓ નાણાકીય અવરોધો હોવા છતાં તીર્થયાત્રાઓ પર જઈ આવે છે.
યાત્રીએ જો કંઈક મહત્ત્વપૂર્ણ પામવા માટે પ્રવાસ કર્યો હોય તો દરેક યાત્રાની સરખામણી તીર્થયાત્રા સાથે થઈ શકે છે. જીવન એક તીર્થયાત્રા જેવું છે, અને જેમ જેમ આપણે તેમાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તમારી આંતરિક શક્તિ તમને તમારા અંતિમ મુકામ સુધી લઈ જશે.
હું અંગત રીતે અનુભવું છું કે તીર્થયાત્રા પર જવાથી, ખાસ કરીને કૃષ્ણના ભક્ત તરીકે, ભગવાનમાં મારો વિશ્વાસ મજબૂત થાય છે. તીર્થયાત્રા પર જવાની દરેક તક મને ભગવાનની ખૂબ નજીક લાવે છે.
Comments
Post a Comment