સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્ત્વ

સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્ત્વ


મહાન મહાત્મા ગાંધીએ એકવાર કહ્યું હતું કે, "રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદયમાં અને આત્મામાં

રહે છે." યુ.એસ.એ.ના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે ભારતમાં

પત્નીઓ અને માતાઓ ઘણી વાર પરિવારો અને સમુદાયોને સાથે રાખે છે.

ભારતીય મહિલાઓએ બતાવ્યું છે કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. ભારતીય યુવા

મહિલાઓ રસ લઈ રહી છે અને દેશના વિકાસમાં ભાગ લેવા માટે પ્રતિબદ્ધ છે. એમને લાગે છે કે

જ્યારે મહિલાઓ વધુ સફળ થાય છે ત્યારે રાષ્ટ્રો વધુ સફળ થાય છે.

આપણી ભારતીય સંસ્કૃતિ આપણા દેશ અને આપણા પરિવારોમાં માતાઓની સંભાળ રાખવાને

પ્રાથમિકતા આપે છે કારણ કે તેઓ જ ભારતના ભાવિ નેતાઓને જન્મ આપે છે. માતા-પિતાનો પ્રેમ

અને કાળજી બાળકના વધુ સુરક્ષિત વિકાસને પ્રેરક ઠરે છે. આથી જ ભારતની પ્રગતિ આપણા

સહિયારા સાંસ્કૃતિક વારસાને આભારી છે.

આપણી ભારતીય સંસ્કૃતિમાં, મથુરા અને વૃંદાવનમાં લગભગ એક મહિના સુધી હોળી ઉજવવામાં

આવે છે. જૈન ધર્મમાં ભગવાન લગભગ 8 દિવસ સુધી પર્યુષણ ઉજવવામાં આવે છે. ઇસ્લામમાં

લગભગ એક મહિના સુધી રમઝાનને અનુસરવામાં આવે છે. પ્રેમ અને આદર આપણી ભારતીય

સંસ્કૃતિમાં ઊંડે ઊંડે જડેલાં છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો દરમિયાન બોલાતી દરેક પ્રાર્થના,

સકારાત્મક અને પવિત્ર લાગણીથી ભરેલી હોય છે.

આપણે ભગવાનને કરાયેલી આપણી પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. સાંસ્કૃતિક રીતે

જોડાયેલા હોવાને કારણે આપણે સકારાત્મકતા સાથે અવરોધોનો સામનો કરીએ છીએ.

આપણા પૂર્વજો જ્યારે કોઈ સામાજિક જવાબદારીઓ લેતા ત્યારે યજ્ઞ કરતા અને લોકોના ભલા માટે

કામ કરવાના શપથ લેતા. ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં ખૂબ જ સરસ રીતે કહ્યું છે કે ધર્મ બચાવવા

માટે તમારે સારાં કર્મ કરવાની જરૂર છે, અને સારાં કર્મ સારા જ્ઞાન સાથે આવે છે.

આપણી પાસે ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો છે અને આપણે તેની જાણકારી ધરાવીએ છીએ, પરંતુ છેલ્લા

ઘણા વખતથી આપણે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરવાનું શરૂ કર્યું છે અને પોતાના ધર્મનાં મૂલ્યોને

ગુમાવવાની પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યા છીએ.

તાજેતરમાં, એક યુગલ મને મળવા આવ્યું; તેઓ બંને અલગ અલગ સંસ્કૃતિનાં હતાં. પત્નીનો જન્મ

અને ઉછેર એવા પરિવારમાં થાય છે જ્યાં બધું સહેલાઈથી મળી જતું હતું. હવે એના પર પતિના

પરિવારના વરિષ્ઠ નાગરિકોની સેવા કરવાની જવાબદારી આવી ગઈ છે. એ તેના માટે માનસિક રીતે


તૈયાર નહોતી. આવામાં એને ગભરાટના હુમલાઓ આવતા હતા. તેઓ બન્ને મારી પાસે આવ્યાં

હતાં. મેં કહ્યું કે તમે લવ મેરેજ કર્યાં છે, તો તેની સાથે આવતી જવાબદારીનો આનંદ માણવો પડશે.

જો તમે કોઈ પણ કામ આનંદપૂર્વક કરશો તો તમને ભય અથવા ગભરાટના હુમલા નહીં આવે.

સાંભળવાની ખામી ધરાવતા લોકો સાથે કામ કરીને, મને લાગે છે કે સાંસ્કૃતિક જોડાણ ખૂબ જ

મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબ પ્રણાલી છે, અને એ

આપણને કુટુંબના ટેકા સાથે પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.

આપણી ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય મૂલ્યોમાં વડીલોને પ્રણામ કરવાં, વડીલો અને બાળકોની સંભાળ

રાખવી, કુટુંબની જવાબદારી લેવી, વ્યક્તિનું ગૌરવ જાળવવું અને માનવજાતને મદદ કરવી એ બધાનો

સમાવેશ થાય છે.

આપણી ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત મૂલ્યોમાં સકારાત્મકતા, સંવાદિતા, શાણપણ, એકતા, રક્ષણ,

કરુણા, ભક્તિ અને જીવનની અખંડિતતાને સમજવાનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવ્યું છે કે,

સંસ્કૃતિ આત્મા અને બુદ્ધિને વિસ્તૃત કરે છે. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે આપણે

આપણી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કરીશું.

Comments

Popular posts from this blog

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

આપણે દરેક તકલીફના લાલ સિગ્નલને આધ્યાત્મિક ઊર્જાની મદદથી લીલું સિગ્નલ બનાવી શકીએ છીએ

'વફાદારી' માત્ર એક શબ્દ નથી, એ તો જીવનશૈલી છે...