ભૌતિક ચીજો કરતાં જીવનના અનુભવોનું મૂલ્ય સમજવું આવશ્યક

 ભૌતિક ચીજો કરતાં જીવનના અનુભવોનું મૂલ્ય સમજવું આવશ્યક


એવું કહેવાય છે કે અનુભવથી વ્યક્તિ ઘડાય છે. સારી આદતો, સારું શિક્ષણ, સકારાત્મક વાતાવરણ, સારા મિત્રોની સંગત વ્યક્તિની સ્વસ્થ વિચારસરણીને વિકસિત બનાવે છે અને જીવનના દરેક તબક્કામાં શ્રેષ્ઠ પરિણામો આપે છે. અને ભૌતિક સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન બને છે. જીવનમાં દરેક પગલું અને ક્ષણ નવા અનુભવો લાવે છે, અને એવું કહેવાય છે કે કોઈપણ અનુભવ, પછી ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક, તેનું આંતરિક મૂલ્ય હોઈ શકે છે. તે મૂલ્યને અનલૉક કરવું એ અમારી પસંદગીની બાબત છે. ભૌતિક ચીજો કરતાં જીવનમાં મળતા અનુભવોની કિંમત કરશો તો તમારી સાથે તમારા આસપાસના લોકોમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે.

શ્રીમદ્ ભગવદ ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ પણ ભૌતિક વસ્તુઓ કરતાં જીવનમાં તમારા અનુભવો અને સકારાત્મક વિચારોનું મૂલ્યાંકન કરવાના મહત્વ પર ભાર મૂકે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે, 'જે લોકો મારામાં વિશ્વાસ કરે છે અને મને સંપૂર્ણ રીતે સમર્પણ કરે છે, હું હંમેશા તેમના માટે છું.' જો કે, મારો અનુભવ મને કહે છે કે જીવનમાં ઘણા સફળ લોકો એવા હોય છે જેમને નામ અને ખ્યાતિ કમાવવાની તીવ્ર ઈચ્છા હોય છે. તેમાંના કેટલાક આત્મવિશ્વાસ ધરાવતા હોય છે અને તેમની પાસે મહાન શૈક્ષણિક પૃષ્ઠભૂમિ હોય છે, પરંતુ તેઓ કેટલીકવાર જીવનની બાહ્ય ઇચ્છાઓ દ્વારા વહી જાય છે. તેથી, તેઓ સફળ હોવા છતાં, તેઓ તેમની સાથે મારી હાજરીનું મૂલ્ય સમજવામાં નિષ્ફળ જાય છે. એવા બહુ ઓછા લોકો છે જેઓ જીવનની તમામ ઈચ્છાઓ પર કાબુ મેળવી શકે છે અને માત્ર મારી હાજરીના મૂલ્યમાં વિશ્વાસ રાખે છે. અર્જુન, જો તારે ખરેખર મને જોવો હોય તો તારે તારી બધી ઈચ્છાઓ છોડી દેવી પડશે અને મારી સાથે હોવાના તારા અનુભવમાં વિશ્વાસ રાખવો પડશે. ધન્યતા અનુભવો અને જાણો કે હું હંમેશા ત્યાં છું.'

આવી વાર્તાઓ ભગવાન આપણી આસપાસ હોવાનો વાસ્તવિક અનુભવ આપે છે, આપણે ફક્ત તેની હાજરીને ફીલ કરવાની જરૂર છે. આજના ફાસ્ટ ફોરવર્ડ સ્પર્ધાત્મક જમાનામાં લોકો દરેક બાબતમાં અસલામતી અનુભવે છે. જીવન પ્રત્યેની વ્યક્તિગત ધારણાઓ વિવિધ રીતે આપણા અનુભવો સાથે આપણને આકાર આપે છે. જીવન માટે સતત હકારાત્મક અને નકારાત્મક વિચારો મહત્વપૂર્ણ છે, પરંતુ કેવી રીતે? એક સમયે ભક્તની ભક્તિથી પ્રસન્ન થયા અને હંમેશા તેમની સાથે રહેવાનું વચમ આપ્યું હતું. ભગવાને ભક્તને કહ્યું, 'હું તારી સાથે ચાલીશ, અને તુ મને હંમેશા પોતાની સાથે ચાલતા જોઈશ.' ભક્તે આગળ ચાલવાનું શરૂ કર્યું. દરમિયાન તેણે પોતાની સાથે બે પગલાં જોયા. એક પોતાના પગનું નિશાન હતું અને બીજું ભગવાનનું હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ભક્તને પડકારોનો સામનો કરવો પડ્યો. આ સમયગાળા દરમિયાન ફક્ત તેના જ પગલાં દ્રશ્યમાન હતાં. તેમ છતાં તે ભગવાન પર વિશ્વાસ રાખીને આગળ વધતો ગયો. ભગવાને લીધેલી વિશ્વાસની પરીક્ષામાં તે સફળ થયો અને ફરી એક વાર તેણે પોતાના પગલાંની સાથે  ભગવાનના પગલાં જોયા. દરમિયાન ભક્તના મનમાં કેટલાક પ્રશ્નો ઊભા થતાં ભગવાનને પોકાર કર્યો. મનમાં મૂંઝવણ સાથે ભગવાનને પૂછ્યું, 'જ્યારે મારો સારો સમય હતો, ત્યારે હું મારાથી બે ડગલાં આગળ જોઈ શકતો હતો, અને હું અનુભવી શકતો હતો કે તમે મારી સાથે ચાલી રહ્યા છો. પછી, જ્યારે મારો ખરાબ સમય હતો, ત્યારે હું ફક્ત એક જ પગલું જોઈ શકતો હતો, જેનો અર્થ છે કે જ્યારે મને તમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે અદૃશ્ય થઈ ગયા હતા. આવું કેમ? ભગવાને ભક્તને ખૂબ જ સુંદર જવાબ આપતાં કહ્યું કે, જ્યારે તારો મુશ્કેલ સમય હતો ત્યારે મેં તને ઉપાડી લીધો હતો. તેથી તને ચાલવાની કે નીચું જોવાની ફરજ પાડી નથી. મુશ્કેલ સમયમાં જે એક પગના પગલાં તે જોયા એ તારા નહીં મારા હતાં. હું  એક માર્ગદર્શક તરીકે તારી પડખે જ હતો. તે મારી હાજરીની નોંધ ન લીધી એ તારી ધારણા છે. આવી જ રીતે કેટલીક વાર આપણને જીવનમાં ખરાબ અનુભવો થતાં આપણા નકારાત્મક વિચારો આપણને આપણી આસપાસની સારી વસ્તુઓની કદર કરવા દેતા નથી. અને ક્યારેક, જીવનમાં ખરાબ અનુભવો હોવા છતાં, જો તમે તેને સારા, સકારાત્મક વિચારો સાથે જોશો, તો આપણે જીવન પ્રત્યે કૃતજ્ઞતા કેળવીશું.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...