વાત કરવામાં કુશળતાની સાથે સાંભળવામાં નિપુણતા હોવી જરૂરી

વાત કરવામાં કુશળતાની સાથે સાંભળવામાં નિપુણતા હોવી જરૂરી


આપણામાંથી મોટાભાગનાં લોકો આખા દિવસ દરમિયાન બિનજરૂરી બોલ્યા કરે છે. અરે, જ્યાં નહીં બોલવાથી કામ પતી જાય એવું હોય છે ત્યાં પણ આપણે નકામી બડબડ કર્યાં કરીએ છીએ. કહેવાનો અર્થ કે સ્પષ્ટ અને જરૂર પૂરતું બોલવું એ પણ એક કળા છે, તો સાંભળવું પણ એક કળા જ છે. જો તમે કોઈને પ્રેમ કરતા હો તો સૌપ્રથમ તમારી એ ફરજ છે કે તમે એને ધ્યાનપૂર્વક સાંભળો. સાંભળવું એક કળા છે, ક્રિયા નહીં. સાંભળવાની કળા સંબંધને મધુર અને મજબૂત બનાવે છે. અરે, ઘણી બધી વાર સંબંધમાં ગેરસમજ ઊભી થતી હોય છે એ માટે પણ સાંભળવાની કળા વિકસાવવી જોઈએ. મનોવૈજ્ઞાનિક શોધ તો એવું પણ કહે છે કે સાંભળવાની ક્રિયા મૂળ તો એક ધ્યાનની જ પ્રક્રિયા છે. દુ:ખની વાત એ છે કે આજે આપણી અંદર અને બહાર એટલો ઘોંઘાટ છે કે આપણી સાંભળવાની ક્ષમતા ઝડપથી ઓછી થવા માંડી છે.
સોશિયલ મીડિયાના આ સમયમાં ચારે બાજુ બોલતાં રહેતાં લોકોની ઘણી બોલબાલા છે. સૌ પોતપોતાની વાત કહેવા માટે બહુ જ ઉત્સુક છે. એવો આગ્રહ રાખે છે તે લોકો તેમની વાત સાંભળે, પણ આ સાંભળનારો વર્ગ છે ક્યાં? ક્યાં ખોવાઈ ગયાં છે એ લોકો આ ભીડમાં? એક્ચ્યુલી, તો સાંભળનારા લોકોને સૌ કોઈ શોધી રહ્યાં છે. એક બાળક પણ ઈચ્છે છે કે તેને પોતાનાં માતા-પિતા સાંભળે, પ્રેમીને પણ પોતાનું સાંભળે એવી પ્રેમિકા જોઈએ, તો પત્નીને પણ પોતાની વાત સાંભળનારો પતિ જોઈએ. પરંતુ હાલમાં તો સાંભળવાની ઈચ્છા અને કળા આ બંને ક્યાંક ખોવાઈ ચૂક્યાં છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં મનોવિજ્ઞાનમાં આ વિષયને લઈને ગંભીર ચર્ચા અને સંશોધનની શરૂઆત થઈ છે. એમાં ધ્યાનપૂર્વક સાંભળવું અને સક્રિય રહીને સાંભળવું આ બંને બાબતો વિશે વાત કરવામાં આવી છે. આ બંને પ્રકારમાં સાંભળવાના અનેક લાભ છે. સંશોધન કહે છે કે સવારે કરવામાં આવતું ધ્યાન જે રીતે લાભદાયક છે એ જ રીતે ધ્યાનપૂર્વક સાંભળવું પણ લાભદાયક છે. ખુશીની વાત એ છે કે આપણે સરળતાથી આ બંને રીત શીખી શકીએ છીએ. આપણી અંદર વિચારો અને લાગણીઓનો જે ઘોંઘાટ છે, જેના કારણે બાહ્ય વાતાવરણ સાથે એટલે કે પ્રકૃતિ સાથેનો આપણો કોઈ સંપર્ક રહેતો નથી. આ માટે થોડી વાર આંખ બંધ કરીએ, વિચારોને આવવા-જવા દઈએ અને આપણું ધ્યાન ફક્ત આપણા શ્વાસ તરફ રાખીએ. ધીમે ધીમે આસપાસનો કર્કશ ધ્વનિ વીંધીને કોમળ ધ્વનિ તમારા કાન સુધી પહોંચશે. બસ, એ અવાજને ઓળખવાનો છે. આ પ્રક્રિયા દિવસ કે રાત કોઈપણ સમયે કરી શકાય છે.
વ્યક્તિ તેમનામાં રસ નથી લઈ રહી છતાં પણ તેઓ બસ બોલ્યે જતાં હોય છે. તેથી વાતચીત કરતી વખતે બે વ્યક્તિ હોય તો એ બંનેનું યોગદાન હોવું જરૂરી છે. સંવાદ ફક્ત વાતચીત નથી, પણ લોકો વચ્ચેનું એક સંતુલન છે. એમાં એક વક્તા અને બીજો શ્રોતા હોય છે. એક જ વ્યક્તિ બોલે રાખે તો એ સંવાદ અધૂરો ગણાશે. તેથી માત્ર વાત કરવામાં જ કુશળ હોવું જરૂરી નથી, સાંભળવામાં પણ નિપુણ થવું જરૂરી છે. 32 વર્ષથી ઑડિયોલોજિસ્ટ હોવાને કારણે મને જે લાગ્યું છે તે એ છે કે સાંભળવાના બે પાસાં છે. એક તો જ્યારે તમે વાત કરો છો ત્યારે તમે જે સંગીત અને કોઈના અવાજ દ્વારા સાંભળો છો અને બીજું તમારા હૃદયથી સાંભળો છો. જ્યારે તમે તમારા પ્રિયજનોના ઊંડા વિચારો સાંભળો છો અને તેમને એવું અનુભવ્યા વિના તે વિચારોને પૂર્ણ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારા હૃદયથી સાંભળો છો, અને તમે તમારા પોતાના અને તમારા પ્રિયજનોના ભલા માટે સાંભળો છો. હું દરરોજ સાંભળવાની-ક્ષતિ ધરાવતા બાળકો સાથે વ્યવહાર કરું છું, અને મને લાગે છે કે તેઓ હંમેશા ખુશ અને પ્રેરણાદાયી હોય છે, કારણ કે તેઓ તેમના કાન દ્વારા અમારી જેમ સાંભળતા નથી, પરંતુ તેઓ તેમના હૃદયથી અમને સાંભળે છે. કલ્પના કરો કે જો આપણે તેમના જીવનમાં શ્રવણ સાધન અથવા કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઉમેરીશું તો તેઓ કેટલું સારું સાંભળી શકશે.
મેં બે શોર્ટ ફિલ્મો શરૂ કરી છે, પહેલી સાંભળવાની સમસ્યા ધરાવતા લોકોને વહેલી તકે સારવાર મળી રહે તે માટે અને બીજી ટેક્નોલોજીની મદદથી કેવી રીતે જીવન બદલાઈ શકે છે. હું આશા રાખું છું કે આ બે ટૂંકી ફિલ્મો દ્વારા, હું ઘણી શ્રવણ-ક્ષતિ ધરાવતા વ્યક્તિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીશ, ખાસ કરીને એવા બાળકો કે જેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે અને આપણા જેવા લગભગ સામાન્ય જીવન જીવી શકે. જ્યારે હું આ શોર્ટ ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે હું ખોટા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પહોંચી ગઈ હતી. અચાનક નવા સેટ પર આવતાં હું આશ્ચર્યમાં મૂકાઈ હતી ત્યાં મને એક છોકરો મળ્યો એકબીજા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તેને સ્પીચ ઈશ્યુ છે. સાંભળવામાં તકલીફ થતી હતી. પહેલી મુલાકાત હતી એટલે મેં વધુ તેને કહ્યું નહીં. દરમિયાન તેણે કહ્યું કે, 15 વર્ષ પહેલા વાહને ટક્કર મારતા ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો અને સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. તેણે શ્રવણ સાધન પહેર્યું હોવા છતાં સાંભળવામાં મુશ્કેલી થઈ રહી હોવાનું કહ્યું હતું. તે ઓછું સાંભળતો હતો પણ લીપ રિડીંગ પર વધુ આધાર રાખતો હતો. મેં તેને સમજાવ્યું કે જો તે તેની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ શ્રવણ સાધન મેળવી શકે, તો તેને સાંભળવા માટે સંઘર્ષ કરવો પડશે નહીં, અને તે વાતચીત કરવા માટે તેના આત્મવિશ્વાસને વેગ આપશે. મારી સલાહથી તે ખુશ થયો ત્યારે ભગવાનનો આભાર માન્યો કે તે છોકરાનું જીવન બદલવા મને નિમિત બનાવી અને ખોટા સેટ પર મોકલી. આ ટૂંકી ફિલ્મોની મદદથી મને આશા છે કે તેમના જેવા ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવશે.
સાંભળવું એ દયાના સૌથી શક્તિશાળી સ્વરૂપોમાંનું એક છે. આ શોર્ટ ફિલ્મો બનાવવાના મારા વિચાર સાથે ઘણા લોકો મારી સાથે જોડાયા. મારા પરિવાર અને મિત્રોએ તેના માટે ખૂબ મહેનત કરી. મને લાગે છે કે આ બાળકોના આશીર્વાદથી મને આ પ્રોજેક્ટ વધુ મોટો અને સારો બનાવવામાં મદદ મળી છે. જ્યારે તમે નિષ્ઠાવાન પ્રયત્નો કરો છો ત્યારે ભગવાન સાંભળે છે. મારા માતા-પિતાએ હંમેશા અમને શીખવ્યું કે જો તમે સારી રીતે સાંભળશો તો તમારા પ્રયત્નો વધુ સારા થશે. અને જ્યારે તમારા પ્રયત્નો વધુ સારા હશે, ત્યારે તમારું કામ ચમકશે. જો તમારું કાર્ય વધુ સારું છે, તો જીવન પ્રત્યેનો તમારો સંતોષ સુધરશે, અને સુધારેલા સંતોષ સાથે, તમારું હૃદય વધુ સારી રીતે સાંભળશે. વધુ સારી રીતે સાંભળવું એ માત્ર અવાજો સાંભળવા વિશે જ નથી, તે સમજવા અને લોકો સાથે જોડાવા વિશે છે. તે એક મહાસત્તા જેવું છે જે આપણને મજબૂત સંબંધો બનાવવામાં મદદ કરે છે

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...